ભાજપના ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભૂમિકા! યોજાઈ બેઠક અને નેતાઓને આદેશ કરાયો જાહેર મંચ પર રજૂઆતો ન કરવી? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-19 12:25:13

લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી ભાજપના નેતાએ પોતાની જ પાર્ટીની સામે મેદાને પડ્યાં હતા.. અથવા તો કોઈ નેતા સરકારમાં કે સિસ્ટમમાં ચાલતી ગેરરિતીને લઈને જાહેરમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા હતા... ભાજપના જ ધારાસભ્યો જાણે વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હોય તેવું લાગ્યું. જાહેરમંચ પરથી સરકારની પોલ ખોલતા હતા નેતાઓ હવે તેના પર રોક લાગશે કેમ કે પાર્ટીએ આદેશ કરી દીધા છે કે મનની વાત જાહેરમંચ પરથી કહેવી નહીં.. આવી માહિતી તો સામે આવી હતી સાથે સાથે શું કરવુ આના ઉપાયના રૂપમાં તે પણ ભાજપે જણાવ્યું છે...!

ભાજપના જ સાંસદો, ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે..!

ખેડામાં મુખ્યમંત્રી પોતે સરપ્રાઈઝ ચેકિંગમાં ગયા હતા ને બેદરકારી સામે આવતા અધિકારી વિરૂદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.


સિસ્ટમની પોલ ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે..!

જાહેરમંચ પર પત્રો લખી રહ્યાં છે અને સિસ્ટમની પોલ ખોલી ખામીઓ દર્શાવી રહ્યાં છે.... હવે એ નેતાઓના પ્રજાવત્સલ બનવા પર રોક લાગશે કેમ કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપે તમામ સાંસદોને ગાંધીનગર બોલાવી બેઠક કરી...મનની વાત જાહેર મંચ કહેવાને બદલે યોગ્ય સ્થળે રજુઆત કરવા ભાજપ સાંસદોને સલાહ આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.... 


બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા! 

લોકસભાની ચૂંટણી યોજાઈ ગયા બાદ ભાજપે પોતાના તમામ નેતાઓને, ધારાસભ્યો, સાસંદોને બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર હતા.. અહીં પ્રદેશ મોવડી મંડળે નવા ચૂંટાયેલા સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમારા મનમાં કોઈ વાત હોય તો એ બાબતે જાહેરમાં કહેવાને બદલે યોગ્ય સ્થળે રજૂઆત કરશો... જાહેર મંચ પરથી આવા નિવેદનો ના આપવા તેવી વાત કહેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. જે પ્રશ્ન હશે તેનો ઉકેલ યોગ્ય પ્લેટફોર્મ પર મુકવાથી જ આવશે... જાહેરમાં બોલવાના કારણે સ્થિતિ ખરાબ થાય છે.... 



હંગામી પ્રમુખ તરીકે સી.આર.પાટીલ ઈન્ચાર્જ સંભાળશે

તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા હોવાથી તેઓ અગાઉની માફક સતત રાજ્યના પક્ષિય સંગઠનની બાબતને લઈને સમય ફાળવી શકશે નહીં. આ સંજોગોમાં આવતા થોડા સમયમાં પક્ષનું રાષ્ટ્રીય મોવડી મંડળ જ્યાં સુધી કાયમી પ્રમુખની નિયુક્તી ન થાય ત્યાં સુધી હંગામી રીતે ઈન્ચાર્જ પ્રમુખની નિયુક્તિ કરી શકે છે. ત્યાં સુધી સી.આર.પાટીલ હંગામી પ્રમુખ તરીકે યથાવત રહેશે.... 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.