વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની વ્યૂહરચનાની સાથે આગળ વધતું ભાજપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:02:24

ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ભાજપ પ્રચાર કરી મતદારોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપનો પ્રચાર સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરી રહ્યા છે. ચૂંટણીનો મોરચો સંભાળતા ગુજરાત ભાજપ દ્વારા 7 ઓક્ટોબર થી આગામી 10 દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.   

અમિત શાહ અને વડાપ્રધાનની નજર ગુજરાત સર કરવા પર  

સંગઠનને મજબૂત કરવા અમિત શાહ અને પીએમ મોદી ગુજરાત આવી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. 9 અને 10 ઓક્ટોબરના રોજ પીએમ મોદી ગુજરાતમાં આવી મતદાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છે. અનેક સ્થળો પર તેઓ જનસંબોધન કરવાના છે.

Portraits of Modi and Amit Shah on OPS camp hoarding raise eyebrows |  Deccan Herald

લોકો સુધી પહોંચવા કરાશે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન

ચૂંટણી પ્રચાર પાછળ ભાજપ દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી ગયા છે. ગ્રાઉન્ડ પર જઈ સામાન્ય માણસ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 10 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં ભાજપ જનસંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપ લોકો સુધી પહોંચવામાં સફળ થાય છે કે નહીં એ તો સમય જ બતાવશે. 




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.