અરવલ્લીમાં નેતાજીના પુત્રએ શસ્ત્રપૂજાના દિવસે ફાયરિંગ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:10:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને લાગી રહ્યું છે કે ભાજપ નેતાના પુત્રો જ ભાજપ નેતાઓના રાજકીય કારકિર્દી પર લાલ ચોકડી મારવા તલપાપડ છે. જૂનાગઢના ભાજપના નેતાએ ગઈકાલે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આજે અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખના પુત્રએ ફાયરિંગ કર્યાના સમાચાર આવી રહ્યા છે. 


દશેરા પર ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો 

અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર વીરભદ્રસિંહે ફેસબુક પર એક વીડિયો મૂક્યો છે. દશેરાના દિવસે વીરભદ્રસિંહે બંદૂકથી ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. આ વીડિયોમાં ભાજપના નેતાનો પુત્ર શસ્ત્રપૂજાના દિવસે શસ્ત્રથી પોતાની રાજકીય શક્તિનું પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. 

આવા લોકોની દબંગાઈ ક્યારે બંધ થશે?

આજે વિજયા દશમીનો પાવન પર્વ છે. આજના જ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યની વિજયને પ્રસ્થાપિત કરી હતી. પરંતુ આવા કળિયુગના કાયદાઓથી ના ચાલતા લોકોની નેતાગીરી કે દાદાગીરી ક્યારે રોકાશે? ભારતીય સંસ્કૃતિમાં પૂજાનું એક આધ્યાત્મિક મહત્વ રહ્યું છે. આજના દિવસે રાજપૂતો પોતાના શસ્ત્રોની પૂજા કરે છે. જી હાં! પૂજા કરે છે.. પરંતુ અહીં તો શસ્ત્રોનું પ્રદર્શન થઈ રહ્યું છે. આવા લોકોને કાયદાનો કોઈ જ ડર નથી હોતો. તેમને એવું હોય છે કે કાયદો તો અમારી પગની પાનીએ છે. આથી આવા પોલીસને લલકારવાના કૃત્યો કરતા ફરતા હોય છે. પોતાની દબંગાઈ અને વર્ચસ્વની મદિરામાં મસ્ત લોકોને કાયદો અને વ્યવસ્થાનો સ્વાદ ચખાડવામાં આવશે કે પિતા ભાજપમાં છે માટે કોઈ કાર્યવાહી નહીં થાય તે હવે જોવાનું રહેશે.  



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.