આમ આદમી પાર્ટીના ટ્વિટનો ભાજપે આપ્યો વળતો જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:55:05

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જનસભાઓમાં રાજકીય પાર્ટી એક બીજા પર આક્રમક થઈ પ્રહાર કરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ એક અલગ પ્રકારનું યુદ્ધ છેડાઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પહેલા એક ટ્વિટ કરી હતી જેમાં તેમણે શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ ટ્વિટનો જવાબ આપ્યો છે. જેમાં ભાજપે આપ પર પ્રહાર કરી લખ્યું કે પંજાબમાં શિક્ષકો અને કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી અને VIP ઉપયોગ માટે પ્લેન ભાડે લેવાની તૈયારી ચાલી રહી છે.

  

ટ્વિટનો જવાબ ભાજપે ટ્વિટ થકી આપ્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં એકદમ વ્યસ્ત બની છે. આપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જનસભા દરમિયાન દરેક પાર્ટી પોતાનો પ્રચાર તો કરતી હોય છે પરંતુ બીજી પાર્ટી પર પણ પ્રહાર કરતી હોય છે. આ સિલસિલો ભાજપ અને આપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ બંને પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં કેજરીવાલ નરેન્દ્ર મોદીને શાળામાં ખેંચીને લઈ જાય છે. તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ પણ ટ્વિટ કર્યું છે જેમાં આમ આદમી પાર્ટીની સરકાર પાસે શિક્ષકોને પગાર આપવાના પૈસા નથી તેવું બતાવવામાં આવ્યું છે.         




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.