નો રિપીટથી ભાજપને જ 'નો રિપીટ'નો ખતરો?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-24 20:24:53

નો રિપીટથી ભાજપને જ 'નો રિપીટ'નો ખતરો?


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને માંડ થોડા મહિના રહ્યા છે, ત્યારે રાજકીય પક્ષો તેમની રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે, ભાજપને કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટી સામેથી પણ જબરદસ્ત પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. હવે આ સ્થિતીમાં ભાજપને બે મોરચે લડવું પડી રહ્યું છે, પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે પક્ષની ચૂંટણી રણનિતી સ્પષ્ટ કરતા જાહેર કર્યું હતું કે આ વખતે ભાજપ નો રિપીટ થિયરીને અનુસરશે અને મોદીની લોકપ્રિયતાના જોરે ચૂંટાઈ આવતા નેતાઓને આ વખતે ટિકિટ નહીં મળે. યુવાનોની વાતો કરતી પાર્ટીમાં યુવાઓને જ હાસિયામાં ધકેલવામાં આવતા  હોવાથી કાર્યકરોમાં પણ રોશ છે, જો કે ટિકીટની કાગડોળે રાહ જોઈ રહેલા યુવા કાર્યકરોની મનોકામના આ વખતે પુરી થતી જણાઈ રહી છે.


શું ભાજપ માટે બૂમરેંગ સાબિત થશે રણનિતી?


પાટીલની આ નો રિપીટ થિયરીએ પાર્ટીમાં જ અસંતોષ ઉભો કર્યો છે, અને અંદરથી છળવળાંટ પણ જોવા મળી રહ્યો છે. કેતન ઈનામદારે તો જાહેરમાં પોતાનો આક્રોશ પણ વ્યક્ત કરી દીધો છે. સૌથી મોટો સવાલ કોંગ્રેસમાંથી પલાયન કરીને આવેલા 'યાયાવર નેતા'ઓ ભાજપને કેટલા વફાદાર રહેશે તે જોવાનું છે. સત્તા માટે ભાજપમાં આવેલા આ યાયાવર નેતાઓ ગમે ત્યારે નવું સરોવર શોધી લેશે તેનાથી ચિંતિંત ભાજપ તેની નો રિપીટ થિયરી પર પુન:વિચાર કરી શકે છે.


ભાજપની મુંઝવણ


છેલ્લા 10 વર્ષમાં કોંગ્રેસમાંથી 60થી વધુ અગ્રણી નેતા ભાજપમાં જોડાઈ ચુંક્યા છે અને તે ભાજપના પ્રતિક હેઠળ ચૂંટણી પણ જીત્યા છે, હવે જ્યારે ભાજપ નો રિપીટ થિયરી અપનાવવા જઈ રહી છે છે ત્યારે આ નેતાઓ ભાજપને કેટલા વફાદાર રહે છે, તે જોવાનું છે. કુંવરજી બાવળિયા,રાઘવજી પટેલ,જવાહર ચાવડા,બ્રિજેશ મેરજા સહિતના નેતાઓ પક્ષપલટો કરી શકે છે. તો બીજી તરફ ભાજપમાં જ ઘણા લાંબા સમયથી પાર્ટી કાર્યાલયની ખુરશીઓ સાફ કરતા કાર્યકરો પણ ટિકીટ માટે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે અને તેમની ધીરજ હવે ખુટી છે, આ અસંતુષ્ટ કાર્યકરો તે ગમે ત્યારે પાર્ટીથી વિમુખ થશે તેવો ભય ભાજપના અગ્રણી નેતાઓને સતાવી રહ્યો છે.



વિકલ્પની રાજનિતી


રાજ્યમાં લાંબા સમય સુધી ભાજપ અને કોંગ્રેસનો જ પ્રભાવ રહ્યો છે, જો કે હવે આમ આદમી પાર્ટી પણ ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી રહી છે, વળી આમ આદમી પાર્ટીને દિલ્લી બાદ પંજાબમાં પણ સત્તા મળી છે ત્યારે આપ કાર્યકરોનો આત્મ વિશ્વાસ બુલંદ છે.આ સ્થિતીમાં ભાજપના અસંતુષ્ટ નેતાઓ આપ અને કોંગ્રેસમાં જોડાય તેવી આશંકા છે. આ સમગ્ર ઘટનાક્રમ જોતા આ વખતની વિધાનસભાની ચૂંટણી રસપ્રદ અને રસાકસીભરી બનશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.