મતદારને આકર્ષવા માટે BJPના નેતાઓએ અપનાવ્યો ભક્તિનો માર્ગ! Vijapur વિધાનસભાના C J Chavda અને Jairajsinh Parmarએ અનોખી રીતે કર્યો પ્રચાર


  • Published By :
  • Published Date : 2024-05-05 16:46:18

ગુજરાતમાં લોકસભા બેઠકો માટે તો મતદાન થવાનું છે પરંતુ વિધાનસભાની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી પણ યોજાવાની છે... જનતા સુધી પહોચવા માટે અલગ અલગ રસ્તાઓ અપનાવવામાં આવી રહ્યા છે ઉમેદવારો દ્વારા. અવનવા પ્રયોગો કરાઈ રહ્યા છે.. ત્યારે વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો..

મતદાર સાથે જોડાવા અપનાવાય છે અનોખા રસ્તા 

ચૂંટણી વખતે નેતાઓ માટે મતદાર ભગવાન સમાન હોય છે...! મત રૂપી આશીર્વાદ નેતાઓને મળે તેવી આશા તે રાખતા હોય છે.. મતદારને રિઝવવા માટે અવનવા પ્રયોગો કરવામાં આવે છે ઉમેદવાર દ્વારા. પ્રચાર દરમિયાન કોઈ ઉમેદવાર બળદગાડામાં દેખાય છે તો કોઈ વખત ઉમેદવાર ટ્રેક્ટર પર સવાર થયેલો દેખાય છે.. સામાન્ય લોકો સાથે જોડાવાનો પ્રયોગ નેતાઓ કરતા હોય છે.. ત્યારે પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર દ્વારા નવો જ રસ્તો અપનાવવામાં આવ્યો છે.. 




મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયમાં ભજનનો રખાયો કાર્યક્રમ

વિજાપુર વિધાનસભાના બીજેપી નેતા સી.જે.ચાવડા અને જયરાજસિંહ પરમાર દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે. જ રાત્રે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયે સમગ્ર વિસ્તારના મહિલા ભજન મંડળો બોલાવી સત્સંગનો કાર્યક્રમ યોજ્યો હતો.. મહત્વનું છે કે ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે કારણ કે ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે... 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.