આમ આદમી પાર્ટીના ટ્વિટનો ભાજપે આપ્યો વળતો જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 15:55:05

ગુજરાતમાં ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જનસભાઓમાં રાજકીય પાર્ટી એક બીજા પર આક્રમક થઈ પ્રહાર કરી રહી છે. ત્યારે સોશિયલ મીડિયા પર પણ એક અલગ પ્રકારનું યુદ્ધ છેડાઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પહેલા એક ટ્વિટ કરી હતી જેમાં તેમણે શિક્ષણને પ્રાધાન્ય આપવાની વાત કરી હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ ટ્વિટનો જવાબ આપ્યો છે. જેમાં ભાજપે આપ પર પ્રહાર કરી લખ્યું કે પંજાબમાં શિક્ષકો અને કર્મચારીઓને પગાર આપવા માટે પૈસા નથી અને VIP ઉપયોગ માટે પ્લેન ભાડે લેવાની તૈયારી ચાલી રહી છે.

  

ટ્વિટનો જવાબ ભાજપે ટ્વિટ થકી આપ્યો

ગુજરાતમાં આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં એકદમ વ્યસ્ત બની છે. આપનો પ્રચાર કરવા દિગ્ગજ નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જનસભા દરમિયાન દરેક પાર્ટી પોતાનો પ્રચાર તો કરતી હોય છે પરંતુ બીજી પાર્ટી પર પણ પ્રહાર કરતી હોય છે. આ સિલસિલો ભાજપ અને આપ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ બંને પાર્ટી કરી રહી છે. આમ આદમી પાર્ટીએ એક ફોટો ટ્વિટ કર્યો હતો જેમાં કેજરીવાલ નરેન્દ્ર મોદીને શાળામાં ખેંચીને લઈ જાય છે. તેના જવાબમાં ભારતીય જનતા પાર્ટીએ પણ ટ્વિટ કર્યું છે જેમાં આમ આદમી પાર્ટીની સરકાર પાસે શિક્ષકોને પગાર આપવાના પૈસા નથી તેવું બતાવવામાં આવ્યું છે.         




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.