ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં એકનો એક સવાલ અનેક વખત પૂછી રહ્યા છે? આ રહ્યું જમાવટનું એનાલિસીસ


  • Published By :
  • Published Date : 2023-03-28 16:14:39

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, પાર્ટીએ સમગ્ર રાજ્યમાં 156 સીટો મેળવી છે. જો કે ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું જે પર્ફોરમ્સ તે જાણીને દુ:ખદ આશ્ચર્ય થઈ રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તેમાં ભાજપના ધારાસભ્યોએ જે સવાલો પુછ્યા તેનું જમાવટે ઝીટવટપૂર્વક એનાલિસીસ કર્યું તો જાણવા મળ્યું કે ભાજપના ધારાસભ્યો એકનો એક સવાલ અનેક વખત પૂછતા જાણવા મળ્યા છે. તા. 27 માર્ચે વિધાનસભાની પ્રશ્નોત્તરી પર એક નજર કરીએ તો ધારાસભ્યો જાણે સ્ક્રિપ્ટેડ સવાલ પૂછતા હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ જાણવા મળે છે. અહીં અમે તમને અનેક વખત પૂછાયેલા તારાકિંત સવાલો અને ધારાસભ્યોના નામ સાથે જણાવીએ છીએ. આ સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. 


સવાલ-2937


મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ


તેમણે સવાલ કર્યો કે ગુજરાતમાં કેટલા સોલાર પાર્ક છે અને કેટલી સ્થાપિત ક્ષમતાના પ્રોજેક્ટ કાર્યરત છે. આ સોલાર પાર્ક ક્યા આવેલા છે અને તેમાં કેટલું વીજ ઉત્પાદન થાય છે?


સવાલ-2990


હવે આ જ સવાલ ભાજપના અમદાવાદની મણીનગર સીટના ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ પુછ્યો છે.


સવાલ-2938


જેતપુરના ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા


જયંતિભાઈ રાઠવાએ વિધાનસભામાં સવાલ કર્યો કે છેલ્લા બે વર્ષમાં છોટા ઉદેપુર જિલ્લામાં કુટિર જ્યોતિ યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા, અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2997


હવે આ જ સવાલ સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પણ કર્યો હતો.


સવાલ-2933


ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્ય સેજલ બેન પંડ્યા


ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્ય સેજલ બેન પંડ્યાએ ભાવનગર જિલ્લામાં સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત કેટલા કિં.મી જર્જરીત વીજ વાયર અને થાંભલા બદલવામાં આવ્યા, અને તે પાછળ કેટલો ખર્ચ થયો છે?


સવાલ-2985


આ જ સવાલ આબેહુબ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પણ પુછ્યો હતો.


સવાલ-2929


ભાજપના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી


ભાજપના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ સવાલ કર્યો કે અમદાવાદ જિલ્લામાં કેટલા નવા વીજ સબ સ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2928


સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ
નરોડા સીટના એમએલએ પાયલ કુકરાણી


સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા ભાજપના અન્ય એક ધારાસભ્ય નરોડા સીટના એમએલએ પાયલ કુકરાણીએ પણ કર્યો છે તેમનો તારાંકિત સવાલનો ક્રમ 2922 છે.


સવાલ-2913


ભાજપના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા


ભાજપના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ સવાલ કર્યો કે અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસુચિત જાતિ (એસ.સી)ના લાભાર્થીઓને કૃષિ વિષયક જોડાણ આપવા માટેની યોજના હેઠળ કેટલા નવા કૃષિ વિષય વીજ જોડાણો આપવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2914 


હવે આ જ સવાલ ભાજપના અમરાઈવાડી સીટના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે પણ પુછ્યો હતો.


સવાલ- 2911


કરંજ સીટના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી


સુરતની કરંજ સીટના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ સવાલ પુછ્યો કે 31-12-2022ની સ્થિતીએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં વર્કચાર્જ કર્મચારીઓના જીપીએફના આખરી ચૂકવણાની કેટલી અરજી પડતર છે, તથા તે અરજીઓનો નિકાલ ક્યાં સુધી કરવામાં આવશે, અને અરજીઓ પડતર રહેવાના કારણો શા માટે?


સવાલ-2912


હવે આજ સવાલ ભાજપના અન્ય એક ધારાસભ્ય ગાંધીનગર ઉત્તર સીટના એમએલએ રીટાબેન પટેલે પણ કર્યો હતો.


ભરોસાની ભાજપ


અમે ઉપર જણાવેલા સવાલો તો માત્ર એક ઝાંખી છે, આવા તો અનેક સવાલો અનેક વખત પુનરાવર્તીત કરીને ભાજપના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય છે કે શું ભાજપે આટલી જંગી બહુમતી જનતાએ આ માટે આપી હતી? ભાજપના ધારાસભ્યોને તેમના મત વિસ્તાર કરતા અન્ય જિલ્લાના સવાલો શા માટે પૂછી રહ્યા છે. શું તેમના વિધાનસભા વિસ્તારની કોઈ સમસ્યાઓ જ નથી? ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો એકના એક સવાલો અનેક વખત પુછીને શું સાબિત કરવા માગે છે?



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.