ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં એકનો એક સવાલ અનેક વખત પૂછી રહ્યા છે? આ રહ્યું જમાવટનું એનાલિસીસ


  • Published By :
  • Published Date : 2023-03-28 16:14:39

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઈ છે, પાર્ટીએ સમગ્ર રાજ્યમાં 156 સીટો મેળવી છે. જો કે ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોનું જે પર્ફોરમ્સ તે જાણીને દુ:ખદ આશ્ચર્ય થઈ રહ્યું છે. હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. તેમાં ભાજપના ધારાસભ્યોએ જે સવાલો પુછ્યા તેનું જમાવટે ઝીટવટપૂર્વક એનાલિસીસ કર્યું તો જાણવા મળ્યું કે ભાજપના ધારાસભ્યો એકનો એક સવાલ અનેક વખત પૂછતા જાણવા મળ્યા છે. તા. 27 માર્ચે વિધાનસભાની પ્રશ્નોત્તરી પર એક નજર કરીએ તો ધારાસભ્યો જાણે સ્ક્રિપ્ટેડ સવાલ પૂછતા હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ જાણવા મળે છે. અહીં અમે તમને અનેક વખત પૂછાયેલા તારાકિંત સવાલો અને ધારાસભ્યોના નામ સાથે જણાવીએ છીએ. આ સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. 


સવાલ-2937


મહેસાણાના ભાજપના ધારાસભ્ય મુકેશ પટેલ


તેમણે સવાલ કર્યો કે ગુજરાતમાં કેટલા સોલાર પાર્ક છે અને કેટલી સ્થાપિત ક્ષમતાના પ્રોજેક્ટ કાર્યરત છે. આ સોલાર પાર્ક ક્યા આવેલા છે અને તેમાં કેટલું વીજ ઉત્પાદન થાય છે?


સવાલ-2990


હવે આ જ સવાલ ભાજપના અમદાવાદની મણીનગર સીટના ધારાસભ્ય અમુલ ભટ્ટે પણ પુછ્યો છે.


સવાલ-2938


જેતપુરના ભાજપના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા


જયંતિભાઈ રાઠવાએ વિધાનસભામાં સવાલ કર્યો કે છેલ્લા બે વર્ષમાં છોટા ઉદેપુર જિલ્લામાં કુટિર જ્યોતિ યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા, અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2997


હવે આ જ સવાલ સંખેડાના ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીએ પણ કર્યો હતો.


સવાલ-2933


ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્ય સેજલ બેન પંડ્યા


ભાવનગર પૂર્વના ભાજપના ધારાસભ્ય સેજલ બેન પંડ્યાએ ભાવનગર જિલ્લામાં સાગરખેડુ સર્વાંગી વિકાસ યોજના અંતર્ગત કેટલા કિં.મી જર્જરીત વીજ વાયર અને થાંભલા બદલવામાં આવ્યા, અને તે પાછળ કેટલો ખર્ચ થયો છે?


સવાલ-2985


આ જ સવાલ આબેહુબ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે પણ પુછ્યો હતો.


સવાલ-2929


ભાજપના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી


ભાજપના ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ સવાલ કર્યો કે અમદાવાદ જિલ્લામાં કેટલા નવા વીજ સબ સ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2928


સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ
નરોડા સીટના એમએલએ પાયલ કુકરાણી


સાણંદના ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ તથા ભાજપના અન્ય એક ધારાસભ્ય નરોડા સીટના એમએલએ પાયલ કુકરાણીએ પણ કર્યો છે તેમનો તારાંકિત સવાલનો ક્રમ 2922 છે.


સવાલ-2913


ભાજપના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા


ભાજપના અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલાએ સવાલ કર્યો કે અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અનુસુચિત જાતિ (એસ.સી)ના લાભાર્થીઓને કૃષિ વિષયક જોડાણ આપવા માટેની યોજના હેઠળ કેટલા નવા કૃષિ વિષય વીજ જોડાણો આપવામાં આવ્યા અને તેની પાછળ કેટલો ખર્ચ થયો?


સવાલ-2914 


હવે આ જ સવાલ ભાજપના અમરાઈવાડી સીટના ધારાસભ્ય ડો. હસમુખ પટેલે પણ પુછ્યો હતો.


સવાલ- 2911


કરંજ સીટના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારી


સુરતની કરંજ સીટના ભાજપના ધારાસભ્ય પ્રવિણ ઘોઘારીએ સવાલ પુછ્યો કે 31-12-2022ની સ્થિતીએ પેન્શન અને પ્રોવિડન્ટ ફંડની કચેરીમાં વર્કચાર્જ કર્મચારીઓના જીપીએફના આખરી ચૂકવણાની કેટલી અરજી પડતર છે, તથા તે અરજીઓનો નિકાલ ક્યાં સુધી કરવામાં આવશે, અને અરજીઓ પડતર રહેવાના કારણો શા માટે?


સવાલ-2912


હવે આજ સવાલ ભાજપના અન્ય એક ધારાસભ્ય ગાંધીનગર ઉત્તર સીટના એમએલએ રીટાબેન પટેલે પણ કર્યો હતો.


ભરોસાની ભાજપ


અમે ઉપર જણાવેલા સવાલો તો માત્ર એક ઝાંખી છે, આવા તો અનેક સવાલો અનેક વખત પુનરાવર્તીત કરીને ભાજપના ધારાસભ્યો દ્વારા પૂછવામાં આવ્યા છે. હવે સવાલ એ થાય છે કે શું ભાજપે આટલી જંગી બહુમતી જનતાએ આ માટે આપી હતી? ભાજપના ધારાસભ્યોને તેમના મત વિસ્તાર કરતા અન્ય જિલ્લાના સવાલો શા માટે પૂછી રહ્યા છે. શું તેમના વિધાનસભા વિસ્તારની કોઈ સમસ્યાઓ જ નથી? ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યો એકના એક સવાલો અનેક વખત પુછીને શું સાબિત કરવા માગે છે?



લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.