ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપના નેતાઓ કરી રહ્યા છે આપ અને કોંગ્રેસ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 10:20:07

ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ખેડાના માતર જિલ્લામાં ઉપસ્થિત ગોરધન ઝડફિયાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે અરવિંદ કેજરીવાલ તેમજ રેવડી કલ્ચરને લઈ ટિપ્પણી કરી હતી. સાથે સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.    

આમ આદમી પાર્ટી તેમજ કેજરીવાલ પર કર્યા પ્રહાર

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતને ભાજપનું ગઢ ગણવામાં આવે છે. ત્યારે 2022 વિધાનસભામાં પણ ગુજરાતમાં કમલ ખીલે તે માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતું રહે છે. ત્યારે ગોરધન ઝડફિયાએ પણ પોતાના સંબોધનમાં કોંગ્રેસ તેમજ આપ પર નિશાન સાધ્યું હતું. આપ પર પ્રહાર કરતા કહ્યું કે અહીંયા મફતની રેવડી વહેવચા આવી રહ્યા છે, એમને પૂછો અહીં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે? 


ગુજરાતમાં આપની એક પણ સીટ નહીં આવે - ઝડફિયા 

વધુમાં તેમણે કહ્યું કે તમારા તો 6 મંત્રીઓ જેલમાં છે. બીજાની જેલમાં જવાની તૈયારી છે. શરમ નથી આવતી ગુજરાતમાં મફતનું આપવાની વાત કરો છો? એનો વાંધો નથી. ગુજરાતમાં એક સીટ નહીં આવે જેટલી તાકાત લગવી હોય તેટલી લગાવી લો. ઉપરાંત કોંગ્રેસ તો ક્યાંય દેખાતી નથી. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે