Parliamentમાં BJP નેતા Narayan Raneના નિવેદનના કારણે મચ્યો હોબાળો! વીડિયો ટ્વિટ કરી AAPએ પૂછ્યા આ સવાલ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-09 09:40:28

સંસદમાં હાલ ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં સાંસદો દ્વારા જે નિવેદનો આપવામાં આવે છે તેને જોઈને લાગે કે શું સંસદમાં માન મર્યાદામાં રાખી  બોલાવાનું જાણે સાંસદો ભૂલી ગયા હોય. અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે સિરિયલને બદલે જો તમે સંસદનો કોઈ પણ વીડિયો જોઈ લેશો તો મનોરંજન પૂરૂ પડી જશે. આમ તો અમારે આવું ન કહેવું જોઈએ, પરંતુ સંસદમાં જે પ્રમાણે સાંસદો નિવેદનો આપે છે તેને જોઈને આવું કહીએ તો અતિશયોક્તિ ન કહેવાય, 

સાંસદોના નિવેદનો સાંભળી લાગે કે આપણે સિરીયલ જોઈ રહ્યા છીએ! 

જે વીડિયો ઉપર મૂકવામાં આવ્યો છે તે વીડિયો કોઈ ફિલ્મનોનથી, એ કોઈ ટીવી સીરિયલનો વીડિયો નથી, ભાષા જોઈને તમને લાગ્યું હશે કે આ કોઈ વેબસિરિઝનો વીડિયો હશે, પરંતુ ના આ વીડિયો વેબસિરિઝનો પણ નથી. આ વીડિયો છે સંસદનો, એ સંસદ જેને લોકશાહીનું મંદિર કહેવામાં આવે છે ત્યાં આવા પ્રકારના નિવેદનો આપવા શોભા નથી દેતા. સંસદમાં કેન્દ્ર સરકારના મંત્રી નારાયણ રાણેએ એવું નિવેદન આપ્યું છે તેની નિંદા થઈ રહી છે. કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેએ પોતાના નિવેદનમાં શિવસેના (યુબીટી) પર પ્રહાર કર્યા છે. પોતાના નિવેદનમાં તે ઓકાત બતાવવાની વાત કરી રહ્યા છે. 

ઉદ્ધવ ગ્રુપ પર નારાયણ રાણેએ આકરા પ્રહાર કર્યા

લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ શિવસેનાના ઉદ્ધવ ગ્રુપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ઉદ્ધવ સેનાને તેની સ્થિતિ બતાવવા માટે પણ કહ્યું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ કરવાનો ઉદ્ધવ ગૃપની શિવસેનાને કોઈ અધિકાર નથી. આ દરમિયાન સ્પીકરની ખુરશી પર બેઠેલા રાજેન્દ્ર અગ્રવાલે પણ નારાયણ રાણેને અટકાવ્યા અને તેમને અંગત ટિપ્પણીઓ ટાળવાની સલાહ આપી. 



આપનો સવાલ - શું ભાજપના નેતાને સસ્પેન્ડ કરાશે?

મહત્વનું છે કે પોતાના નિવેદનનોને કારણે, ટિપ્પણીને કારણે અનેક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ સરકાર પર પ્રહાર કર્યા છે. ટ્વિટ કરી તેમણે લખ્યું કે શું ભાજપના મંત્રીને નફરતભર્યા ભાષણ માટે સસ્પેન્ડ કરવામાં આવશે? મોદીજીના મંત્રી નારાયણ રાણે સંસદમાં કોઈ ગલીના ગુંડાની જેમ ધમકી આપી રહ્યા છે. મોદી સરકરાને માત્ર પ્રશ્ન પૂછવા પર સાંસદને તરત સસ્પેન્ડ કરવામાં આવે છે. શું અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ બીજેપીના મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવશે? શિવસેના પર હુમલો હકીકતમાં, કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન શિવસેના પર હુમલો કર્યો હતો. 



સંસદને સાંસદો એક બીજા સાથે ઝઘડવાનું મંચ માને છે!   

એક સમય હતો એ સંસદનો જ્યારે તેમાં જવાહર લાલ નેહરુ અને અટલ બિહારી બાજપેયી જેવા લોકોના ભાષણો ચાલતા હતા જેણે દેશના આ લોકતંત્રની ઈજ્જત કરી અને દેશના લોકતંત્રની સ્થિતિ જાળવી રાખી, પણ અત્યારની સ્થિતિ એવી છે કે જેવું તમે સંસદ ટીવી શરૂ કરો અથવા સંસદ ટીવી ડિજિટલ મીડિયા પર જુઓ તો નેતાઓ કૂતરા બિલાડાની જેમ ઝઘડી રહ્યા છે. અરે ભાઈ તમારે ઝઘડવું જ હોય અને તમને મજા જ આવતી હોય તો સંસદ બહાર ઝઘડોને... તમારી રાજનીતિથી પવિત્ર લોકતંત્રના સદનને દુષિત ન કરો. સંસદમાં બગડતી ભાષા અંગે તમારૂં શું કહેવું છે?



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.