Parliamentમાં BJP નેતા Narayan Raneના નિવેદનના કારણે મચ્યો હોબાળો! વીડિયો ટ્વિટ કરી AAPએ પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-09 09:40:28

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં સાંસદો દ્વારા જે નિવેદનો આપવામાં આવે છે તેને જોઈને લાગે કે શું સંસદમાં માન મર્યાદામાં રાખી  બોલાવાનું જાણે સાંસદો ભૂલી ગયા હોય. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે સિરિયલને બદલે જો તમે સંસદનો કોઈ પણ વીડિયો જોઈ લેશો તો મનોરંજન પૂરૂ પડી જશે. આમ તો અમારે આવું ન કહેવું જોઈએ, પરંતુ સંસદમાં જે પ્રમાણે સાંસદો નિવેદનો આપે છે તેને જોઈને આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય, 

સાંસદોના નિવેદનો સાંભળી લાગે કે આપણે સિરીયલ જોઈ રહ્યા છીએ! 

જે વીડિયો ઉપર મૂકવામાં આવ્યો છે તે વીડિયો કોઈ ફિલ્મનોનથી, એ કોઈ ટીવી સીરિયલનો વીડિયો નથી, ભાષા જોઈને તમને લાગ્યું હશે કે આ કોઈ વેબસિરિઝનો વીડિયો હશે, પરંતુ ના આ વીડિયો વેબસિરિઝનો પણ નથી. આ વીડિયો છે સંસદનો, એ સંસદ જેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે ત્યાં આવા પ્રકારના નિવેદનો આપવા શોભા નથી દેતા. સંસદમાં કેન્દ્ર સરકારના મંત્રી નારાયણ રાણેએ એવું નિવેદન આપ્યું છે તેની નિંદા થઈ રહી છે. કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેએ પોતાના નિવેદનમાં શિવસેના (યુબીટી) પર પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તે ઓકાત બતાવવાની વાત કરી રહ્યા છે. 

ઉદ્ધવ ગ્રુપ પર નારાયણ રાણેએ આકરા પ્રહાર કર્યા

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શિવસેનાના ઉદ્ધવ ગ્રુપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉદ્ધવ સેનાને તેની સ્થિતિ બતાવવા માટે પણ કહ્યું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવાનો ઉદ્ધવ ગૃપની શિવસેનાને કોઈ અધિકાર નથી. આ દરમિયાન સ્પીકરની ખુરશી પર બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે પણ નારાયણ રાણેને અટકાવ્યા અને તેમને અંગત ટિપ્પણીઓ ટાળવાની સલાહ આપી. 



આપનો સવાલ - શું ભાજપના નેતાને સસ્પેન્ડ કરાશે?

મહત્વનું છે કે પોતાના નિવેદનનોને કારણે, ટિપ્પણીને કારણે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે શું ભાજપના મંત્રીને નફરતભર્યા ભાષણ માટે સસ્પેન્ડ કરવામાં આવશે? મોદીજીના મંત્રી નારાયણ રાણે સંસદમાં કોઈ ગલીના ગુંડાની જેમ ધમકી આપી રહ્યા છે. મોદી સરકરાને માત્ર પ્રશ્ન પૂછવા પર સાંસદને તરત સસ્પેન્ડ કરવામાં આવે છે. શું અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ બીજેપીના મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવશે? શિવસેના પર હુમલો હકીકતમાં, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના પર હુમલો કર્યો હતો. 



સંસદને સાંસદો એક બીજા સાથે ઝઘડવાનું મંચ માને છે!   

એક સમય હતો એ સંસદનો જ્યારે તેમાં જવાહર લાલ નેહરુ અને અટલ બિહારી બાજપેયી જેવા લોકોના ભાષણો ચાલતા હતા જેણે દેશના આ લોકતંત્રની ઈજ્જત કરી અને દેશના લોકતંત્રની સ્થિતિ જાળવી રાખી, પણ અત્યારની સ્થિતિ એવી છે કે જેવું તમે સંસદ ટીવી શરૂ કરો અથવા સંસદ ટીવી ડિજિટલ મીડિયા પર જુઓ તો નેતાઓ કૂતરા બિલાડાની જેમ ઝઘડી રહ્યા છે. અરે ભાઈ તમારે ઝઘડવું જ હોય અને તમને મજા જ આવતી હોય તો સંસદ બહાર ઝઘડોને... તમારી રાજનીતિથી પવિત્ર લોકતંત્રના સદનને દુષિત ન કરો. સંસદમાં બગડતી ભાષા અંગે તમારૂં શું કહેવું છે?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.