BJPના નેતા Arjun Modhwadiaએ Social Media પર Congressને લઈ કર્યા કટાક્ષ! લોકસભા ચૂંટણીના પરિણામ પર કહી આ વાત.. જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-05-24 11:49:39

લોકસભા ચૂંટણી માટે બે તબક્કા માટે મતદાન થવાનું શેષ છે.. ચોથી જૂને પરિણામ આવવાનું છે.. કોને કેટલી સીટો મળશે તેની ચર્ચાઓ કરવામાં આવી રહી છે.. એક તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા અનેક બેઠકો જીતવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના પણ અનેક નેતાઓ જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે.. કોંગ્રેસને કેટલી સીટો તેવી વાત સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે કોંગ્રેસને લઈ અર્જુન મોઢવાડિયાએ ભવિષ્યવાણી કરી છે.. 


પક્ષપલટાની ગુજરાતમાં આવી હતી મૌસમ 

ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મૌસમ આવી હતી. અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. પક્ષપલટો કરનાર ધારાસભ્યોમાં અર્જુન મોઢવાડિયા પણ હતા. ત્યારે ચૂંટણીનું પરિણામ આવે તેની પહેલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમણે અનેક ટ્વિટ કરી છે.. કોઈ ટ્વિટમાં તેમણે ભાજપની જીતનો દાવો કર્યો છે તો કોઈ ટ્વિટમાં તેમણે કોંગ્રેસની વાત કરી છે.. 

ભાજપની જીત અંગે અર્જુન મોઢવાડિયાએ કહી આ વાત  

અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મુકી છે.. જેમાં તેમણે લખ્યું છે કે, गुजरात में 5-6 सीटों को लेकर स्थापित हितो द्वारा भ्रम फैलाया जा रहा है।....वास्तव में 1 सीट भाजपा जीत चुकी है और बाकी 25 सीटों पर भी जीतना तय है।....भाजपा लगातार तीसरी बार प्रदेश में क्लीन स्वीप करने जा रही है।..... ભાજપ ફરી જીતની હેટ્રિક લગાવશે એવો અર્જુન મોઢવાડિયાને વિશ્વાસ છે....શક્તિસિંહ ગોહિલને જ્યારે આ પ્રશ્ન કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, આ મામલે હું કોમેન્ટ આપુ તો સારૂ ન લાગે. કાલ સુધી મારી સાથે હતા અને હવે ત્યાં જઈને કોમેન્ટ કરે તો મને જવાબ આપવો યોગ્ય લાગતો નથી..... 


અર્જુન મોઢવાડિયાએ એક ટ્વિટમાં લખ્યું કે... 

શક્તિસિંહે કહ્યું સારુ ન લાગે,, પણ અર્જુનભાઈને તો જવાબદારીના ભાગરુપે કટાક્ષ તો કરવો પડતો હશે...અમે જ્યારે એમનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ચેક કરી રહ્યાં હતા તો બે-ત્રણ ટ્વિટ સામે આવ્યા...એક પોસ્ટમાં તેમણે લખ્યું છે, जो लोग पंचायत के चुनाव भी नहीं जीत सकते,वो लोग परदे के पीछे से कांग्रेस पार्टी चला रहे है।....चार-पाँच लोंगो नें चक्रव्युह बना के पार्टी आलाकमान को जनता से विमुख कर दिया है।.... जनभावना को समझने में नाकाम पार्टी ज्यादा दिन टिकेगी नहीं।... એટલે અર્જુન મોઢવાડિયા કોંગ્રેસના પતનની વાતો કરી રહ્યાં હોય તેવું લાગે... 

લોકસભા ચૂંટણીનું પરિણામ આવે એની પહેલા જ... 

તેમણે બીજી એક પોસ્ટમાં લખ્યું કે. कांग्रेस के पार्ट टाइम पॉलिटिशियनो के लिए 6 जुन की टिकट बुक हो चुकी है।.... 4 जुन को चुनाव के नतीजे आएंगे।.... 5 जुन को खड़गे जी पर हार का ठीकरा फोड़ा जाएगा।....6 जुन को छुट्टी मनाने विदेश निकल जाएंगे।इन पार्ट टाइम पॉलिटिशियनो नें कांग्रेस को विपक्ष के लायक भी नहीं रहने दिया।...... એટલે અર્જુનભાઈએ તો લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા જ કોંગ્રેસ માટે આગાહી કરી દીધી,, એ પરિણામ પછી શું થશે એની વિગતો સાથે.. 


શક્તિસિંહ ગોહિલ તેમજ મુકુલ વાસનિકે કહ્યું કે... 

મહત્વનું છે કે ગુજરાતમાં કોંગ્રેસ સારૂં પ્રદર્શન કરશે તેવી વાતો અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે.. થોડા સમય પહેલા  શક્તિસિંહે તો કહ્યું કે કોંગ્રેસ 4 સીટ જીતશે, મુકુલ વાસનિકે કહ્યું, કે 10થી વધારે સીટ કોંગ્રેસ જીતશે.. ત્યારે સૌની નજર ચોથી જૂન પર છે જ્યારે પરિણામ જાહેર થવાનું છે.. તે વખતે કોનો આશાવાદ સાચો સાબિત થાય છે તે જોવું રહ્યું...  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે