મતદારને આકર્ષવા માટે BJPના નેતાઓએ અપનાવ્યો ભક્તિનો માર્ગ! Vijapur વિધાનસભાના C J Chavda અને Jairajsinh Parmarએ અનોખી રીતે કર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-05-05 16:46:18

ગુજરાતમાં લોકસભા બેઠકો માટે તો મતદાન થવાનું છે પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે... જનતા સુધી પહોચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે ઉમેદવારો દ્વારા. અવનવા પ્રયોગો કરાઈ રહ્યા છે.. ત્યારે વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો..

મતદાર સાથે જોડાવા અપનાવાય છે અનોખા રસ્તા 

ચૂંટણી વખતે નેતાઓ માટે મતદાર ભગવાન સમાન હોય છે...! મત રૂપી આશીર્વાદ નેતાઓને મળે તેવી આશા તે રાખતા હોય છે.. મતદારને રિઝવવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે ઉમેદવાર દ્વારા. પ્રચાર દરમિયાન કોઈ ઉમેદવાર બળદગાડામાં દેખાય છે તો કોઈ વખત ઉમેદવાર ટ્રેક્ટર પર સવાર થયેલો દેખાય છે.. સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયોગ નેતાઓ કરતા હોય છે.. ત્યારે પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર દ્વારા નવો જ રસ્તો અપનાવવામાં આવ્યો છે.. 




મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ભજનનો રખાયો કાર્યક્રમ

વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. જ રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે... 




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.