પાંચ લાખની લીડ મેળવવા ભાજપે તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન! જુઓ પેજ સમિતિથી પ્રદેશ પ્રમુખનો આ પિરામિડ BJP સંગઠનમાં કઈ રીતે કામ કરે છે?


  • Published By :
  • Published Date : 2024-04-20 17:20:19

લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. એક તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દરેક પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વખતે 400 પાર સીટો મળશે.. ત્યારે આજે વાત ભારતીય જનતા પાર્ટીની કરીએ. ભાજપની સ્થાપના 1980માં થઈ. 1984ની લોકસભાની ચૂંટણીઓમાં આ પાર્ટીના માત્ર બે જ સાંસદ હતા. પરંતુ 2014માં BJP કેન્દ્રમાં આવી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમત મેળવી. 2019માં પણ જીતી ગયા. ત્યારે સૌ કોઈની નજર આ વખતની ચૂંટણી પર છે... 

ગુજરાતમાં ભાજપનો વોટ શેર હતો... 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે.. 26એ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે.. 2014 અને 2019 બંને ચૂંટણીમાં આ જ પરિણામ રહ્યા. 2024ની બેઠક માટે ભાજપે આ વખતે પોતાના ટાર્ગેટને થોડો વધારે ઉપર લઈ ગઈ છે. ભાજપના લક્ષ્ણાંકની વાત કરીએ તો છે ગુજરાતની દરેક બેઠક પર પાર્ટી પાંચ લાખના લીડ  મેળવશે. 2024માં શું પરિણામ આવશે તે આપણે ચોથી જૂને જોઈશુ પરંતુ થોડીક નજર 2019ના પરિણામો પર કરીએ. ભાજપનો ગુજરાતમાં વોટશેર 63 ટકા હતો. તેને આખા ગુજરાતમાંથી લગભગ 1,80,000 જેટલા વોટ મળ્યા હતા .


પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો ભાજપનો ટાર્ગેટ 

હવે તો BJPએ આ 2024ના લોકસભાની ચૂંટણીઓમાં બધી જ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ લીધો છે અને આ માટે BJPને કુલ 2.22કરોડ જેટલા મત મળવા જોઈએ. જેના કારણે લીડમાં 40 લાખનો વધારો થાય અને દરેક બેઠક પર 5 લાખની લીડ મળે  . તો ભાજપ આ ટાર્ગેટ અચીવ કરી શકે છે.. પાંચ લાખનો ટાર્ગેટ અચીવ કરવા શું રણનીતિ બનાવી છે તેના પર કરીએ નજર.


પેજ પ્રમુખ અને પ્રમુખ સમિતીની ઉપર આવે છે...  

લક્ષ્યાંક હાંસલ કરવા ગુજરાતમાં દરેક મતદાર યાદીના એક -એક પેજના 30-30 મતદારો માટે ૧૦ લાખથી વધુ પેજ પ્રમુખોની BJPએ નિમણુંક કરી છે. આ પેજ પ્રમુખો પાસે 3થી 5 સભ્યોની પેજ સમિતિ છે, જેમાં 74 લાખ પેજ સમિતિ active થઈ ગઈ છે . આ પેજ સમિતિના સભ્યએ સોસાયટી, મહોલ્લા કે શેરીમાંથી પાડોશીઓને સવારે 8થી 10માં માત્ર 3થી 5 મતદારોને મતદાન કરાવવાનું હોય છે. પેજ પ્રમુખ અને પેજ સમિતિની ઉપર બુથ સમિતિ આવે છે. બુથ સમિતિની ઉપર શક્તિ કેન્દ્ર છે, આ શક્તિ કેન્દ્ર ઉપર વોર્ડ ટિમ , વોર્ડ ટીમની ઉપર જિલ્લા પ્રમુખની ટિમ , અને સૌથી ઉપર પ્રદેશ પ્રમુખની ટિમ હોય છે . 


બીજા રાજ્યોમાં લાગુ કરવામાં આવી આ ફોર્મ્યુલા

હવે આ પેજ પ્રમુખની રણનીતિ વિશે આપણે જાણીએ. 2007ની ગુજ્રરાત વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહે ચૂંટણી રણનીતિના ભાગરૂપે પ્રદેશ પ્રમુખથી લઈને પેજ પ્રમુખના પિરામિડની રચના કરી. 2014માં BJP અધ્યક્ષ બનતા અમિત શાહે બીજા રાજ્યોમાં પણ આ ફોર્મ્યુલા અપનાવી . અગાઉ '1 બુથ 10 યુથ ' જેવી ફોર્મ્યુલા હતી .હવે આ 2024ની લોકસભા ચૂંટણી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 26 લોકસભા બેઠકમાં આવતી દરેક વિધાનસભા બેઠક પરના 39 હજારથી વધુ પેજ પરિવાર સાથે મુલાકાત કરી લીધી છે. તો હવે જોઈએ ભારતીય જનતા પાર્ટીનું આ માઈક્રો પ્લાંનિંગ કેટલું સફળ થાય છે તે તો 2024ના લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ખબર પડશે... 



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.