અરવલ્લીમાં નેતાજીના પુત્રએ શસ્ત્રપૂજાના દિવસે ફાયરિંગ કર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 17:10:54

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને લાગી રહ્યું છે કે ભાજપ નેતાના પુત્રો જ ભાજપ નેતાઓના રાજકીય કારકિર્દી પર લાલ ચોકડી મારવા તલપાપડ છે. જૂનાગઢના ભાજપના નેતાએ ગઈકાલે એક યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારે આજે અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખના પુત્રએ ફાયરિંગ કર્યાના સમાચાર આવી રહ્યા છે. 


દશેરા પર ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો 

અરવલ્લી જિલ્લા પંચાયતના ભાજપના પ્રમુખ લાલસિંહ ચૌહાણના પુત્ર વીરભદ્રસિંહે ફેસબુક પર એક વીડિયો મૂક્યો છે. દશેરાના દિવસે વીરભદ્રસિંહે બંદૂકથી ફાયરિંગ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં મૂક્યો છે. આ વીડિયોમાં ભાજપના નેતાનો પુત્ર શસ્ત્રપૂજાના દિવસે શસ્ત્રથી પોતાની રાજકીય શક્તિનું પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. 

આવા લોકોની દબંગાઈ ક્યારે બંધ થશે?

આજે વિજયા દશમીનો પાવન પર્વ છે. આજના જ દિવસે ભગવાન શ્રીરામે રાવણનો વધ કરીને અસત્ય પર સત્યની વિજયને પ્રસ્થાપિત કરી હતી. પરંતુ આવા કળિયુગના કાયદાઓથી ના ચાલતા લોકોની નેતાગીરી કે દાદાગીરી ક્યારે રોકાશે? ભારતીય સંસ્કૃતિમાં પૂજાનું એક આધ્યાત્મિક મહત્વ રહ્યું છે. આજના દિવસે રાજપૂતો પોતાના શસ્ત્રોની પૂજા કરે છે. જી હાં! પૂજા કરે છે.. પરંતુ અહીં તો શસ્ત્રોનું પ્રદર્શન થઈ રહ્યું છે. આવા લોકોને કાયદાનો કોઈ જ ડર નથી હોતો. તેમને એવું હોય છે કે કાયદો તો અમારી પગની પાનીએ છે. આથી આવા પોલીસને લલકારવાના કૃત્યો કરતા ફરતા હોય છે. પોતાની દબંગાઈ અને વર્ચસ્વની મદિરામાં મસ્ત લોકોને કાયદો અને વ્યવસ્થાનો સ્વાદ ચખાડવામાં આવશે કે પિતા ભાજપમાં છે માટે કોઈ કાર્યવાહી નહીં થાય તે હવે જોવાનું રહેશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.