રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરનારા ભાજપના MLA પૂર્ણેશ મોદીને મળી આ મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-17 22:05:18

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનારા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને પાર્ટીએ મોટી જવાબદારી સોંપી છે. ભાજપે દાદરા નગર હવેલી અને દમણના પ્રદેશ પ્રભારી તરીકે પૂર્ણેશ મોદીની નિમણૂક કરી છે. ભાજપના આ પગલાને 2024મા લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓરૂપે જોવામાં આવી રહ્યું છે.


ત્રણ ટર્મથી છે ધારાસભ્ય


58 વર્ષીય પૂર્ણેશ મોદી ત્રણ ટર્મથી ધારાસભ્ય છે. તે OBC સમુદાયમાંથી આવે છે અને વ્યવસાયે વકીલ છે. તેઓ પહેલીવાર 2013માં સુરત પશ્ચિમ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તે 2017 અને 2022માં આ જ સીટ પરથી ચૂંટાયા હતા. ગત વખતે તેઓ એક લાખ મતોની સરસાઈથી જીત્યા હતા.વર્ષ 2021 માં, તેમને પ્રથમ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેમને પરિવહન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ જેવો મહત્વના વિભાગ આપવામાં આવ્યા હતા. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતી ગયા. જો કે બીજી વાર તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી.


દુષ્યંત પટેલને સહ પ્રભારી બનાવાયા


ગુજરાત સરકારના માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સહ પ્રભારી તરીકે ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણુંક કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડમાં જોવા મળી રહી છે. જો કે, પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલની પ્રભારી તરીકેની નિમણુંકને લઈને અનેક તર્કવિતર્ક પણ શરુ થયા છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી