રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતી મુદ્દે ડૉ. ભરત કાનાબારના વેધક સવાલ, ટ્વિટ શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને પણ ટેગ કર્યું


  • Published By :
  • Published Date : 2023-06-02 15:32:48

ભાજપના નેતા ડૉ. ભરત કાનાબાર તેમની ટ્વીટ દ્વારા અવારનવાર રાજ્ય સરકારના કાન આબળતા રહે છે.  ભરત કાનાબારની ટ્વીટથી ઘણી વખત વિવાદો પણ સર્જાતા રહે છે. તેમ છતાં તેઓ નિર્ભયતાથી  તેમના વિચારો રજુ કરતા રહે છે. હવે ફરી એક વખત તેઓ મેદાને આવ્યા છે. આ વખતે તેમણે રાજ્યમાં શિક્ષણની કથળેલી સ્થિતીને લઈ રાજ્ય સરકારને નિશાન બનાવી છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ અને PM મોદીના ખાસ વિશ્વાસુ ભરત કાનાબારની આ ટ્વીટથી ખળભળાટ મચી ગયો છે. આ સાથે જ તેમણે PM નરેન્દ્ર મોદી અને શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરને ટ્વિટ ટેગ પણ કર્યું છે.


રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા પર પ્રહાર?


ભાજપના જ નેતા ડૉ. ભરત કાનાબારે સવાલો કરતાં ખળભળાટ મચ્યો છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ ડૉ. ભરત કાનાબારે એક બાદ એક એમ બી ટ્વિટ કરી અને 'શિક્ષણનું શીર્ષાસન' સીરિઝ ટ્વિટ કરી છે. જેમાં તેમણે ખાનગી ટ્યુશનને લઈ સવાલો કર્યા છે. આ સાથે જ તેમણે અનેક સવાલો ઊભા કર્યા છે. જોકે આ સાથે રાજ્યમાં ચાલતી ભૂતિયા શાળાનો પણ ખુલાસો કર્યો છે. તેમણે તેમના પહેલા ટ્વીટમાં લખ્યું છે કે એક જમાનો હતો જયારે વાલી પોતાના બાળકને ખાનગી ટ્યુશન રખાવવું પડ્યું હોય તો શરમને કારણે આ વાતની બીજાને ખબર ના પડે તેનું ધ્યાન રાખતા. આજે તો વાલીઓ પોતાનું બાળક કયા પ્રાઇવેટ ક્લાસીસમાં જાય છે તેની વાત ગર્વભેર કહેતા ફરે છે. જ્યારે બીજા ટ્વીટમાં  તેમણે લખ્યું કે વિદ્યાર્થી એડમિશન લે “ભૂતિયા” શાળામાં, શાળામાં ગયા વગર તેની હાજરી પુરાય જાય અને ભણવાનું ટ્યુશન ક્લાસમાં ! શાળાની અને ટ્યુશન ક્લાસની ફીનો બેવડો ભાર લાચાર વાલીઓને શિરે !! શાળા અને ટ્યુશન ક્લાસોની આ છડે ચોક ચાલતી લિવ ઈન રિલેશનશિપ સામે તંત્રના આંખ આડા કાન !!!



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.