BJPએ Rahul Gandhi-Priyanka gandhiનાં સંબંધો પર ઉઠાવ્યાં સવાલો! જુઓ BJPએ શેર કરેલો વીડિયો જેમાં બતાવવામાં આવ્યું છે કે....


  • Published By :
  • Published Date : 2023-09-04 14:24:52

કહેવાય છે પ્યાર ઔર જંગ મેં સબ જાઇઝ હે.. આ વાત પ્રેમ અને જંગ માટે કહેવામાં આવે છે પરંતુ જ્યારે રાજનીતિની વાત  આવે ત્યારે કદાચ આ બધુ ભૂલાઈ જતું હોય છે. આ વાત ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોને જોઈને કહી રહ્યા છીએ. ભાઈ બહેનનો સબંધ એટલે પ્રેમનો સબંધ કહેવાય પણ જ્યાં રાજનીતિ આવે ત્યાં પક્ષો કટાક્ષ કરવામાં અને એકબીજાને નીચા પાડવામાં કોઈ પણ હદ વટાવી શકે છે. બીજેપીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સબંધો પર કટાક્ષ કર્યો છે.  

રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી!

ભાજપે રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેના સંબંધો પર કટાક્ષ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી. પ્રિયંકા રાહુલ કરતાં વધુ ચતૂર છે, પરંતુ પાર્ટી રાહુલના ઈશારે નાચી રહી છે, સોનિયા ગાંધી પણ સંપૂર્ણપણે રાહુલની સાથે છે. અહંકારી ગઠબંધનની બેઠકમાંથી પ્રિયંકાનું ગાયબ થવું, કારણ વગરનું નથી. બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીનો ઉપયોગ પક્ષમાં માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કર્ણાટક-હિમાચલમાં 28થી વધુ રેલીઓ કરી છતાં જીતનો શ્રેય રાહુલને જ જાય છે.


બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવે છે - ભાજપનો કટાક્ષ

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને બીજેપી એક ટેકનિક અપનાવી રહી છે કે ફૂટ પાડો અને રાજ કરો. આ વીડિયો ઘણા બધા સવાલ પણ ઊભા કરી રહ્યું છે. આ ટ્વીટમાં ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્વનું છે એ છે બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે થાય છે. પ્રિયંકાએ કર્ણાટક અને હિમાચલમાં 28થી વધુ રેલીઓ કરી અને પાર્ટીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી છતાં જીતનો શ્રેય રાહુલને આપવામાં આવે છે.


જો પ્રિયંકા ગાંધીને તક મળશે તો...

વીડિયોમાં બીજી એક વાત કરવામાં આવી છે એ છે કે  રાહુલ અને પ્રિયંકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. માતા સોનિયા અને રાહુલ જાણે છે કે જો પ્રિયંકા ગાંધીને રાજકારણમાં તક મળશે તો પાર્ટીના તમામ લોકો તેમની પડખે રહેશે. એટલે તેને તક આપવામાં નથી આવી રહી. બીજી સૌથી મોટી વાત અને એવી વાત જેના પર ભાગ્યેજ કોઈની નજર ગઈ હશે કે પ્રિયંકાએ 1989ની લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીમાં પિતા રાજીવ ગાંધી માટે પ્રચાર કર્યો હતો. હવે આ સમયે તે તેના ભાઈ માટે પ્રચાર કરે છે. રાહુલ તો પાર્ટીના અધ્યક્ષ પણ બની ગયા છે અને વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડવાનું સપનું જોઈ રહ્યા છે, પરંતુ પ્રિયંકા એ જ સ્થાને છે જે તે પહેલા હતા. 


કોંગ્રેસના નેતાએ આ મામલે આપ્યો જવાબ 

ભાજપના આ દાવાઓને ફગાવી દેતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે તમામ પરિવારો ભાજપ માટે સમાન નથી. હાથમાં રાખડી બાંધતા રાહુલ ગાંધીનો ફોટો ટ્વીટ કરીને તેમણે લખ્યું, 'તમારી આંખો અને મન બંનેની સારવાર કરાવો. રક્ષાબંધનના દિવસે રાહુલજીએ રાખડી બાંધી હતી. જો કે, તે આખું વર્ષ રાખડી બાંધે છે. ત્યારે સવાલ એ છે કે રાજનીતિમાં કોઈ પણના પરિવારના સબંધો પર આંગળી ચીંધવાનું ક્યાં આવે છે? અને એ પણ ભાઈ બહેનના સબંધો પર ખેર આ રાજનીતિ છે આમાં કઈ પણ થઈ શકે છે. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.