નો રિપીટથી ભાજપને જ 'નો રિપીટ'નો ખતરો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-24 20:24:53

નો રિપીટથી ભાજપને જ 'નો રિપીટ'નો ખતરો?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ થોડા મહિના રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે, ભાજપને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી સામેથી પણ જબરદસ્ત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સ્થિતીમાં ભાજપને બે મોરચે લડવું પડી રહ્યું છે, પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પક્ષની ચૂંટણી રણનિતી સ્પષ્ટ કરતા જાહેર કર્યું હતું કે આ વખતે ભાજપ નો રિપીટ થિયરીને અનુસરશે અને મોદીની લોકપ્રિયતાના જોરે ચૂંટાઈ આવતા નેતાઓને આ વખતે ટિકિટ નહીં મળે. યુવાનોની વાતો કરતી પાર્ટીમાં યુવાઓને જ હાસિયામાં ધકેલવામાં આવતા  હોવાથી કાર્યકરોમાં પણ રોશ છે, જો કે ટિકીટની કાગડોળે રાહ જોઈ રહેલા યુવા કાર્યકરોની મનોકામના આ વખતે પુરી થતી જણાઈ રહી છે.


શું ભાજપ માટે બૂમરેંગ સાબિત થશે રણનિતી?


પાટીલની આ નો રિપીટ થિયરીએ પાર્ટીમાં જ અસંતોષ ઉભો કર્યો છે, અને અંદરથી છળવળાંટ પણ જોવા મળી રહ્યો છે. કેતન ઈનામદારે તો જાહેરમાં પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી દીધો છે. સૌથી મોટો સવાલ કોંગ્રેસમાંથી પલાયન કરીને આવેલા 'યાયાવર નેતા'ઓ ભાજપને કેટલા વફાદાર રહેશે તે જોવાનું છે. સત્તા માટે ભાજપમાં આવેલા આ યાયાવર નેતાઓ ગમે ત્યારે નવું સરોવર શોધી લેશે તેનાથી ચિંતિંત ભાજપ તેની નો રિપીટ થિયરી પર પુન:વિચાર કરી શકે છે.


ભાજપની મુંઝવણ


છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસમાંથી 60થી વધુ અગ્રણી નેતા ભાજપમાં જોડાઈ ચુંક્યા છે અને તે ભાજપના પ્રતિક હેઠળ ચૂંટણી પણ જીત્યા છે, હવે જ્યારે ભાજપ નો રિપીટ થિયરી અપનાવવા જઈ રહી છે છે ત્યારે આ નેતાઓ ભાજપને કેટલા વફાદાર રહે છે, તે જોવાનું છે. કુંવરજી બાવળિયા,રાઘવજી પટેલ,જવાહર ચાવડા,બ્રિજેશ મેરજા સહિતના નેતાઓ પક્ષપલટો કરી શકે છે. તો બીજી તરફ ભાજપમાં જ ઘણા લાંબા સમયથી પાર્ટી કાર્યાલયની ખુરશીઓ સાફ કરતા કાર્યકરો પણ ટિકીટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને તેમની ધીરજ હવે ખુટી છે, આ અસંતુષ્ટ કાર્યકરો તે ગમે ત્યારે પાર્ટીથી વિમુખ થશે તેવો ભય ભાજપના અગ્રણી નેતાઓને સતાવી રહ્યો છે.



વિકલ્પની રાજનિતી


રાજ્યમાં લાંબા સમય સુધી ભાજપ અને કોંગ્રેસનો જ પ્રભાવ રહ્યો છે, જો કે હવે આમ આદમી પાર્ટી પણ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે, વળી આમ આદમી પાર્ટીને દિલ્લી બાદ પંજાબમાં પણ સત્તા મળી છે ત્યારે આપ કાર્યકરોનો આત્મ વિશ્વાસ બુલંદ છે.આ સ્થિતીમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓ આપ અને કોંગ્રેસમાં જોડાય તેવી આશંકા છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતા આ વખતની વિધાનસભાની ચૂંટણી રસપ્રદ અને રસાકસીભરી બનશે.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"