Parshottam Rupalaના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે ભાજપના નેતાઓને! Hardik Patel સામે લાગ્યા નારા, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-04-10 19:00:11

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપે ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી છે પરંતુ અનેક બેઠકો એવી છે જ્યાં ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે. ક્ષત્રિય સમાજની માગ છે કે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે. અલગ અલગ જગ્યાઓ પર વિરોધ કરવામાં આવ્યો પરંતુ ભાજપના અનેક નેતાઓને પણ આ વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હાર્દિક પટેલની સામે રૂપાલા હાય હાયના નારા લાગ્યા હતા...     

હાર્દિક પટેલને કરવો પડ્યો વિરોધનો સામનો  

આપણે કહેતા હોઈએ છીએ કે કરે કોઈ અને ભરે કોઈ... આ કહેવત હાલની પરિસ્થિતિમાં એકદમ સાચી સાબિત થઈ રહી છે તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનના વિરોધનો સામનો ભાજપના બીજા નેતાઓને કરવો પડી રહ્યો છે. એવા દ્રશ્યો સામે આવ્યા જેમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રૂપાલાનો વિરોધ નડ્યો છે. અમદાવાદ જિલ્લા પંચાયતની વિરમગામ વિધાનસભા અંતર્ગત આવેલ જખવાડા ગામે ધારાસભ્ય હાર્દિક પટેલ પહોંચ્યા તો  રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. વિરોધમાં હાય રૂપાલા હાય હાય ગૃહમંત્રી હાય હાય મુખ્યમંત્રી હાય હાય સહિતના નારાઓ લગવવામાં આવ્યા.  

16 એપ્રિલે પરષોત્તમ રૂપાલા ભરશે નામાંકન ફોર્મ  

આ પહેલી વાર નહીં થઈ રહ્યું ક ભાજપના નેતાને વિરોધનો સામનો કરવો પડ્યો હોય. બનાસકાંઠામાં જ્યારે રેખાબેન ચૌધરી ગયા હતા ત્યારે પણ આવી રીતે જ વિરોધ થયો હતો. રેખાબેન ચૌધરીને પણ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.  એટલું જ નહીં પરંતુ સી.આર.પાટિલના કાર્યક્રમમાં પણ ક્ષત્રિય સમાજના લોકો પહોંચી ગયા હતા અને ખુરશીઓ ઉછાડી હતી. હવે મોટી વાત તો એ છે કે પરષોતમ રૂપાલાએ જ્યાં કાર્યક્રમ કર્યા ત્યાં કોઈ વિરોધ ન હતો થયો જ્યારે બીજા બધા ભાજપના કાર્યક્રમમાં નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. આ બધા વચ્ચે પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ સાથે ક્ષત્રિય સમાજ અડીખમ છે તો પરષોત્તમ રૂપાલા પણ 16 એપ્રિલે નામાંકન ભરવાના છે. ત્યારે જોવું રહ્યું આ વિવાદનો અંત ક્યારે આવે છે..?  




ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.