’નમો કિસાન પંચાયત’ ઇલેક્ટ્રિક બાઇક દ્વારા ખેડૂતોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:07:36

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. મતદારોને રિઝવવા તેમજ આકર્ષવા ભાજપ અનેક પ્રયાસ કરી રહી છે. ભાજપ પ્રચાર માટે એકદમ પ્રખ્યાત છે. પોતાના પ્રચાર માટે ભાજપ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. આ વખતે પણ વિધાનસભા ચૂંટણી પાછળ ભાજપ કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે. ગૌરવ યાત્રાની સાથે સાથે ભાજપે LED રથની પણ શરૂઆત કરી છે ત્યારે ગામડાના લોકો સુધી તેમજ ખેડૂતો સુધી પોતાના કાર્યોને પહોંચાડવા ભાજપે નમો કિસાન પંચાયત ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં ઈલેક્ટ્રિક બાઈકને ભગવા રંગમાં રંગી દેવામાં આવી છે ઉપરાંત વડાપ્રધાન મોદીનો ફોટો તેમજ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. આ પ્રચારના માધ્યમથી ખેડૂતો સુધી સરકારે કરેલા કામો અને વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવશે. 

LED રથ બાદ ઈલેક્ટ્રિક બાઈકની કરી શરૂઆત    

ગામડાઓના લોકો સુધી પહોંચવા ભાજપ પ્રયાસ કરી રહી છે. પ્રચાર કરવા માટે એક પણ જગ્યા અને એક પણ મોકો ભાજપ બાકી રાખવા નથી માગતું. આને ધ્યાનમાં રાખી ભાજપે નમો કિશાન પંચાતય ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં બાઈક પર ભગવા રંગના કમળ તેમજ નરેન્દ્ર મોદીના ફોટા સાથે તૈયાર કરવામાં આવી છે. ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ઇલેક્ટ્રિક બાઇક ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરશે . આનો વિશેષ ઉપયોગ ખેડૂતોને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે. બાઇકમાં LED સ્ક્રીન લગાડી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે. 

ઇ-બાઇકને આખી કેસરી રંગથી રંગી દેવામાં આવી.

ખેડૂતોને રીઝવવાનો કરાશે પ્રયાસ

ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈ-બાઈક રાજ્યના 33 જિલ્લાઓમાં ફરશે. આ બાઈક પર પાછળના ભાગમાં LED લગાડવામા આવી છે જેમાં ભાજપ દ્વારા કરવામાં  આવેલી કામગીરી અને વિકાસના કામો બતાવવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓ તેમજ ડબલ એન્જીનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો વિશે લોકોને અને તેમાં પણ મુખ્યત્વે ખેડૂતોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.       

In Photos: ગુજરાતમાં ભાજપે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, જાણીને અક્કલ પણ નહીં કરે કામ, જુઓ તસવીરો

ભાજપ દ્વારા 1800 કાર્યકર્તાને તાલીમ આપવામાં આવી.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"