ભાજપના ધારાસભ્યો નિભાવી રહ્યા છે વિપક્ષની ભૂમિકા! યોજાઈ બેઠક અને નેતાઓને આદેશ કરાયો જાહેર મંચ પર રજૂઆતો ન કરવી? જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-06-19 12:25:13

લોકસભાની ચૂંટણી પહેલા અને ચૂંટણી પછી ભાજપના નેતાએ પોતાની જ પાર્ટીની સામે મેદાને પડ્યાં હતા.. અથવા તો કોઈ નેતા સરકારમાં કે સિસ્ટમમાં ચાલતી ગેરરિતીને લઈને જાહેરમાં ખુલ્લેઆમ અવાજ ઉઠાવતા હતા... ભાજપના જ ધારાસભ્યો જાણે વિપક્ષની ભૂમિકામાં આવી ગયા હોય તેવું લાગ્યું. જાહેરમંચ પરથી સરકારની પોલ ખોલતા હતા નેતાઓ હવે તેના પર રોક લાગશે કેમ કે પાર્ટીએ આદેશ કરી દીધા છે કે મનની વાત જાહેરમંચ પરથી કહેવી નહીં.. આવી માહિતી તો સામે આવી હતી સાથે સાથે શું કરવુ આના ઉપાયના રૂપમાં તે પણ ભાજપે જણાવ્યું છે...!

ભાજપના જ સાંસદો, ધારાસભ્યો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે..!

ખેડામાં મુખ્યમંત્રી પોતે સરપ્રાઈઝ ચેકિંગમાં ગયા હતા ને બેદરકારી સામે આવતા અધિકારી વિરૂદ્ધ તરત કાર્યવાહી કરવામાં આવી. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, વડોદરાના માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ, જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા, મણિનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, મહુધાના ધારાસભ્ય સંજય મહીડા, સુરત વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી, લાઠી- બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા, માણાવદરના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈને ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણી, સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી સહિતના નેતાઓ સિસ્ટમ સામે અવાજ ઉઠાવી રહ્યા છે.


સિસ્ટમની પોલ ભાજપના નેતાઓ ખોલી રહ્યા છે..!

જાહેરમંચ પર પત્રો લખી રહ્યાં છે અને સિસ્ટમની પોલ ખોલી ખામીઓ દર્શાવી રહ્યાં છે.... હવે એ નેતાઓના પ્રજાવત્સલ બનવા પર રોક લાગશે કેમ કે, લોકસભાની ચૂંટણી બાદ ભાજપે તમામ સાંસદોને ગાંધીનગર બોલાવી બેઠક કરી...મનની વાત જાહેર મંચ કહેવાને બદલે યોગ્ય સ્થળે રજુઆત કરવા ભાજપ સાંસદોને સલાહ આપવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે.... 


બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા! 

લોકસભાની ચૂંટણી યોજાઈ ગયા બાદ ભાજપે પોતાના તમામ નેતાઓને, ધારાસભ્યો, સાસંદોને બેઠક માટે ગાંધીનગર બોલાવ્યા હતા તેવી માહિતી સામે આવી છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર હતા.. અહીં પ્રદેશ મોવડી મંડળે નવા ચૂંટાયેલા સાંસદોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તમારા મનમાં કોઈ વાત હોય તો એ બાબતે જાહેરમાં કહેવાને બદલે યોગ્ય સ્થળે રજૂઆત કરશો... જાહેર મંચ પરથી આવા નિવેદનો ના આપવા તેવી વાત કહેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. જે પ્રશ્ન હશે તેનો ઉકેલ યોગ્ય પ્લેટફોર્મ પર મુકવાથી જ આવશે... જાહેરમાં બોલવાના કારણે સ્થિતિ ખરાબ થાય છે.... 



હંગામી પ્રમુખ તરીકે સી.આર.પાટીલ ઈન્ચાર્જ સંભાળશે

તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા હોવાથી તેઓ અગાઉની માફક સતત રાજ્યના પક્ષિય સંગઠનની બાબતને લઈને સમય ફાળવી શકશે નહીં. આ સંજોગોમાં આવતા થોડા સમયમાં પક્ષનું રાષ્ટ્રીય મોવડી મંડળ જ્યાં સુધી કાયમી પ્રમુખની નિયુક્તી ન થાય ત્યાં સુધી હંગામી રીતે ઈન્ચાર્જ પ્રમુખની નિયુક્તિ કરી શકે છે. ત્યાં સુધી સી.આર.પાટીલ હંગામી પ્રમુખ તરીકે યથાવત રહેશે.... 




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.