વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની વ્યૂહરચનાની સાથે આગળ વધતું ભાજપ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-03 17:02:24

ગુજરાત વિધાનસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ગુજરાતમાં કોંગ્રેસ, આપ અને ભાજપ પ્રચાર કરી મતદારોને પોતાના તરફ આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપનો પ્રચાર સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરી રહ્યા છે. ચૂંટણીનો મોરચો સંભાળતા ગુજરાત ભાજપ દ્વારા 7 ઓક્ટોબર થી આગામી 10 દિવસ સુધી ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.   

અમિત શાહ અને વડાપ્રધાનની નજર ગુજરાત સર કરવા પર  

સંગઠનને મજબૂત કરવા અમિત શાહ અને પીએમ મોદી ગુજરાત આવી અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યા છે. 9 અને 10 ઓક્ટોબરના રોજ પીએમ મોદી ગુજરાતમાં આવી મતદાર સુધી પહોંચવાનો પ્રયત્ન કરવાના છે. અનેક સ્થળો પર તેઓ જનસંબોધન કરવાના છે.

Portraits of Modi and Amit Shah on OPS camp hoarding raise eyebrows |  Deccan Herald

લોકો સુધી પહોંચવા કરાશે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન

ચૂંટણી પ્રચાર પાછળ ભાજપ દ્વારા કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. ગુજરાતમાં પણ અનેક કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યના મંત્રીઓ પ્રચાર કરવા મેદાનમાં ઉતરી ગયા છે. ગ્રાઉન્ડ પર જઈ સામાન્ય માણસ સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભાજપના કાર્યકર્તાઓ અને સંગઠનને મજબૂત કરવા પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. 10 દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં ભાજપ જનસંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ભાજપ લોકો સુધી પહોંચવામાં સફળ થાય છે કે નહીં એ તો સમય જ બતાવશે. 




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .