જન્માષ્ટમીના દિવસે જન્મ થયો છે તેવા અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભાજપના નેતાનો પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:30:39

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોતાનો પ્રચાર કરવા પોલિટિક્લ પાર્ટી એડીચોટીનું જોર લગાવતા હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલના નિવેદન પર ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલે કહ્યું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે. તેમના આ નિવેદન પર ભાજપના નેતા હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા કહ્યું કે 16 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી જ નહીં. 

ભાજપના નેતાએ અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક વિવાદિત નિવેદનો સામે આવતા હોય છે. અથવા તો નિવેદનો પર વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલના પ્રવાસને લઈને હંગામો થયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે પોતાનો પક્ષ મુકતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ત્યારે તેમની જન્મ તિથીને લઈ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલના નિવેદનને ખોટું પાડવા કર્યો પ્રયાસ   

હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા જણાવ્યું કે શું તેમે ગુજરાતની જનતાને મુર્ખ માનો છો? તમારો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ થયો હતો અને તે વર્ષે જન્માષ્ટમી 15 ઓગસ્ટના રોજ હતી. મત માટે પોતાને કૃષ્ણભક્ત તરીકે બતાવવા માટે કાંઈપણ!!  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે