આમ આદમી પાર્ટીના ટ્વિટનો ભાજપે આપ્યો વળતો જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:55:05

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જનસભાઓમાં રાજકીય પાર્ટી એક બીજા પર આક્રમક થઈ પ્રહાર કરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ એક અલગ પ્રકારનું યુદ્ધ છેડાઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પહેલા એક ટ્વિટ કરી હતી જેમાં તેમણે શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ ટ્વિટનો જવાબ આપ્યો છે. જેમાં ભાજપે આપ પર પ્રહાર કરી લખ્યું કે પંજાબમાં શિક્ષકો અને કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી અને VIP ઉપયોગ માટે પ્લેન ભાડે લેવાની તૈયારી ચાલી રહી છે.

  

ટ્વિટનો જવાબ ભાજપે ટ્વિટ થકી આપ્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં એકદમ વ્યસ્ત બની છે. આપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જનસભા દરમિયાન દરેક પાર્ટી પોતાનો પ્રચાર તો કરતી હોય છે પરંતુ બીજી પાર્ટી પર પણ પ્રહાર કરતી હોય છે. આ સિલસિલો ભાજપ અને આપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ બંને પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં કેજરીવાલ નરેન્દ્ર મોદીને શાળામાં ખેંચીને લઈ જાય છે. તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ પણ ટ્વિટ કર્યું છે જેમાં આમ આદમી પાર્ટીની સરકાર પાસે શિક્ષકોને પગાર આપવાના પૈસા નથી તેવું બતાવવામાં આવ્યું છે.         




ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."