ગોવા રબારીને પક્ષપલટાનું મળ્યું ઈનામ, ભાજપમાં જોડાયા બાદ ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે વરણી થઈ


  • Published By :
  • Published Date : 2023-07-10 13:38:49

ડીસા કોંગ્રેસના અગ્રણી નેતા અને પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ ભગવો ખેસ ધારણ કર્યા બાદ નસીબનું પાદડું ફર્યું છે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા ગોવા રબારીને ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. ભાજપે ગોવાભાઈ રબારીને મેન્ડેડ આપતા ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી. આ સાથે જ ડીસા માર્કેટયાર્ડમાં દશ વર્ષના વનવાસ બાદ ગોવાભાઈની ફરી એન્ટ્રી થઈ છે. 


ભાજપનું સમર્થન કામ કરી ગયું

 

અત્રે ઉલ્લેખનિય છે કે ગોવાભાઈ રબારી ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બને તે માટે જિલ્લા ભાજપ પ્રમુખે બેઠકમાં મેન્ડેડનું અનાદર ન કરવા ડીરેક્ટરોને સૂચના આપી હતી. ત્યારે હવે ડીસા માર્કેટયાર્ડની કમાન કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં આવનાર ગોવા રબારીને સોંપવામાં આવી છે. ડીસા માર્કેટ યાર્ડના16 ડિરેક્ટરોએ સર્વાનુમતે ચેરમેન વાઈસ ચેરમેનની વરણી કરી હતી. આ પ્રસંગે ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા,ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ગોવાભાઇ રબારી કોગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. ગોવાભાઇ રબારી અગાઉ 15 વર્ષ સુધી માર્કેટ યાર્ડના ચેરમેન રહી ચૂક્યા છે.


કોણ છે ગોવાભાઈ રબારી?


ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડા ગામના રહેવાસી છે. ગોવાભાઈ દેસાઈ માત્ર બનાસકાંઠા જ નહીં પણ સમગ્ર ઉત્તર ગુજરાતમાં રબારી સમાજના અગ્રણી છે. ડીસા અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઇ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગોવાભાઈ રબારી 35 વર્ષથી કૉંગ્રેસ સાથે જોડાયેલા હતા. તેમણે સાત વખત કૉંગ્રેસમાંથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ધાનેરામાં 1995માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા હતા. દિયોદરમાંથી ભાજપના ઉમેદવાર સામે તેઓને એક વખત હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ ડીસાથી બે વખત કૉંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગોવાભાઈ રબારી ડીસાના કુચાવાડાના રહેવાસી છે. તે સિવાય તેઓ ગામના સરપંચ અને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પણ રહી ચૂક્યા છે.  ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે તેમના પુત્ર સંજય રબારીને હાર મળી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.