BJPના MLAને કરવો પડ્યો ક્ષત્રિય સમાજના લોકોના વિરોધનો સામનો, ધારાસભ્ય Jagdish Makwanaની ગાડીને રોકી, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-06 18:26:37

રૂપાલાની ટિપ્પણી બાદ ભાજપે ક્ષત્રિયોના મનામણાં માટે આકાશ પાતાળ એક કર્યા બાદ પણ હજુ મેળ પડયો નથી. ડેમેજ કંટ્રોલનો તો જાણે ફિયાસ્કો થયો છે.ભાજપના નેતાઓ સામે ક્ષત્રિય સમાજના યુવાનો ભરપુર વિરોધ કરી રહ્યાં છે.. દેવુસિંહ ચૌહાણ હોય પૂનમબેન માડમ હોય, હાર્દિક પટેલ હોય કે ઓપરેશન લોટસના કેપ્ટન ભરત બોઘરા કેમ ન હોય... હવે ભાજપના અન્ય એક ધારાસભ્યનો પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે...

અનેક નેતાઓનો ક્ષત્રિય સમાજના લોકોએ કર્યો છે વિરોધ

ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણી યોજાવાની છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ અનેક જગ્યાઓ પર થયો છે. ભાજપના અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડ્યો છે. પ્રચાર માટે જ્યારે પણ નેતા કે ઉમેદવાર જાય છે ત્યારે ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવે છે.. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું... 


ક્યાં થયો વિરોધ?

દેદાદરાથી તેમને આગળ જવાનું હતું પણ ક્ષત્રિય સમાજના યુવાનોનું માનવુ હતું કે તેઓ પ્રચાર માટે જઈ રહ્યાં છે... અને તેમની ગાડી પાછી વાળવી પડી યુવાનોએ રુપાલા હાય હાયના નારા લગાવ્યા હતા.. એ દરમિયાન તેમણે વીડિયો બનતો હતો તે મોબાઈલ ઝૂંટવાનો પણ પ્રયાસ કર્યો. મારે અંગત કામથી જવુ છે. તમે બાઈક લઈ લો અને જોઈ લો પણ યુવાનોએ કહ્યું ના તમે પાછા વળી જાઓ..



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.