જન્માષ્ટમીના દિવસે જન્મ થયો છે તેવા અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભાજપના નેતાનો પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:30:39

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોતાનો પ્રચાર કરવા પોલિટિક્લ પાર્ટી એડીચોટીનું જોર લગાવતા હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલના નિવેદન પર ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલે કહ્યું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે. તેમના આ નિવેદન પર ભાજપના નેતા હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા કહ્યું કે 16 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી જ નહીં. 

ભાજપના નેતાએ અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક વિવાદિત નિવેદનો સામે આવતા હોય છે. અથવા તો નિવેદનો પર વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલના પ્રવાસને લઈને હંગામો થયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે પોતાનો પક્ષ મુકતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ત્યારે તેમની જન્મ તિથીને લઈ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલના નિવેદનને ખોટું પાડવા કર્યો પ્રયાસ   

હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા જણાવ્યું કે શું તેમે ગુજરાતની જનતાને મુર્ખ માનો છો? તમારો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ થયો હતો અને તે વર્ષે જન્માષ્ટમી 15 ઓગસ્ટના રોજ હતી. મત માટે પોતાને કૃષ્ણભક્ત તરીકે બતાવવા માટે કાંઈપણ!!  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .