પાંચ લાખની લીડ મેળવવા ભાજપે તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન! જુઓ પેજ સમિતિથી પ્રદેશ પ્રમુખનો આ પિરામિડ BJP સંગઠનમાં કઈ રીતે કામ કરે છે?


  • Published By :
  • Published Date : 2024-04-20 17:20:19

લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. એક તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દરેક પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વખતે 400 પાર સીટો મળશે.. ત્યારે આજે વાત ભારતીય જનતા પાર્ટીની કરીએ. ભાજપની સ્થાપના 1980માં થઈ. 1984ની લોકસભાની ચૂંટણીઓમાં આ પાર્ટીના માત્ર બે જ સાંસદ હતા. પરંતુ 2014માં BJP કેન્દ્રમાં આવી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમત મેળવી. 2019માં પણ જીતી ગયા. ત્યારે સૌ કોઈની નજર આ વખતની ચૂંટણી પર છે... 

ગુજરાતમાં ભાજપનો વોટ શેર હતો... 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે.. 26એ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે.. 2014 અને 2019 બંને ચૂંટણીમાં આ જ પરિણામ રહ્યા. 2024ની બેઠક માટે ભાજપે આ વખતે પોતાના ટાર્ગેટને થોડો વધારે ઉપર લઈ ગઈ છે. ભાજપના લક્ષ્ણાંકની વાત કરીએ તો છે ગુજરાતની દરેક બેઠક પર પાર્ટી પાંચ લાખના લીડ  મેળવશે. 2024માં શું પરિણામ આવશે તે આપણે ચોથી જૂને જોઈશુ પરંતુ થોડીક નજર 2019ના પરિણામો પર કરીએ. ભાજપનો ગુજરાતમાં વોટશેર 63 ટકા હતો. તેને આખા ગુજરાતમાંથી લગભગ 1,80,000 જેટલા વોટ મળ્યા હતા .


પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો ભાજપનો ટાર્ગેટ 

હવે તો BJPએ આ 2024ના લોકસભાની ચૂંટણીઓમાં બધી જ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ લીધો છે અને આ માટે BJPને કુલ 2.22કરોડ જેટલા મત મળવા જોઈએ. જેના કારણે લીડમાં 40 લાખનો વધારો થાય અને દરેક બેઠક પર 5 લાખની લીડ મળે  . તો ભાજપ આ ટાર્ગેટ અચીવ કરી શકે છે.. પાંચ લાખનો ટાર્ગેટ અચીવ કરવા શું રણનીતિ બનાવી છે તેના પર કરીએ નજર.


પેજ પ્રમુખ અને પ્રમુખ સમિતીની ઉપર આવે છે...  

લક્ષ્યાંક હાંસલ કરવા ગુજરાતમાં દરેક મતદાર યાદીના એક -એક પેજના 30-30 મતદારો માટે ૧૦ લાખથી વધુ પેજ પ્રમુખોની BJPએ નિમણુંક કરી છે. આ પેજ પ્રમુખો પાસે 3થી 5 સભ્યોની પેજ સમિતિ છે, જેમાં 74 લાખ પેજ સમિતિ active થઈ ગઈ છે . આ પેજ સમિતિના સભ્યએ સોસાયટી, મહોલ્લા કે શેરીમાંથી પાડોશીઓને સવારે 8થી 10માં માત્ર 3થી 5 મતદારોને મતદાન કરાવવાનું હોય છે. પેજ પ્રમુખ અને પેજ સમિતિની ઉપર બુથ સમિતિ આવે છે. બુથ સમિતિની ઉપર શક્તિ કેન્દ્ર છે, આ શક્તિ કેન્દ્ર ઉપર વોર્ડ ટિમ , વોર્ડ ટીમની ઉપર જિલ્લા પ્રમુખની ટિમ , અને સૌથી ઉપર પ્રદેશ પ્રમુખની ટિમ હોય છે . 


બીજા રાજ્યોમાં લાગુ કરવામાં આવી આ ફોર્મ્યુલા

હવે આ પેજ પ્રમુખની રણનીતિ વિશે આપણે જાણીએ. 2007ની ગુજ્રરાત વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહે ચૂંટણી રણનીતિના ભાગરૂપે પ્રદેશ પ્રમુખથી લઈને પેજ પ્રમુખના પિરામિડની રચના કરી. 2014માં BJP અધ્યક્ષ બનતા અમિત શાહે બીજા રાજ્યોમાં પણ આ ફોર્મ્યુલા અપનાવી . અગાઉ '1 બુથ 10 યુથ ' જેવી ફોર્મ્યુલા હતી .હવે આ 2024ની લોકસભા ચૂંટણી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 26 લોકસભા બેઠકમાં આવતી દરેક વિધાનસભા બેઠક પરના 39 હજારથી વધુ પેજ પરિવાર સાથે મુલાકાત કરી લીધી છે. તો હવે જોઈએ ભારતીય જનતા પાર્ટીનું આ માઈક્રો પ્લાંનિંગ કેટલું સફળ થાય છે તે તો 2024ના લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ખબર પડશે... 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.