જન્માષ્ટમીના દિવસે જન્મ થયો છે તેવા અરવિંદ કેજરીવાલના નિવેદન પર ભાજપના નેતાનો પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-09 11:30:39

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. પોતાનો પ્રચાર કરવા પોલિટિક્લ પાર્ટી એડીચોટીનું જોર લગાવતા હોય છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ જોર-શોરથી ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલના નિવેદન પર ફરી એક વખત રાજનીતિ ગરમાઈ છે. કેજરીવાલે કહ્યું કે તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે. તેમના આ નિવેદન પર ભાજપના નેતા હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા કહ્યું કે 16 ઓગસ્ટ 1968ના રોજ જન્માષ્ટમી હતી જ નહીં. 

ભાજપના નેતાએ અરવિંદ કેજરીવાલ પર કર્યા પ્રહાર 

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા અનેક વિવાદિત નિવેદનો સામે આવતા હોય છે. અથવા તો નિવેદનો પર વિવાદ છેડાઈ જતો હોય છે. ત્યારે આપનો પ્રચાર કરવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. કેજરીવાલના પ્રવાસને લઈને હંગામો થયો હતો. પોસ્ટર લગાવી તેમને હિંદુ વિરોધી દર્શાવવામાં આવ્યા હતા. ત્યારે પોતાનો પક્ષ મુકતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ત્યારે તેમની જન્મ તિથીને લઈ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

કેજરીવાલના નિવેદનને ખોટું પાડવા કર્યો પ્રયાસ   

હરીશ ખુરાનાએ ટ્વિટ કરતા જણાવ્યું કે શું તેમે ગુજરાતની જનતાને મુર્ખ માનો છો? તમારો જન્મ 16 ઓગસ્ટ 1968ના રોજ થયો હતો અને તે વર્ષે જન્માષ્ટમી 15 ઓગસ્ટના રોજ હતી. મત માટે પોતાને કૃષ્ણભક્ત તરીકે બતાવવા માટે કાંઈપણ!!  




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .