ભાજપનો દલા તરવાળીની વાડી જેવો હાલ, નેતાઓ પોતાની રીતે જ નક્કી કરી રહ્યા છે ટિકિટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:18:44

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને અત્યારે તાલુકાથી લઈને ગામો અને વોર્ડથી લઈને શેરીઓમાં એવી ચર્ચાઓ તેજ છે કે ટિકિટ કોને મળવાની છે. જો કે આ રેસમાં કોંગ્રેસ વધારે આગળ નથી,  કારણ કે ભાજપ વધતા ઓછા અંશે પણ નો રિપીટવાળી થીંગડા થિયરી અપનાવી શકે છે. થીંગડા એટલા માટે કે એમાં બાંધછોડ હોઇ શકે છે. એમ તો 60 વર્ષથી ઉપરની ઉંમર અને 3 ટર્મ કરતાં વધુ જીતેલાઓને ટિકિટ ન આપવાની વાતો થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. જે આગ લાગ્યા પહેલા જ ધૂમાડા સ્વરૂપે બહાર આવી રહી છે. એવામાં કોને કાપવા અને કોને લાવવા એ મુંજવણી ભાજપ હાઇકમાન્ડને સતાવી રહી છે. કારણ એ પણ છે કે એ આખું મંત્રીમંડળ જે રૂપાણી સરકારનું હતું શું એમાંથી કોઈને ટિકિટ અપાશે? શું એ બધાને ટિકિટ આપી દેવામાં આવશે? અને જો હા છે તો પણ ડખો... અને જો ના છે તો સમજો ઉકળતો ચરૂ....


પહેલા 

પાટીલે ચાણસ્માના ધારાસભ્યને કહ્યું હથિયારો તૈયાર રાખજો લડવાનું જ છે.

પાટીલે અલ્પેશ ઠાકોરને કહ્યું અલ્પેશ ઠાકોરને રાધનપુરથી જીતાડીશું

કુંવરજી બાવળિયાને કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર

રાજકોટમાં મહિલાઓના કાર્યક્રમાં કહ્યું સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપીશું


પછી 

પાટીલે કહ્યું ટિકિટ હું નથી આપતો 

ટિકિટ લેવા માટે ભેગા થઇને આવવાની જરૂર નથી

ટિકિટ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપે છે

અમિત શાહ કહે છે કે ઉમેદવારો સ્કાયલેબની જેમ નહીં આવે

પાર્ટીના સૂત્રો કહે છે કે ઉમેદવારોની પસંદગી માટે એજન્સીઓ ગુપ્ત સરવે કરે છે


તો કોનું ચાલશે બહેનના જૂથનું કે અમિત શાહનું? 

હવે માની લો કે પાટીલ અને શાહ જે કહે છે તેમ જ ટિકિટની વહેચણી થવાની છે તો રાજ્યના બે જૂના અને જાણીતા બે ચર્ચિત જૂથોનું શું થશે જેમાં એકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલનું છે, અને બીજું જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું છે. આ ચૂંટણીમાં હવે કોનો સિક્કો ફાવશે. રાજકીય સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે બહેનના એક સમયના ખાસ ગણાતા લોકો પણ હવે તેલ જૂઓ તેલની ધાર જૂઓના ન્યાયે આગળ વધી રહ્યા છે. તેવામાં જો 



જો 60 વર્ષ વર્ષથી વધુના કપાય તો?

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ચૂંટણી નહીં લડી શકે

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પણ ટિકિટ કપાઇ શકે

નાણા અને ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇનું પત્તું કપાઇ શકે 

નોંધ– જો કે પાટીલે આમાં પણ એક વર્ષ પહેલા કહ્યું હતું કે આ નિયમ ધારાસભ્યો માટે નથી


જો તદ્દન નવા ચહેરાઓ લાવવામાં આવે તો?

શિસ્તબદ્ધ અને કેડરબેઝ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં નિર્ણય લેવાયા બાદ એકદમ ખુલ્લીને બહાર આવતો બળવો ભાગ્યે જ જોવા મળે છે. પણ યુદ્ધ, પ્રેમ અને રાજનીતિમાં બધું જ સ્વીકાર્ય છે. એ જ ન્યાય સાથે પાર્ટી કોઇ પણ વિધાનસભા ક્ષેત્રમાં નવો ચહેરો પણ મેદાને ઉતારે છે તો ભાજપની સુરક્ષિત ગણાતી બેઠક પર બહુ લાંબી તકલીફ પડે એમ લાગતું નથી. પણ સિનિયરોની નારાજગીને ખાળવા ભાજપ કોઇ નવી રણનીતિ લાવશે એમાં કોઇ બે મત નથી. જેમ કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બે રાજ્યોના પ્રભારી બનાવી દેવામાં આવ્યા. પરંતુ પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાન કરવાની ફોર્મ્યુલા પણ ગુજરાતમાં જૂની છે અને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા બોલકા નેતાઓ તો ભાજપની સાથે છે એટલું જ પુરતું છે. એમને ટિકિટ આપવી જ પડે તેવી મજબૂરી હવે ભાજપની નથી રહી પરંતુ ભાજપ કોને ટિકિટ આપશે તે જોવાનું પણ એટલું જ રસપ્રદ રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.