BJPને હવે ચૂંટણીમાં પાંચ લાખની લીડ ભૂલાઈ? હવે ફોક્સ છે માત્ર જંગી જીત પર! જાણો વિગતવાર.. Loksabha Election 2024


  • Published By :
  • Published Date : 2024-05-06 13:51:25

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 151 સીટ પરના વિજય બાદ લોકસભાની ચૂંટણીમાં દરેક બેઠકો પર પાંચ લાખની લીડથી જીતવાનું લક્ષ્ય બહુ પહેલાથી જ કાર્યકરો સામે મુકી દીધું હતું...લોકસભાની ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી પાંચ લાખની લીડના શબ્દો ગુંજતા હતા.. પરંતુ ત્યાર પછી તરત જ ભાજપની આંતરિક જૂથબંધીના કારણે જે વિરોધ ફાટી નીકળ્યો અને રુપાલાની ટિપ્પણીથી ક્ષત્રિય સમાજનો વિરોધ સામે આવ્યો ત્યારથી ઘણીબધી બેઠકો પર ભાજપ માટે પડકાર છે. હવે ભાજપના નેતાઓ પાંચ લાખની લીડ એવું પોતાના ભાષણમાં બોલતા નથી... 


જંગી બહુમતીથી જીતાડવાની વાત કરાતી હતી.. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાની સભામાં ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવાની વાત કરે છે પરંતુ, હવે પાટીલ પણ પોતાના પ્રવચનમાં આ લીડની વાત દબાતા સ્વરે જ કરે છે. થોડા દિવસ પહેલા સાબરકાંઠામાં યોજાયેલા સહકાર સંમેલનમાં જ પાટીલે સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને કહ્યું કે આ ચૂંટણીમાં જો તમારા વિસ્તારના ઉમેદવારને પાંચ લાખની લીડ મળવામાં ઓટ આવે એમ હોય તો તે તમે પૂરી કરી આપજો.. ભાજપના નેતાઓ જ હવે માને છે કે વર્તમાન સ્થિતિમાં ભાજપના ઉમેદવારો માટે લીડ કરતા જીત મહત્વની થઈ ગઈ છે.... 


ઘર ઘર સુધી નથી કરી શક્યા પ્રચાર 

ઘણી જગ્યાઓ પર જ્ઞાતિઓના કારણે અને કેટલીક બેઠકો પર આંતરિક મુદ્દાઓના કારણે આ સ્થિતિ ઉભી થઈ છે... થોડા સમય પહેલા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવ્યા હતા, તેમણે પણ કાર્યકરો અહીં ખાસ લોકસંપર્ક કરી શક્યા નથી. અને ઉમેદવારોનો પ્રચાર ઘર-ઘર સુધી થઈ શક્યો નથી. તે મામલે અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે એ બાબતે પણ શંકા વ્યક્ત કરી હતી કે, મતદાન નીચું જાય તો ભાજપ માટે સ્થિતિ વિકટ બની જશે.... 


પીએમ મોદી કહ્યું કે તમે તમારો મત ઉમેદવારને નહીં પરંતુ.... 

ભાજપ ગુજરાતની દરેક બેઠક પર વિજય માટે જે-તે ઉમેદવારને બદલે મોદીનો ચહેરો જ આગળ ધરે છે. સ્વંય મોદી પણ બે દિવસ ગુજરાતની પ્રચારસભામાં બોલતા રહ્યાં કે તમે તમારો મત અહીંના ઉમેદવારને આપશો તો એ મત સીધો મને મળશે.પાંચ લાખ જેટલી મોટી લીડ મેળવવા માટે પક્ષ કે તેના નેતાની સાથે ઉમેદવારની પોતાની છબી પણ એટલી જ જરુરી હોય છે...  હવે સવાલ છે પાંચ લાખની લીડનો તો કઈ બેઠકો પર ભાજપને પાંચ લાખથી વધારે લીડ મળી હતી... 


વડોદરામાં નવા ચહેરાને આપવામાં આવ્યો મોકો

સુરતની બેઠક પર ભાજપને 5.48 લાખની લીડ મળી હતી જે આ વખતે બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ગાંધીનગરની બેઠક પર 5.57 લાખની લીડ મળી હતી. વડોદરામાં 5.89 લાખની લીડ મળી હતી. પણ આ વખતે વડોદરામાં આંતરિક કલહ ચરમસીમા પર હતો અને નવોદિત ચહેરા ડૉ હેમાંગ જોશીનો પણ ક્યાંક વિરોધ થયો હતો. નવસારીમાં 6.86 લાખની લીડ મળી હતી... તો ત્યાં એકતરફી ચિત્ર દેખાય રહ્યું છે... 


હવે વાત કરીએ ભાજપની 3 લાખથી વધુ લીડ ધરાવતી બેઠકો વિશે તો 

પંચમહાલ 4.28 લાખ 

વલસાડ 3.53 લાખની લીડ 

ભરુચ 3.34 લાખ લીડ 

છોટાઉદેપુરમાં 3.77 લાખની લીડ 

ખેડામાં 3.67 લાખની લીડ 

રાજકોટમાં 3.68 લાખની લીડ 

અમદાવાદ પૂર્વમાં 4.34 લાખની લીડ 

બનાસકાંઠામાં 3.68 લાખની લીડ 

કચ્છમાં 3.05 લાખની લીડ


કોને મળશે સૌથી વધારે લીડ તેની પર નજર કારણ કે... 

વલસાડ, ભરુચ, બનાસકાંઠામાં કોંગ્રેસના ઉમેદવારો ટફ ફાઈટ આપી રહ્યાં છે. તો રાજકોટમાં પણ ફાઈટ ટફ છે અને ક્ષત્રિયો રુપાલાના હવે તો ભાજપના વિરોધમાં છે એટલે ભાજપને લીડમાં ફરક પડી શકે છે....  બીજો સવાલ હવે એ થાય કે પાંચ લાખની લીડની વાત છે તો અમિત શાહ કે સી.આર.પાટીલ કોને પાંચ લાખથી વધારે લીડ મળશે... તો  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે અને તેમણે કાર્યકરોને 10 લાખની લીડનો લક્ષ્યાંક આપ્યો છે. આ તરફ પાટીલની નવસારી બેઠક પર સૌથી વધુ 22 લાખ ઉપરાંત મતદાતાઓ છે. તેથી તેઓ આ વખતે ગઈ ચૂંટણીમાં મળેલી 6.86 લાખની લીડ કરતાં વધુ મતે વિજેત બનવા માંગે છે. આ સંજોગોમાં શાહ અને પાટીલમાંથી સૌથી વધુ કોને લીડ મળે છે તે જોવુ રસપ્રદ રહેશે...     

 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.