BJPના MLAને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના લોકોના વિરોધનો સામનો, ધારાસભ્ય Jagdish Makwanaની ગાડીને રોકી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-06 18:26:37

રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા બાદ પણ હજુ મેળ પડયો નથી. ડેમેજ કંટ્રોલનો તો જાણે ફિયાસ્કો થયો છે.ભાજપના નેતાઓ સામે ક્ષત્રિય સમાજના યુવાનો ભરપુર વિરોધ કરી રહ્યાં છે.. દેવુસિંહ ચૌહાણ હોય પૂનમબેન માડમ હોય, હાર્દિક પટેલ હોય કે ઓપરેશન લોટસના કેપ્ટન ભરત બોઘરા કેમ ન હોય... હવે ભાજપના અન્ય એક ધારાસભ્યનો પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે...

અનેક નેતાઓનો ક્ષત્રિય સમાજના લોકોએ કર્યો છે વિરોધ

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી યોજાવાની છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થયો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. પ્રચાર માટે જ્યારે પણ નેતા કે ઉમેદવાર જાય છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે.. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું... 


ક્યાં થયો વિરોધ?

દેદાદરાથી તેમને આગળ જવાનું હતું પણ ક્ષત્રિય સમાજના યુવાનોનું માનવુ હતું કે તેઓ પ્રચાર માટે જઈ રહ્યાં છે... અને તેમની ગાડી પાછી વાળવી પડી યુવાનોએ રુપાલા હાય હાયના નારા લગાવ્યા હતા.. એ દરમિયાન તેમણે વીડિયો બનતો હતો તે મોબાઈલ ઝૂંટવાનો પણ પ્રયાસ કર્યો. મારે અંગત કામથી જવુ છે. તમે બાઈક લઈ લો અને જોઈ લો પણ યુવાનોએ કહ્યું ના તમે પાછા વળી જાઓ..



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે