Parshottam Rupalaના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ભાજપના નેતાઓને! Hardik Patel સામે લાગ્યા નારા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-10 19:00:11

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો પરંતુ ભાજપના અનેક નેતાઓને પણ આ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલની સામે રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા...     

હાર્દિક પટેલને કરવો પડ્યો વિરોધનો સામનો  

આપણે કહેતા હોઈએ છીએ કે કરે કોઈ અને ભરે કોઈ... આ કહેવત હાલની પરિસ્થિતિમાં એકદમ સાચી સાબિત થઈ રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનના વિરોધનો સામનો ભાજપના બીજા નેતાઓને કરવો પડી રહ્યો છે. એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રૂપાલાનો વિરોધ નડ્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયતની વિરમગામ વિધાનસભા અંતર્ગત આવેલ જખવાડા ગામે ધારાસભ્ય હાર્દિક પટેલ પહોંચ્યા તો  રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વિરોધમાં હાય રૂપાલા હાય હાય ગૃહમંત્રી હાય હાય મુખ્યમંત્રી હાય હાય સહિતના નારાઓ લગવવામાં આવ્યા.  

16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ભરશે નામાંકન ફોર્મ  

આ પહેલી વાર નહીં થઈ રહ્યું ક ભાજપના નેતાને વિરોધનો સામનો કરવો પડ્યો હોય. બનાસકાંઠામાં જ્યારે રેખાબેન ચૌધરી ગયા હતા ત્યારે પણ આવી રીતે જ વિરોધ થયો હતો. રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.  એટલું જ નહીં પરંતુ સી.આર.પાટિલના કાર્યક્રમમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને ખુરશીઓ ઉછાડી હતી. હવે મોટી વાત તો એ છે કે પરષોતમ રૂપાલાએ જ્યાં કાર્યક્રમ કર્યા ત્યાં કોઈ વિરોધ ન હતો થયો જ્યારે બીજા બધા ભાજપના કાર્યક્રમમાં નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે તો પરષોત્તમ રૂપાલા પણ 16 એપ્રિલે નામાંકન ભરવાના છે. ત્યારે જોવું રહ્યું આ વિવાદનો અંત ક્યારે આવે છે..?  




અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.