ભાજપના રાજ્યસભા સાંસદ નરેશ બંસલનો બફાટ, "ઈન્ડિયા નામને બંધારણમાંથી કાઢી નાખવું જોઈએ", કોંગ્રેસે આપ્યો આ જવાબ


  • Published By :
  • Published Date : 2023-07-28 20:34:13

ભાજપના રાજ્યસભા સાંસદ નરેશ બંસલે શુક્રવારે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રાજ્યસભામાં કહ્યું હતું કે 'ઈન્ડિયા' નામ "ગુલામી"નું પ્રતીક છે અને "ઈન્ડિયા નામને બંધારણમાંથી કાઢી નાખવું જોઈએ." વિપક્ષના નવા મહાગઠબંધન 'India' (ભારતીય નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ) ની ઘોષણા કરી ત્યારથી જ ભાજપના નેતાઓ આ નામ સામે ટિપ્પણી કર્યા કરે છે. સાંસદ નરેશ બંસલના જણાવ્યા પ્રમાણે 'ઈન્ડિયા' નામ સંસ્થાનવાદી ભૂતકાળની યાદ અપાવે છે.


સાંસદ નરેશ બંસલે શું કહ્યું?


શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન બંસલે કહ્યું: "અંગ્રેજોએ ભારતનું નામ બદલીને ઈન્ડિયા રાખ્યું હતું. કલમ 1 હેઠળ, બંધારણ જણાવે છે: 'ઈન્ડિયા ધેટ ઈઝ ભારત'. આપણો દેશ હજારો વર્ષથી 'ભારત' નામથી ઓળખાય છે. ભારત જ તેનું સાચું નામ છે. વળી તે આ દેશનું પ્રાચીન નામ છે અને પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં જોવા મળે છે. 'ઈન્ડિયા' નામ બ્રિટિશ શાસકો દ્વારા આપવામાં આવ્યું હતું અને તેથી તે ગુલામીનું પ્રતીક છે. 'ઈન્ડિયા' નામ બંધારણમાંથી કાઢી નાખવું જોઈએ." સાંસદે નોંધ્યું હતું કે ગયા વર્ષે 15 ઓગસ્ટના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ઘોષણા કરી હતી કે સંસ્થાનવાદના તમામ પ્રતીકો ભૂંસી નાખવા જોઈએ. આપણે આની શરૂઆત કલમ 1 થી કરવી જોઈએ અને તેમાં લખેલું ઈન્ડિયા નામ કાઢી નાખીને તેને બદલે માત્ર ભારત રાખીને કરી શકીએ છિએ."


કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા


કોંગ્રેસના ઘણા નેતાઓએ, જો કે, એ બાબતનું ઝડપથી ધ્યાન દોર્યું હતું કે ભાજપ બ્રિટિશ શાસન સમયના વારસાને દૂર કરવા માટે મક્કમ દેખાતું હોવા છતાં, કેન્દ્રએ તેની મુખ્ય યોજનાઓ અને ચળવળો જેમ કે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટ-અપ ઇન્ડિયા અને ન્યૂ ઇન્ડિયામાં ભારત નામનો સમાવેશ કરવાનું ચાલુ રાખવું પડશે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.