વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની વ્યૂહરચનાની સાથે આગળ વધતું ભાજપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:02:24

ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ભાજપ પ્રચાર કરી મતદારોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપનો પ્રચાર સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરી રહ્યા છે. ચૂંટણીનો મોરચો સંભાળતા ગુજરાત ભાજપ દ્વારા 7 ઓક્ટોબર થી આગામી 10 દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.   

અમિત શાહ અને વડાપ્રધાનની નજર ગુજરાત સર કરવા પર  

સંગઠનને મજબૂત કરવા અમિત શાહ અને પીએમ મોદી ગુજરાત આવી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. 9 અને 10 ઓક્ટોબરના રોજ પીએમ મોદી ગુજરાતમાં આવી મતદાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છે. અનેક સ્થળો પર તેઓ જનસંબોધન કરવાના છે.

Portraits of Modi and Amit Shah on OPS camp hoarding raise eyebrows |  Deccan Herald

લોકો સુધી પહોંચવા કરાશે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન

ચૂંટણી પ્રચાર પાછળ ભાજપ દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી ગયા છે. ગ્રાઉન્ડ પર જઈ સામાન્ય માણસ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 10 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં ભાજપ જનસંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપ લોકો સુધી પહોંચવામાં સફળ થાય છે કે નહીં એ તો સમય જ બતાવશે. 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.