ભાજપના MLA નિમિષાબેન સુથાર અને ગાંધીનગરના મેયર હીતેશ મકવાણાએ ભાંગરો વાટ્યો, મહારાણા પ્રતાપ જયંતિ પર શિવાજીનો ફોટો મુકી શુભેચ્છા આપી


  • Published By :
  • Published Date : 2023-05-09 18:14:26

રાજકીય પક્ષોના નેતાઓ દેશની મહાન હસ્તીઓના જન્મ દિને તેમને યાદ કરી સોશિયલ મીડિયા પોસ્ટ કરતા હોય છે. જો કે ક્યારેક તેમની આ પોસ્ટ વિવાદનું  કારણ પણ બનતી હોય છે. જેમ કે આજે મહારાણા પ્રતાપ જયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ વિવિધ પાર્ટીઓના અગ્રણી નેતીઓ, ચૂંટાયેલા ધારાસભ્યો અને શહેરના મેયરોએ કરી હતી. જેમાં ભાજપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને ગાંધીનગર મેયર હીતેશ મકવાણાની ટ્વીટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.


બંને નેતાઓએ શું ભાંગરો વાટ્યો?


ભાજપના મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારે મહારાણા પ્રતાપની જન્મજયંતિની શુભેચ્છા આપતી પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુકી પરંતુ ભાજપના ધારાસભ્યએ ફોટોમાં મહારાણા પ્રતાપના સ્થાને શિવાજીનો ફોટો શેર કરી દીધો હતો. તે જ પ્રકારે ગાંધીનગરના મેયર હીતેશ મકવાણાએ પણ મહારાણા પ્રતાપની જયંતી પર છત્રપતિ શિવાજીનો ફોટો મૂક્યો હતો. કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે ટ્વિટર પર આ પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો,બાદમાં હીતેશ મકવાણાએ ફોટો બદલી મહારાણા પ્રતાપનો મૂકી દીધો હતો. નિમિષાબેન સુથારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં એક યૂઝરે કમેન્ટ કરી કે, મહારાણા પ્રતાપ અને શિવાજીમાં ફરક છે બેન તમે ફોટો શિવાજીનો મુક્યો છે. જો કે તેમ છતાં નિમિશાબેન સુથારનું ટ્વિટ હજુ પણ જોવા મળી રહી છે. Image


આવું શા માટે થાય છે?


નેતાઓ દ્વારા આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટમાં અવારનવાર વિવાદ થતાં જોવા મળે છે. કોઈ ફોટો બદલાઈ જાય કે પછી પોસ્ટનું લખાણ વિવાદનું કારણ બનતું હોય છે. આવું થવાનું મુખ્ય કારણ છે કે વાર-તહેવાર પર થતી આ પ્રકારની પોસ્ટ જે તે વ્યક્તિ ખુદ કરતી નથી, પરંતુ આ કામ તેમના વતી કોઈ એજન્સી કરતી હોય છે. જેના કારણે આવું આંધળે બહેરૂ કુટાતું હોય છે. અત્રે ઉલ્લેખનિય છે કે ગત જાન્યુઆરી મહિનામાં આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ આર પટેલે સોશિયલ મીડિયામાં નેતાજી સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપતું ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં તેમણે સુભાષચંદ્ર બોઝને આતંકવાદી પાંખનો ભાગ ગણાવ્યા હતા. આ મુદ્દે વિવાદ વધતા તેમણે થોડીવારમાં જ આ પોસ્ટ ડિલીટ કરીને નવી પોસ્ટ શેર કરી હતી. 


આવી ભૂલ જો કોઈ વિપક્ષી નેતાએ કરી હોત તો?


આજે મહારાણા પ્રતાપ જયંતિ પર શિવાજીનો ફોટો મુકનારા બંને નેતા ભાજપના છે. પરતું જો આવી જ ભૂલ કોંગ્રેસ કે આપના કોઈ નેતાએ કરી હોત તો તેના સોશિયલ મીડિયા પર તેમની ખુબ મજાક ઉડાવવામાં આવી હોત. ભૂલ થાય તે સ્વાભાવિક છે પણ વાતનું વતેસર કરીને કોઈ રાજકીય નેતાની છબી ખરડાવવા માટે જે રીતે તેને મજાકનું પાત્ર બનાવી દેવામાં આવે છે તે ખોટું છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે