રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતી મુદ્દે ડૉ. ભરત કાનાબારના વેધક સવાલ, ટ્વિટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને પણ ટેગ કર્યું


  • Published By :
  • Published Date : 2023-06-02 15:32:48

ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર તેમની ટ્વીટ દ્વારા અવારનવાર રાજ્ય સરકારના કાન આબળતા રહે છે.  ભરત કાનાબારની ટ્વીટથી ઘણી વખત વિવાદો પણ સર્જાતા રહે છે. તેમ છતાં તેઓ નિર્ભયતાથી  તેમના વિચારો રજુ કરતા રહે છે. હવે ફરી એક વખત તેઓ મેદાને આવ્યા છે. આ વખતે તેમણે રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતીને લઈ રાજ્ય સરકારને નિશાન બનાવી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને PM મોદીના ખાસ વિશ્વાસુ ભરત કાનાબારની આ ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ તેમણે PM નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને ટ્વિટ ટેગ પણ કર્યું છે.


રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર?


ભાજપના જ નેતા ડૉ. ભરત કાનાબારે સવાલો કરતાં ખળભળાટ મચ્યો છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબારે એક બાદ એક એમ બી ટ્વિટ કરી અને 'શિક્ષણનું શીર્ષાસન' સીરિઝ ટ્વિટ કરી છે. જેમાં તેમણે ખાનગી ટ્યુશનને લઈ સવાલો કર્યા છે. આ સાથે જ તેમણે અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે આ સાથે રાજ્યમાં ચાલતી ભૂતિયા શાળાનો પણ ખુલાસો કર્યો છે. તેમણે તેમના પહેલા ટ્વીટમાં લખ્યું છે કે એક જમાનો હતો જયારે વાલી પોતાના બાળકને ખાનગી ટ્યુશન રખાવવું પડ્યું હોય તો શરમને કારણે આ વાતની બીજાને ખબર ના પડે તેનું ધ્યાન રાખતા. આજે તો વાલીઓ પોતાનું બાળક કયા પ્રાઇવેટ ક્લાસીસમાં જાય છે તેની વાત ગર્વભેર કહેતા ફરે છે. જ્યારે બીજા ટ્વીટમાં  તેમણે લખ્યું કે વિદ્યાર્થી એડમિશન લે “ભૂતિયા” શાળામાં, શાળામાં ગયા વગર તેની હાજરી પુરાય જાય અને ભણવાનું ટ્યુશન ક્લાસમાં ! શાળાની અને ટ્યુશન ક્લાસની ફીનો બેવડો ભાર લાચાર વાલીઓને શિરે !! શાળા અને ટ્યુશન ક્લાસોની આ છડે ચોક ચાલતી લિવ ઈન રિલેશનશિપ સામે તંત્રના આંખ આડા કાન !!!



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.