રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરનારા ભાજપના MLA પૂર્ણેશ મોદીને મળી આ મોટી જવાબદારી


  • Published By :
  • Published Date : 2023-11-17 22:05:18

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરનારા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીને પાર્ટીએ મોટી જવાબદારી સોંપી છે. ભાજપે દાદરા નગર હવેલી અને દમણના પ્રદેશ પ્રભારી તરીકે પૂર્ણેશ મોદીની નિમણૂક કરી છે. ભાજપના આ પગલાને 2024મા લોકસભાની ચૂંટણીને લઈને પાર્ટીની તૈયારીઓરૂપે જોવામાં આવી રહ્યું છે.


ત્રણ ટર્મથી છે ધારાસભ્ય


58 વર્ષીય પૂર્ણેશ મોદી ત્રણ ટર્મથી ધારાસભ્ય છે. તે OBC સમુદાયમાંથી આવે છે અને વ્યવસાયે વકીલ છે. તેઓ પહેલીવાર 2013માં સુરત પશ્ચિમ બેઠક પરથી પેટા ચૂંટણી જીતીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તે 2017 અને 2022માં આ જ સીટ પરથી ચૂંટાયા હતા. ગત વખતે તેઓ એક લાખ મતોની સરસાઈથી જીત્યા હતા.વર્ષ 2021 માં, તેમને પ્રથમ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા અને તેમને પરિવહન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ જેવો મહત્વના વિભાગ આપવામાં આવ્યા હતા. વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ધારાસભ્ય તરીકે જીતી ગયા. જો કે બીજી વાર તેમને મંત્રી પદ આપવામાં આવ્યું નથી.


દુષ્યંત પટેલને સહ પ્રભારી બનાવાયા


ગુજરાત સરકારના માજી મંત્રી અને વર્તમાન ધારાસભ્ય પુર્ણેશ મોદીને પ્રભારી બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ સહ પ્રભારી તરીકે ભરૂચના માજી ધારાસભ્ય દુષ્યંત પટેલની નિમણુંક કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને બીજેપી એક્શન મોડમાં જોવા મળી રહી છે. જો કે, પુર્ણેશ મોદી અને દુષ્યંત પટેલની પ્રભારી તરીકેની નિમણુંકને લઈને અનેક તર્કવિતર્ક પણ શરુ થયા છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.