પાંચ લાખની લીડ મેળવવા ભાજપે તૈયાર કર્યો આ માસ્ટર પ્લાન! જુઓ પેજ સમિતિથી પ્રદેશ પ્રમુખનો આ પિરામિડ BJP સંગઠનમાં કઈ રીતે કામ કરે છે?


  • Published By :
  • Published Date : 2024-04-20 17:20:19

લોકસભા ચૂંટણીના બ્યુગલ વાગી ગયા છે. એક તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દરેક પાર્ટીએ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે આ વખતે 400 પાર સીટો મળશે.. ત્યારે આજે વાત ભારતીય જનતા પાર્ટીની કરીએ. ભાજપની સ્થાપના 1980માં થઈ. 1984ની લોકસભાની ચૂંટણીઓમાં આ પાર્ટીના માત્ર બે જ સાંસદ હતા. પરંતુ 2014માં BJP કેન્દ્રમાં આવી અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પૂર્ણ બહુમત મેળવી. 2019માં પણ જીતી ગયા. ત્યારે સૌ કોઈની નજર આ વખતની ચૂંટણી પર છે... 

ગુજરાતમાં ભાજપનો વોટ શેર હતો... 

ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે.. 26એ 26 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે.. 2014 અને 2019 બંને ચૂંટણીમાં આ જ પરિણામ રહ્યા. 2024ની બેઠક માટે ભાજપે આ વખતે પોતાના ટાર્ગેટને થોડો વધારે ઉપર લઈ ગઈ છે. ભાજપના લક્ષ્ણાંકની વાત કરીએ તો છે ગુજરાતની દરેક બેઠક પર પાર્ટી પાંચ લાખના લીડ  મેળવશે. 2024માં શું પરિણામ આવશે તે આપણે ચોથી જૂને જોઈશુ પરંતુ થોડીક નજર 2019ના પરિણામો પર કરીએ. ભાજપનો ગુજરાતમાં વોટશેર 63 ટકા હતો. તેને આખા ગુજરાતમાંથી લગભગ 1,80,000 જેટલા વોટ મળ્યા હતા .


પાંચ લાખની લીડ સાથે જીત હાંસલ કરવાનો ભાજપનો ટાર્ગેટ 

હવે તો BJPએ આ 2024ના લોકસભાની ચૂંટણીઓમાં બધી જ 26 બેઠકો 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ લીધો છે અને આ માટે BJPને કુલ 2.22કરોડ જેટલા મત મળવા જોઈએ. જેના કારણે લીડમાં 40 લાખનો વધારો થાય અને દરેક બેઠક પર 5 લાખની લીડ મળે  . તો ભાજપ આ ટાર્ગેટ અચીવ કરી શકે છે.. પાંચ લાખનો ટાર્ગેટ અચીવ કરવા શું રણનીતિ બનાવી છે તેના પર કરીએ નજર.


પેજ પ્રમુખ અને પ્રમુખ સમિતીની ઉપર આવે છે...  

લક્ષ્યાંક હાંસલ કરવા ગુજરાતમાં દરેક મતદાર યાદીના એક -એક પેજના 30-30 મતદારો માટે ૧૦ લાખથી વધુ પેજ પ્રમુખોની BJPએ નિમણુંક કરી છે. આ પેજ પ્રમુખો પાસે 3થી 5 સભ્યોની પેજ સમિતિ છે, જેમાં 74 લાખ પેજ સમિતિ active થઈ ગઈ છે . આ પેજ સમિતિના સભ્યએ સોસાયટી, મહોલ્લા કે શેરીમાંથી પાડોશીઓને સવારે 8થી 10માં માત્ર 3થી 5 મતદારોને મતદાન કરાવવાનું હોય છે. પેજ પ્રમુખ અને પેજ સમિતિની ઉપર બુથ સમિતિ આવે છે. બુથ સમિતિની ઉપર શક્તિ કેન્દ્ર છે, આ શક્તિ કેન્દ્ર ઉપર વોર્ડ ટિમ , વોર્ડ ટીમની ઉપર જિલ્લા પ્રમુખની ટિમ , અને સૌથી ઉપર પ્રદેશ પ્રમુખની ટિમ હોય છે . 


બીજા રાજ્યોમાં લાગુ કરવામાં આવી આ ફોર્મ્યુલા

હવે આ પેજ પ્રમુખની રણનીતિ વિશે આપણે જાણીએ. 2007ની ગુજ્રરાત વિધાનસભાની ચૂંટણીમાં અમિત શાહે ચૂંટણી રણનીતિના ભાગરૂપે પ્રદેશ પ્રમુખથી લઈને પેજ પ્રમુખના પિરામિડની રચના કરી. 2014માં BJP અધ્યક્ષ બનતા અમિત શાહે બીજા રાજ્યોમાં પણ આ ફોર્મ્યુલા અપનાવી . અગાઉ '1 બુથ 10 યુથ ' જેવી ફોર્મ્યુલા હતી .હવે આ 2024ની લોકસભા ચૂંટણી વખતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 26 લોકસભા બેઠકમાં આવતી દરેક વિધાનસભા બેઠક પરના 39 હજારથી વધુ પેજ પરિવાર સાથે મુલાકાત કરી લીધી છે. તો હવે જોઈએ ભારતીય જનતા પાર્ટીનું આ માઈક્રો પ્લાંનિંગ કેટલું સફળ થાય છે તે તો 2024ના લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ખબર પડશે... 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.