ગુજરાત ગૌરવ યાત્રાનો સહારો લઈ ભાજપના નેતાઓ કરી રહ્યા છે આપ અને કોંગ્રેસ પર પ્રહાર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 10:20:07

ગુજરાત ગૌરવ યાત્રા કરી ભાજપનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાની ઉપસ્થિતિમાં ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે ખેડાના માતર જિલ્લામાં ઉપસ્થિત ગોરધન ઝડફિયાએ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના ભાષણમાં તેમણે અરવિંદ કેજરીવાલ તેમજ રેવડી કલ્ચરને લઈ ટિપ્પણી કરી હતી. સાથે સાથે કોંગ્રેસ પર પણ શાબ્દિક પ્રહાર કર્યા હતા.    

આમ આદમી પાર્ટી તેમજ કેજરીવાલ પર કર્યા પ્રહાર

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાતને ભાજપનું ગઢ ગણવામાં આવે છે. ત્યારે 2022 વિધાનસભામાં પણ ગુજરાતમાં કમલ ખીલે તે માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતું રહે છે. ત્યારે ગોરધન ઝડફિયાએ પણ પોતાના સંબોધનમાં કોંગ્રેસ તેમજ આપ પર નિશાન સાધ્યું હતું. આપ પર પ્રહાર કરતા કહ્યું કે અહીંયા મફતની રેવડી વહેવચા આવી રહ્યા છે, એમને પૂછો અહીં ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપશે? 


ગુજરાતમાં આપની એક પણ સીટ નહીં આવે - ઝડફિયા 

વધુમાં તેમણે કહ્યું કે તમારા તો 6 મંત્રીઓ જેલમાં છે. બીજાની જેલમાં જવાની તૈયારી છે. શરમ નથી આવતી ગુજરાતમાં મફતનું આપવાની વાત કરો છો? એનો વાંધો નથી. ગુજરાતમાં એક સીટ નહીં આવે જેટલી તાકાત લગવી હોય તેટલી લગાવી લો. ઉપરાંત કોંગ્રેસ તો ક્યાંય દેખાતી નથી. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.