BJPએ Rahul Gandhi-Priyanka gandhiનાં સંબંધો પર ઉઠાવ્યાં સવાલો! જુઓ BJPએ શેર કરેલો વીડિયો જેમાં બતાવવામાં આવ્યું છે કે....


  • Published By :
  • Published Date : 2023-09-04 14:24:52

કહેવાય છે પ્યાર ઔર જંગ મેં સબ જાઇઝ હે.. આ વાત પ્રેમ અને જંગ માટે કહેવામાં આવે છે પરંતુ જ્યારે રાજનીતિની વાત  આવે ત્યારે કદાચ આ બધુ ભૂલાઈ જતું હોય છે. આ વાત ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોને જોઈને કહી રહ્યા છીએ. ભાઈ બહેનનો સબંધ એટલે પ્રેમનો સબંધ કહેવાય પણ જ્યાં રાજનીતિ આવે ત્યાં પક્ષો કટાક્ષ કરવામાં અને એકબીજાને નીચા પાડવામાં કોઈ પણ હદ વટાવી શકે છે. બીજેપીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સબંધો પર કટાક્ષ કર્યો છે.  

રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી!

ભાજપે રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેના સંબંધો પર કટાક્ષ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી. પ્રિયંકા રાહુલ કરતાં વધુ ચતૂર છે, પરંતુ પાર્ટી રાહુલના ઈશારે નાચી રહી છે, સોનિયા ગાંધી પણ સંપૂર્ણપણે રાહુલની સાથે છે. અહંકારી ગઠબંધનની બેઠકમાંથી પ્રિયંકાનું ગાયબ થવું, કારણ વગરનું નથી. બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીનો ઉપયોગ પક્ષમાં માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કર્ણાટક-હિમાચલમાં 28થી વધુ રેલીઓ કરી છતાં જીતનો શ્રેય રાહુલને જ જાય છે.


બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવે છે - ભાજપનો કટાક્ષ

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને બીજેપી એક ટેકનિક અપનાવી રહી છે કે ફૂટ પાડો અને રાજ કરો. આ વીડિયો ઘણા બધા સવાલ પણ ઊભા કરી રહ્યું છે. આ ટ્વીટમાં ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્વનું છે એ છે બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે થાય છે. પ્રિયંકાએ કર્ણાટક અને હિમાચલમાં 28થી વધુ રેલીઓ કરી અને પાર્ટીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી છતાં જીતનો શ્રેય રાહુલને આપવામાં આવે છે.


જો પ્રિયંકા ગાંધીને તક મળશે તો...

વીડિયોમાં બીજી એક વાત કરવામાં આવી છે એ છે કે  રાહુલ અને પ્રિયંકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. માતા સોનિયા અને રાહુલ જાણે છે કે જો પ્રિયંકા ગાંધીને રાજકારણમાં તક મળશે તો પાર્ટીના તમામ લોકો તેમની પડખે રહેશે. એટલે તેને તક આપવામાં નથી આવી રહી. બીજી સૌથી મોટી વાત અને એવી વાત જેના પર ભાગ્યેજ કોઈની નજર ગઈ હશે કે પ્રિયંકાએ 1989ની લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીમાં પિતા રાજીવ ગાંધી માટે પ્રચાર કર્યો હતો. હવે આ સમયે તે તેના ભાઈ માટે પ્રચાર કરે છે. રાહુલ તો પાર્ટીના અધ્યક્ષ પણ બની ગયા છે અને વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડવાનું સપનું જોઈ રહ્યા છે, પરંતુ પ્રિયંકા એ જ સ્થાને છે જે તે પહેલા હતા. 


કોંગ્રેસના નેતાએ આ મામલે આપ્યો જવાબ 

ભાજપના આ દાવાઓને ફગાવી દેતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે તમામ પરિવારો ભાજપ માટે સમાન નથી. હાથમાં રાખડી બાંધતા રાહુલ ગાંધીનો ફોટો ટ્વીટ કરીને તેમણે લખ્યું, 'તમારી આંખો અને મન બંનેની સારવાર કરાવો. રક્ષાબંધનના દિવસે રાહુલજીએ રાખડી બાંધી હતી. જો કે, તે આખું વર્ષ રાખડી બાંધે છે. ત્યારે સવાલ એ છે કે રાજનીતિમાં કોઈ પણના પરિવારના સબંધો પર આંગળી ચીંધવાનું ક્યાં આવે છે? અને એ પણ ભાઈ બહેનના સબંધો પર ખેર આ રાજનીતિ છે આમાં કઈ પણ થઈ શકે છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.