ભાજપના ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભૂમિકા! યોજાઈ બેઠક અને નેતાઓને આદેશ કરાયો જાહેર મંચ પર રજૂઆતો ન કરવી? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-19 12:25:13

લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી ભાજપના નેતાએ પોતાની જ પાર્ટીની સામે મેદાને પડ્યાં હતા.. અથવા તો કોઈ નેતા સરકારમાં કે સિસ્ટમમાં ચાલતી ગેરરિતીને લઈને જાહેરમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા હતા... ભાજપના જ ધારાસભ્યો જાણે વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હોય તેવું લાગ્યું. જાહેરમંચ પરથી સરકારની પોલ ખોલતા હતા નેતાઓ હવે તેના પર રોક લાગશે કેમ કે પાર્ટીએ આદેશ કરી દીધા છે કે મનની વાત જાહેરમંચ પરથી કહેવી નહીં.. આવી માહિતી તો સામે આવી હતી સાથે સાથે શું કરવુ આના ઉપાયના રૂપમાં તે પણ ભાજપે જણાવ્યું છે...!

ભાજપના જ સાંસદો, ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે..!

ખેડામાં મુખ્યમંત્રી પોતે સરપ્રાઈઝ ચેકિંગમાં ગયા હતા ને બેદરકારી સામે આવતા અધિકારી વિરૂદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.


સિસ્ટમની પોલ ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે..!

જાહેરમંચ પર પત્રો લખી રહ્યાં છે અને સિસ્ટમની પોલ ખોલી ખામીઓ દર્શાવી રહ્યાં છે.... હવે એ નેતાઓના પ્રજાવત્સલ બનવા પર રોક લાગશે કેમ કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપે તમામ સાંસદોને ગાંધીનગર બોલાવી બેઠક કરી...મનની વાત જાહેર મંચ કહેવાને બદલે યોગ્ય સ્થળે રજુઆત કરવા ભાજપ સાંસદોને સલાહ આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.... 


બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા! 

લોકસભાની ચૂંટણી યોજાઈ ગયા બાદ ભાજપે પોતાના તમામ નેતાઓને, ધારાસભ્યો, સાસંદોને બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર હતા.. અહીં પ્રદેશ મોવડી મંડળે નવા ચૂંટાયેલા સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમારા મનમાં કોઈ વાત હોય તો એ બાબતે જાહેરમાં કહેવાને બદલે યોગ્ય સ્થળે રજૂઆત કરશો... જાહેર મંચ પરથી આવા નિવેદનો ના આપવા તેવી વાત કહેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. જે પ્રશ્ન હશે તેનો ઉકેલ યોગ્ય પ્લેટફોર્મ પર મુકવાથી જ આવશે... જાહેરમાં બોલવાના કારણે સ્થિતિ ખરાબ થાય છે.... 



હંગામી પ્રમુખ તરીકે સી.આર.પાટીલ ઈન્ચાર્જ સંભાળશે

તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા હોવાથી તેઓ અગાઉની માફક સતત રાજ્યના પક્ષિય સંગઠનની બાબતને લઈને સમય ફાળવી શકશે નહીં. આ સંજોગોમાં આવતા થોડા સમયમાં પક્ષનું રાષ્ટ્રીય મોવડી મંડળ જ્યાં સુધી કાયમી પ્રમુખની નિયુક્તી ન થાય ત્યાં સુધી હંગામી રીતે ઈન્ચાર્જ પ્રમુખની નિયુક્તિ કરી શકે છે. ત્યાં સુધી સી.આર.પાટીલ હંગામી પ્રમુખ તરીકે યથાવત રહેશે.... 




ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .