ભાજપનો દલા તરવાળીની વાડી જેવો હાલ, નેતાઓ પોતાની રીતે જ નક્કી કરી રહ્યા છે ટિકિટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:18:44

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને અત્યારે તાલુકાથી લઈને ગામો અને વોર્ડથી લઈને શેરીઓમાં એવી ચર્ચાઓ તેજ છે કે ટિકિટ કોને મળવાની છે. જો કે આ રેસમાં કોંગ્રેસ વધારે આગળ નથી,  કારણ કે ભાજપ વધતા ઓછા અંશે પણ નો રિપીટવાળી થીંગડા થિયરી અપનાવી શકે છે. થીંગડા એટલા માટે કે એમાં બાંધછોડ હોઇ શકે છે. એમ તો 60 વર્ષથી ઉપરની ઉંમર અને 3 ટર્મ કરતાં વધુ જીતેલાઓને ટિકિટ ન આપવાની વાતો થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. જે આગ લાગ્યા પહેલા જ ધૂમાડા સ્વરૂપે બહાર આવી રહી છે. એવામાં કોને કાપવા અને કોને લાવવા એ મુંજવણી ભાજપ હાઇકમાન્ડને સતાવી રહી છે. કારણ એ પણ છે કે એ આખું મંત્રીમંડળ જે રૂપાણી સરકારનું હતું શું એમાંથી કોઈને ટિકિટ અપાશે? શું એ બધાને ટિકિટ આપી દેવામાં આવશે? અને જો હા છે તો પણ ડખો... અને જો ના છે તો સમજો ઉકળતો ચરૂ....


પહેલા 

પાટીલે ચાણસ્માના ધારાસભ્યને કહ્યું હથિયારો તૈયાર રાખજો લડવાનું જ છે.

પાટીલે અલ્પેશ ઠાકોરને કહ્યું અલ્પેશ ઠાકોરને રાધનપુરથી જીતાડીશું

કુંવરજી બાવળિયાને કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર

રાજકોટમાં મહિલાઓના કાર્યક્રમાં કહ્યું સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપીશું


પછી 

પાટીલે કહ્યું ટિકિટ હું નથી આપતો 

ટિકિટ લેવા માટે ભેગા થઇને આવવાની જરૂર નથી

ટિકિટ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપે છે

અમિત શાહ કહે છે કે ઉમેદવારો સ્કાયલેબની જેમ નહીં આવે

પાર્ટીના સૂત્રો કહે છે કે ઉમેદવારોની પસંદગી માટે એજન્સીઓ ગુપ્ત સરવે કરે છે


તો કોનું ચાલશે બહેનના જૂથનું કે અમિત શાહનું? 

હવે માની લો કે પાટીલ અને શાહ જે કહે છે તેમ જ ટિકિટની વહેચણી થવાની છે તો રાજ્યના બે જૂના અને જાણીતા બે ચર્ચિત જૂથોનું શું થશે જેમાં એકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલનું છે, અને બીજું જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું છે. આ ચૂંટણીમાં હવે કોનો સિક્કો ફાવશે. રાજકીય સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે બહેનના એક સમયના ખાસ ગણાતા લોકો પણ હવે તેલ જૂઓ તેલની ધાર જૂઓના ન્યાયે આગળ વધી રહ્યા છે. તેવામાં જો 



જો 60 વર્ષ વર્ષથી વધુના કપાય તો?

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ચૂંટણી નહીં લડી શકે

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પણ ટિકિટ કપાઇ શકે

નાણા અને ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇનું પત્તું કપાઇ શકે 

નોંધ– જો કે પાટીલે આમાં પણ એક વર્ષ પહેલા કહ્યું હતું કે આ નિયમ ધારાસભ્યો માટે નથી


જો તદ્દન નવા ચહેરાઓ લાવવામાં આવે તો?

શિસ્તબદ્ધ અને કેડરબેઝ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં નિર્ણય લેવાયા બાદ એકદમ ખુલ્લીને બહાર આવતો બળવો ભાગ્યે જ જોવા મળે છે. પણ યુદ્ધ, પ્રેમ અને રાજનીતિમાં બધું જ સ્વીકાર્ય છે. એ જ ન્યાય સાથે પાર્ટી કોઇ પણ વિધાનસભા ક્ષેત્રમાં નવો ચહેરો પણ મેદાને ઉતારે છે તો ભાજપની સુરક્ષિત ગણાતી બેઠક પર બહુ લાંબી તકલીફ પડે એમ લાગતું નથી. પણ સિનિયરોની નારાજગીને ખાળવા ભાજપ કોઇ નવી રણનીતિ લાવશે એમાં કોઇ બે મત નથી. જેમ કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બે રાજ્યોના પ્રભારી બનાવી દેવામાં આવ્યા. પરંતુ પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાન કરવાની ફોર્મ્યુલા પણ ગુજરાતમાં જૂની છે અને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા બોલકા નેતાઓ તો ભાજપની સાથે છે એટલું જ પુરતું છે. એમને ટિકિટ આપવી જ પડે તેવી મજબૂરી હવે ભાજપની નથી રહી પરંતુ ભાજપ કોને ટિકિટ આપશે તે જોવાનું પણ એટલું જ રસપ્રદ રહેશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"