BJPએ Rahul Gandhi-Priyanka gandhiનાં સંબંધો પર ઉઠાવ્યાં સવાલો! જુઓ BJPએ શેર કરેલો વીડિયો જેમાં બતાવવામાં આવ્યું છે કે....


  • Published By :
  • Published Date : 2023-09-04 14:24:52

કહેવાય છે પ્યાર ઔર જંગ મેં સબ જાઇઝ હે.. આ વાત પ્રેમ અને જંગ માટે કહેવામાં આવે છે પરંતુ જ્યારે રાજનીતિની વાત  આવે ત્યારે કદાચ આ બધુ ભૂલાઈ જતું હોય છે. આ વાત ભાજપ દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોને જોઈને કહી રહ્યા છીએ. ભાઈ બહેનનો સબંધ એટલે પ્રેમનો સબંધ કહેવાય પણ જ્યાં રાજનીતિ આવે ત્યાં પક્ષો કટાક્ષ કરવામાં અને એકબીજાને નીચા પાડવામાં કોઈ પણ હદ વટાવી શકે છે. બીજેપીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સબંધો પર કટાક્ષ કર્યો છે.  

રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી!

ભાજપે રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેના સંબંધો પર કટાક્ષ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા વચ્ચેનો સંબંધ સામાન્ય ભાઈ-બહેન જેવો નથી. પ્રિયંકા રાહુલ કરતાં વધુ ચતૂર છે, પરંતુ પાર્ટી રાહુલના ઈશારે નાચી રહી છે, સોનિયા ગાંધી પણ સંપૂર્ણપણે રાહુલની સાથે છે. અહંકારી ગઠબંધનની બેઠકમાંથી પ્રિયંકાનું ગાયબ થવું, કારણ વગરનું નથી. બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. પ્રિયંકા ગાંધીનો ઉપયોગ પક્ષમાં માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવી રહ્યો છે. તેમણે કર્ણાટક-હિમાચલમાં 28થી વધુ રેલીઓ કરી છતાં જીતનો શ્રેય રાહુલને જ જાય છે.


બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી પ્રચાર માટે કરવામાં આવે છે - ભાજપનો કટાક્ષ

હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકીને બીજેપી એક ટેકનિક અપનાવી રહી છે કે ફૂટ પાડો અને રાજ કરો. આ વીડિયો ઘણા બધા સવાલ પણ ઊભા કરી રહ્યું છે. આ ટ્વીટમાં ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જેમાં સૌથી મહત્વનું છે એ છે બહેનનો ઉપયોગ માત્ર ચૂંટણી માટે થાય છે. પ્રિયંકાએ કર્ણાટક અને હિમાચલમાં 28થી વધુ રેલીઓ કરી અને પાર્ટીની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી છતાં જીતનો શ્રેય રાહુલને આપવામાં આવે છે.


જો પ્રિયંકા ગાંધીને તક મળશે તો...

વીડિયોમાં બીજી એક વાત કરવામાં આવી છે એ છે કે  રાહુલ અને પ્રિયંકા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. માતા સોનિયા અને રાહુલ જાણે છે કે જો પ્રિયંકા ગાંધીને રાજકારણમાં તક મળશે તો પાર્ટીના તમામ લોકો તેમની પડખે રહેશે. એટલે તેને તક આપવામાં નથી આવી રહી. બીજી સૌથી મોટી વાત અને એવી વાત જેના પર ભાગ્યેજ કોઈની નજર ગઈ હશે કે પ્રિયંકાએ 1989ની લોકસભા ચૂંટણી દરમિયાન અમેઠીમાં પિતા રાજીવ ગાંધી માટે પ્રચાર કર્યો હતો. હવે આ સમયે તે તેના ભાઈ માટે પ્રચાર કરે છે. રાહુલ તો પાર્ટીના અધ્યક્ષ પણ બની ગયા છે અને વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડવાનું સપનું જોઈ રહ્યા છે, પરંતુ પ્રિયંકા એ જ સ્થાને છે જે તે પહેલા હતા. 


કોંગ્રેસના નેતાએ આ મામલે આપ્યો જવાબ 

ભાજપના આ દાવાઓને ફગાવી દેતા કોંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનાતે કહ્યું કે તમામ પરિવારો ભાજપ માટે સમાન નથી. હાથમાં રાખડી બાંધતા રાહુલ ગાંધીનો ફોટો ટ્વીટ કરીને તેમણે લખ્યું, 'તમારી આંખો અને મન બંનેની સારવાર કરાવો. રક્ષાબંધનના દિવસે રાહુલજીએ રાખડી બાંધી હતી. જો કે, તે આખું વર્ષ રાખડી બાંધે છે. ત્યારે સવાલ એ છે કે રાજનીતિમાં કોઈ પણના પરિવારના સબંધો પર આંગળી ચીંધવાનું ક્યાં આવે છે? અને એ પણ ભાઈ બહેનના સબંધો પર ખેર આ રાજનીતિ છે આમાં કઈ પણ થઈ શકે છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.