ભાજપનો દલા તરવાળીની વાડી જેવો હાલ, નેતાઓ પોતાની રીતે જ નક્કી કરી રહ્યા છે ટિકિટ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 14:18:44

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને અત્યારે તાલુકાથી લઈને ગામો અને વોર્ડથી લઈને શેરીઓમાં એવી ચર્ચાઓ તેજ છે કે ટિકિટ કોને મળવાની છે. જો કે આ રેસમાં કોંગ્રેસ વધારે આગળ નથી,  કારણ કે ભાજપ વધતા ઓછા અંશે પણ નો રિપીટવાળી થીંગડા થિયરી અપનાવી શકે છે. થીંગડા એટલા માટે કે એમાં બાંધછોડ હોઇ શકે છે. એમ તો 60 વર્ષથી ઉપરની ઉંમર અને 3 ટર્મ કરતાં વધુ જીતેલાઓને ટિકિટ ન આપવાની વાતો થાય છે. પરંતુ વાસ્તવિકતા કંઇક અલગ છે. જે આગ લાગ્યા પહેલા જ ધૂમાડા સ્વરૂપે બહાર આવી રહી છે. એવામાં કોને કાપવા અને કોને લાવવા એ મુંજવણી ભાજપ હાઇકમાન્ડને સતાવી રહી છે. કારણ એ પણ છે કે એ આખું મંત્રીમંડળ જે રૂપાણી સરકારનું હતું શું એમાંથી કોઈને ટિકિટ અપાશે? શું એ બધાને ટિકિટ આપી દેવામાં આવશે? અને જો હા છે તો પણ ડખો... અને જો ના છે તો સમજો ઉકળતો ચરૂ....


પહેલા 

પાટીલે ચાણસ્માના ધારાસભ્યને કહ્યું હથિયારો તૈયાર રાખજો લડવાનું જ છે.

પાટીલે અલ્પેશ ઠાકોરને કહ્યું અલ્પેશ ઠાકોરને રાધનપુરથી જીતાડીશું

કુંવરજી બાવળિયાને કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર

રાજકોટમાં મહિલાઓના કાર્યક્રમાં કહ્યું સૌથી વધુ મહિલાઓને ટિકિટ આપીશું


પછી 

પાટીલે કહ્યું ટિકિટ હું નથી આપતો 

ટિકિટ લેવા માટે ભેગા થઇને આવવાની જરૂર નથી

ટિકિટ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહ આપે છે

અમિત શાહ કહે છે કે ઉમેદવારો સ્કાયલેબની જેમ નહીં આવે

પાર્ટીના સૂત્રો કહે છે કે ઉમેદવારોની પસંદગી માટે એજન્સીઓ ગુપ્ત સરવે કરે છે


તો કોનું ચાલશે બહેનના જૂથનું કે અમિત શાહનું? 

હવે માની લો કે પાટીલ અને શાહ જે કહે છે તેમ જ ટિકિટની વહેચણી થવાની છે તો રાજ્યના બે જૂના અને જાણીતા બે ચર્ચિત જૂથોનું શું થશે જેમાં એકમાં પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના વર્તમાન રાજ્યપાલનું છે, અને બીજું જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું છે. આ ચૂંટણીમાં હવે કોનો સિક્કો ફાવશે. રાજકીય સૂત્રો તો એમ પણ કહી રહ્યા છે કે બહેનના એક સમયના ખાસ ગણાતા લોકો પણ હવે તેલ જૂઓ તેલની ધાર જૂઓના ન્યાયે આગળ વધી રહ્યા છે. તેવામાં જો 



જો 60 વર્ષ વર્ષથી વધુના કપાય તો?

તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ચૂંટણી નહીં લડી શકે

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની પણ ટિકિટ કપાઇ શકે

નાણા અને ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇનું પત્તું કપાઇ શકે 

નોંધ– જો કે પાટીલે આમાં પણ એક વર્ષ પહેલા કહ્યું હતું કે આ નિયમ ધારાસભ્યો માટે નથી


જો તદ્દન નવા ચહેરાઓ લાવવામાં આવે તો?

શિસ્તબદ્ધ અને કેડરબેઝ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં નિર્ણય લેવાયા બાદ એકદમ ખુલ્લીને બહાર આવતો બળવો ભાગ્યે જ જોવા મળે છે. પણ યુદ્ધ, પ્રેમ અને રાજનીતિમાં બધું જ સ્વીકાર્ય છે. એ જ ન્યાય સાથે પાર્ટી કોઇ પણ વિધાનસભા ક્ષેત્રમાં નવો ચહેરો પણ મેદાને ઉતારે છે તો ભાજપની સુરક્ષિત ગણાતી બેઠક પર બહુ લાંબી તકલીફ પડે એમ લાગતું નથી. પણ સિનિયરોની નારાજગીને ખાળવા ભાજપ કોઇ નવી રણનીતિ લાવશે એમાં કોઇ બે મત નથી. જેમ કે તાજેતરમાં જ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને બે રાજ્યોના પ્રભારી બનાવી દેવામાં આવ્યા. પરંતુ પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાન કરવાની ફોર્મ્યુલા પણ ગુજરાતમાં જૂની છે અને હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર જેવા બોલકા નેતાઓ તો ભાજપની સાથે છે એટલું જ પુરતું છે. એમને ટિકિટ આપવી જ પડે તેવી મજબૂરી હવે ભાજપની નથી રહી પરંતુ ભાજપ કોને ટિકિટ આપશે તે જોવાનું પણ એટલું જ રસપ્રદ રહેશે.



રાજકોટમાં 14 વર્ષના બાળકનું મોત અચાનક થઈ ગયું છે. શેરીમાં બાળક ક્રિકેટ રમી રહ્યો હતો, અચાનક તે ઢળી પડ્યો અને મોત થઈ ગયું છે. મોત કયા કારણોસર થયું તેની ખર પોસ્ટ મોર્ટમ બાદ થશે. પરંતુ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.