ભાજપનો દલા તરવાળીની વાડી જેવો હાલ, નેતાઓ પોતાની રીતે જ નક્કી કરી રહ્યા છે ટિકિટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:18:44

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને અત્યારે તાલુકાથી લઈને ગામો અને વોર્ડથી લઈને શેરીઓમાં એવી ચર્ચાઓ તેજ છે કે ટિકિટ કોને મળવાની છે. જો કે આ રેસમાં કોંગ્રેસ વધારે આગળ નથી,  કારણ કે ભાજપ વધતા ઓછા અંશે પણ નો રિપીટવાળી થીંગડા થિયરી અપનાવી શકે છે. થીંગડા એટલા માટે કે એમાં બાંધછોડ હોઇ શકે છે. એમ તો 60 વર્ષથી ઉપરની ઉંમર અને 3 ટર્મ કરતાં વધુ જીતેલાઓને ટિકિટ ન આપવાની વાતો થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. જે આગ લાગ્યા પહેલા જ ધૂમાડા સ્વરૂપે બહાર આવી રહી છે. એવામાં કોને કાપવા અને કોને લાવવા એ મુંજવણી ભાજપ હાઇકમાન્ડને સતાવી રહી છે. કારણ એ પણ છે કે એ આખું મંત્રીમંડળ જે રૂપાણી સરકારનું હતું શું એમાંથી કોઈને ટિકિટ અપાશે? શું એ બધાને ટિકિટ આપી દેવામાં આવશે? અને જો હા છે તો પણ ડખો... અને જો ના છે તો સમજો ઉકળતો ચરૂ....


પહેલા 

પાટીલે ચાણસ્માના ધારાસભ્યને કહ્યું હથિયારો તૈયાર રાખજો લડવાનું જ છે.

પાટીલે અલ્પેશ ઠાકોરને કહ્યું અલ્પેશ ઠાકોરને રાધનપુરથી જીતાડીશું

કુંવરજી બાવળિયાને કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર

રાજકોટમાં મહિલાઓના કાર્યક્રમાં કહ્યું સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપીશું


પછી 

પાટીલે કહ્યું ટિકિટ હું નથી આપતો 

ટિકિટ લેવા માટે ભેગા થઇને આવવાની જરૂર નથી

ટિકિટ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપે છે

અમિત શાહ કહે છે કે ઉમેદવારો સ્કાયલેબની જેમ નહીં આવે

પાર્ટીના સૂત્રો કહે છે કે ઉમેદવારોની પસંદગી માટે એજન્સીઓ ગુપ્ત સરવે કરે છે


તો કોનું ચાલશે બહેનના જૂથનું કે અમિત શાહનું? 

હવે માની લો કે પાટીલ અને શાહ જે કહે છે તેમ જ ટિકિટની વહેચણી થવાની છે તો રાજ્યના બે જૂના અને જાણીતા બે ચર્ચિત જૂથોનું શું થશે જેમાં એકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલનું છે, અને બીજું જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું છે. આ ચૂંટણીમાં હવે કોનો સિક્કો ફાવશે. રાજકીય સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે બહેનના એક સમયના ખાસ ગણાતા લોકો પણ હવે તેલ જૂઓ તેલની ધાર જૂઓના ન્યાયે આગળ વધી રહ્યા છે. તેવામાં જો 



જો 60 વર્ષ વર્ષથી વધુના કપાય તો?

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ચૂંટણી નહીં લડી શકે

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પણ ટિકિટ કપાઇ શકે

નાણા અને ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇનું પત્તું કપાઇ શકે 

નોંધ– જો કે પાટીલે આમાં પણ એક વર્ષ પહેલા કહ્યું હતું કે આ નિયમ ધારાસભ્યો માટે નથી


જો તદ્દન નવા ચહેરાઓ લાવવામાં આવે તો?

શિસ્તબદ્ધ અને કેડરબેઝ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં નિર્ણય લેવાયા બાદ એકદમ ખુલ્લીને બહાર આવતો બળવો ભાગ્યે જ જોવા મળે છે. પણ યુદ્ધ, પ્રેમ અને રાજનીતિમાં બધું જ સ્વીકાર્ય છે. એ જ ન્યાય સાથે પાર્ટી કોઇ પણ વિધાનસભા ક્ષેત્રમાં નવો ચહેરો પણ મેદાને ઉતારે છે તો ભાજપની સુરક્ષિત ગણાતી બેઠક પર બહુ લાંબી તકલીફ પડે એમ લાગતું નથી. પણ સિનિયરોની નારાજગીને ખાળવા ભાજપ કોઇ નવી રણનીતિ લાવશે એમાં કોઇ બે મત નથી. જેમ કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બે રાજ્યોના પ્રભારી બનાવી દેવામાં આવ્યા. પરંતુ પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાન કરવાની ફોર્મ્યુલા પણ ગુજરાતમાં જૂની છે અને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા બોલકા નેતાઓ તો ભાજપની સાથે છે એટલું જ પુરતું છે. એમને ટિકિટ આપવી જ પડે તેવી મજબૂરી હવે ભાજપની નથી રહી પરંતુ ભાજપ કોને ટિકિટ આપશે તે જોવાનું પણ એટલું જ રસપ્રદ રહેશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.