રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતી મુદ્દે ડૉ. ભરત કાનાબારના વેધક સવાલ, ટ્વિટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને પણ ટેગ કર્યું


  • Published By :
  • Published Date : 2023-06-02 15:32:48

ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર તેમની ટ્વીટ દ્વારા અવારનવાર રાજ્ય સરકારના કાન આબળતા રહે છે.  ભરત કાનાબારની ટ્વીટથી ઘણી વખત વિવાદો પણ સર્જાતા રહે છે. તેમ છતાં તેઓ નિર્ભયતાથી  તેમના વિચારો રજુ કરતા રહે છે. હવે ફરી એક વખત તેઓ મેદાને આવ્યા છે. આ વખતે તેમણે રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતીને લઈ રાજ્ય સરકારને નિશાન બનાવી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને PM મોદીના ખાસ વિશ્વાસુ ભરત કાનાબારની આ ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ તેમણે PM નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને ટ્વિટ ટેગ પણ કર્યું છે.


રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર?


ભાજપના જ નેતા ડૉ. ભરત કાનાબારે સવાલો કરતાં ખળભળાટ મચ્યો છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબારે એક બાદ એક એમ બી ટ્વિટ કરી અને 'શિક્ષણનું શીર્ષાસન' સીરિઝ ટ્વિટ કરી છે. જેમાં તેમણે ખાનગી ટ્યુશનને લઈ સવાલો કર્યા છે. આ સાથે જ તેમણે અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે આ સાથે રાજ્યમાં ચાલતી ભૂતિયા શાળાનો પણ ખુલાસો કર્યો છે. તેમણે તેમના પહેલા ટ્વીટમાં લખ્યું છે કે એક જમાનો હતો જયારે વાલી પોતાના બાળકને ખાનગી ટ્યુશન રખાવવું પડ્યું હોય તો શરમને કારણે આ વાતની બીજાને ખબર ના પડે તેનું ધ્યાન રાખતા. આજે તો વાલીઓ પોતાનું બાળક કયા પ્રાઇવેટ ક્લાસીસમાં જાય છે તેની વાત ગર્વભેર કહેતા ફરે છે. જ્યારે બીજા ટ્વીટમાં  તેમણે લખ્યું કે વિદ્યાર્થી એડમિશન લે “ભૂતિયા” શાળામાં, શાળામાં ગયા વગર તેની હાજરી પુરાય જાય અને ભણવાનું ટ્યુશન ક્લાસમાં ! શાળાની અને ટ્યુશન ક્લાસની ફીનો બેવડો ભાર લાચાર વાલીઓને શિરે !! શાળા અને ટ્યુશન ક્લાસોની આ છડે ચોક ચાલતી લિવ ઈન રિલેશનશિપ સામે તંત્રના આંખ આડા કાન !!!



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.