બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-19 17:46:18

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભાજપ તેમજ આપે ચૂંટણી પ્રચાર કરવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે કોંગ્રસે પણ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો. આ બધા વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જે.પી નડ્ડા બાદ વડાપ્રધાન મોદી તેમજ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવવાના છે.

BJP National President - JP Nadda To Visit Tripura On August 28; CM Calls  High-Level Meeting On August 21

અનેક કાર્યક્રમોમાં જે.પી.નડ્ડા રહેશે ઉપસ્થિત

2022ના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ઈલેક્શનને ઘણો ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે પોતાના મતદારોને રિઝવવા દરેક પાર્ટી પ્રયાસ કરી રહી છે. એક બાદ એક અનેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં પ્રવાસ કરી માહોલ બનાવી રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 20 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા વિરાંજલિ કાર્યક્રમમાં ભાગ લેવાના છે. ઉપરાંત ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા યોજાનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરવાના છે. ઉપરાંત પ્રોફેસર સમિટ અને મેયર સમિટના સમાપન સત્રમાં પણ ઉપસ્થિત રહેવાના છે. તેમજ તેમના પ્રવાસ દરમિયાન ભવ્ય રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ રોડ-શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સી.આર.પાટીલ તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.