નો રિપીટથી ભાજપને જ 'નો રિપીટ'નો ખતરો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-24 20:24:53

નો રિપીટથી ભાજપને જ 'નો રિપીટ'નો ખતરો?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ થોડા મહિના રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે, ભાજપને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી સામેથી પણ જબરદસ્ત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સ્થિતીમાં ભાજપને બે મોરચે લડવું પડી રહ્યું છે, પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પક્ષની ચૂંટણી રણનિતી સ્પષ્ટ કરતા જાહેર કર્યું હતું કે આ વખતે ભાજપ નો રિપીટ થિયરીને અનુસરશે અને મોદીની લોકપ્રિયતાના જોરે ચૂંટાઈ આવતા નેતાઓને આ વખતે ટિકિટ નહીં મળે. યુવાનોની વાતો કરતી પાર્ટીમાં યુવાઓને જ હાસિયામાં ધકેલવામાં આવતા  હોવાથી કાર્યકરોમાં પણ રોશ છે, જો કે ટિકીટની કાગડોળે રાહ જોઈ રહેલા યુવા કાર્યકરોની મનોકામના આ વખતે પુરી થતી જણાઈ રહી છે.


શું ભાજપ માટે બૂમરેંગ સાબિત થશે રણનિતી?


પાટીલની આ નો રિપીટ થિયરીએ પાર્ટીમાં જ અસંતોષ ઉભો કર્યો છે, અને અંદરથી છળવળાંટ પણ જોવા મળી રહ્યો છે. કેતન ઈનામદારે તો જાહેરમાં પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી દીધો છે. સૌથી મોટો સવાલ કોંગ્રેસમાંથી પલાયન કરીને આવેલા 'યાયાવર નેતા'ઓ ભાજપને કેટલા વફાદાર રહેશે તે જોવાનું છે. સત્તા માટે ભાજપમાં આવેલા આ યાયાવર નેતાઓ ગમે ત્યારે નવું સરોવર શોધી લેશે તેનાથી ચિંતિંત ભાજપ તેની નો રિપીટ થિયરી પર પુન:વિચાર કરી શકે છે.


ભાજપની મુંઝવણ


છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસમાંથી 60થી વધુ અગ્રણી નેતા ભાજપમાં જોડાઈ ચુંક્યા છે અને તે ભાજપના પ્રતિક હેઠળ ચૂંટણી પણ જીત્યા છે, હવે જ્યારે ભાજપ નો રિપીટ થિયરી અપનાવવા જઈ રહી છે છે ત્યારે આ નેતાઓ ભાજપને કેટલા વફાદાર રહે છે, તે જોવાનું છે. કુંવરજી બાવળિયા,રાઘવજી પટેલ,જવાહર ચાવડા,બ્રિજેશ મેરજા સહિતના નેતાઓ પક્ષપલટો કરી શકે છે. તો બીજી તરફ ભાજપમાં જ ઘણા લાંબા સમયથી પાર્ટી કાર્યાલયની ખુરશીઓ સાફ કરતા કાર્યકરો પણ ટિકીટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને તેમની ધીરજ હવે ખુટી છે, આ અસંતુષ્ટ કાર્યકરો તે ગમે ત્યારે પાર્ટીથી વિમુખ થશે તેવો ભય ભાજપના અગ્રણી નેતાઓને સતાવી રહ્યો છે.



વિકલ્પની રાજનિતી


રાજ્યમાં લાંબા સમય સુધી ભાજપ અને કોંગ્રેસનો જ પ્રભાવ રહ્યો છે, જો કે હવે આમ આદમી પાર્ટી પણ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે, વળી આમ આદમી પાર્ટીને દિલ્લી બાદ પંજાબમાં પણ સત્તા મળી છે ત્યારે આપ કાર્યકરોનો આત્મ વિશ્વાસ બુલંદ છે.આ સ્થિતીમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓ આપ અને કોંગ્રેસમાં જોડાય તેવી આશંકા છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતા આ વખતની વિધાનસભાની ચૂંટણી રસપ્રદ અને રસાકસીભરી બનશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે