ભાજપના MLA નિમિષાબેન સુથાર અને ગાંધીનગરના મેયર હીતેશ મકવાણાએ ભાંગરો વાટ્યો, મહારાણા પ્રતાપ જયંતિ પર શિવાજીનો ફોટો મુકી શુભેચ્છા આપી


  • Published By :
  • Published Date : 2023-05-09 18:14:26

રાજકીય પક્ષોના નેતાઓ દેશની મહાન હસ્તીઓના જન્મ દિને તેમને યાદ કરી સોશિયલ મીડિયા પોસ્ટ કરતા હોય છે. જો કે ક્યારેક તેમની આ પોસ્ટ વિવાદનું  કારણ પણ બનતી હોય છે. જેમ કે આજે મહારાણા પ્રતાપ જયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો અને શહેરના મેયરોએ કરી હતી. જેમાં ભાજપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને ગાંધીનગર મેયર હીતેશ મકવાણાની ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.


બંને નેતાઓએ શું ભાંગરો વાટ્યો?


ભાજપના મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે મહારાણા પ્રતાપની જન્મજયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકી પરંતુ ભાજપના ધારાસભ્યએ ફોટોમાં મહારાણા પ્રતાપના સ્થાને શિવાજીનો ફોટો શેર કરી દીધો હતો. તે જ પ્રકારે ગાંધીનગરના મેયર હીતેશ મકવાણાએ પણ મહારાણા પ્રતાપની જયંતી પર છત્રપતિ શિવાજીનો ફોટો મૂક્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ટ્વિટર પર આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો,બાદમાં હીતેશ મકવાણાએ ફોટો બદલી મહારાણા પ્રતાપનો મૂકી દીધો હતો. નિમિષાબેન સુથારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં એક યૂઝરે કમેન્ટ કરી કે, મહારાણા પ્રતાપ અને શિવાજીમાં ફરક છે બેન તમે ફોટો શિવાજીનો મુક્યો છે. જો કે તેમ છતાં નિમિશાબેન સુથારનું ટ્વિટ હજુ પણ જોવા મળી રહી છે. Image


આવું શા માટે થાય છે?


નેતાઓ દ્વારા આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટમાં અવારનવાર વિવાદ થતાં જોવા મળે છે. કોઈ ફોટો બદલાઈ જાય કે પછી પોસ્ટનું લખાણ વિવાદનું કારણ બનતું હોય છે. આવું થવાનું મુખ્ય કારણ છે કે વાર-તહેવાર પર થતી આ પ્રકારની પોસ્ટ જે તે વ્યક્તિ ખુદ કરતી નથી, પરંતુ આ કામ તેમના વતી કોઈ એજન્સી કરતી હોય છે. જેના કારણે આવું આંધળે બહેરૂ કુટાતું હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત જાન્યુઆરી મહિનામાં આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલે સોશિયલ મીડિયામાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતું ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા હતા. આ મુદ્દે વિવાદ વધતા તેમણે થોડીવારમાં જ આ પોસ્ટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી. 


આવી ભૂલ જો કોઈ વિપક્ષી નેતાએ કરી હોત તો?


આજે મહારાણા પ્રતાપ જયંતિ પર શિવાજીનો ફોટો મુકનારા બંને નેતા ભાજપના છે. પરતું જો આવી જ ભૂલ કોંગ્રેસ કે આપના કોઈ નેતાએ કરી હોત તો તેના સોશિયલ મીડિયા પર તેમની ખુબ મજાક ઉડાવવામાં આવી હોત. ભૂલ થાય તે સ્વાભાવિક છે પણ વાતનું વતેસર કરીને કોઈ રાજકીય નેતાની છબી ખરડાવવા માટે જે રીતે તેને મજાકનું પાત્ર બનાવી દેવામાં આવે છે તે ખોટું છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.