ભાજપના રાજ્યસભા સાંસદ નરેશ બંસલનો બફાટ, "ઈન્ડિયા નામને બંધારણમાંથી કાઢી નાખવું જોઈએ", કોંગ્રેસે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-07-28 20:34:13

ભાજપના રાજ્યસભા સાંસદ નરેશ બંસલે શુક્રવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યસભામાં કહ્યું હતું કે 'ઈન્ડિયા' નામ "ગુલામી"નું પ્રતીક છે અને "ઈન્ડિયા નામને બંધારણમાંથી કાઢી નાખવું જોઈએ." વિપક્ષના નવા મહાગઠબંધન 'India' (ભારતીય નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ) ની ઘોષણા કરી ત્યારથી જ ભાજપના નેતાઓ આ નામ સામે ટિપ્પણી કર્યા કરે છે. સાંસદ નરેશ બંસલના જણાવ્યા પ્રમાણે 'ઈન્ડિયા' નામ સંસ્થાનવાદી ભૂતકાળની યાદ અપાવે છે.


સાંસદ નરેશ બંસલે શું કહ્યું?


શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન બંસલે કહ્યું: "અંગ્રેજોએ ભારતનું નામ બદલીને ઈન્ડિયા રાખ્યું હતું. કલમ 1 હેઠળ, બંધારણ જણાવે છે: 'ઈન્ડિયા ધેટ ઈઝ ભારત'. આપણો દેશ હજારો વર્ષથી 'ભારત' નામથી ઓળખાય છે. ભારત જ તેનું સાચું નામ છે. વળી તે આ દેશનું પ્રાચીન નામ છે અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં જોવા મળે છે. 'ઈન્ડિયા' નામ બ્રિટિશ શાસકો દ્વારા આપવામાં આવ્યું હતું અને તેથી તે ગુલામીનું પ્રતીક છે. 'ઈન્ડિયા' નામ બંધારણમાંથી કાઢી નાખવું જોઈએ." સાંસદે નોંધ્યું હતું કે ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ઘોષણા કરી હતી કે સંસ્થાનવાદના તમામ પ્રતીકો ભૂંસી નાખવા જોઈએ. આપણે આની શરૂઆત કલમ 1 થી કરવી જોઈએ અને તેમાં લખેલું ઈન્ડિયા નામ કાઢી નાખીને તેને બદલે માત્ર ભારત રાખીને કરી શકીએ છિએ."


કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા


કોંગ્રેસના ઘણા નેતાઓએ, જો કે, એ બાબતનું ઝડપથી ધ્યાન દોર્યું હતું કે ભાજપ બ્રિટિશ શાસન સમયના વારસાને દૂર કરવા માટે મક્કમ દેખાતું હોવા છતાં, કેન્દ્રએ તેની મુખ્ય યોજનાઓ અને ચળવળો જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને ન્યૂ ઇન્ડિયામાં ભારત નામનો સમાવેશ કરવાનું ચાલુ રાખવું પડશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.