’નમો કિસાન પંચાયત’ ઇલેક્ટ્રિક બાઇક દ્વારા ખેડૂતોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:07:36

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. મતદારોને રિઝવવા તેમજ આકર્ષવા ભાજપ અનેક પ્રયાસ કરી રહી છે. ભાજપ પ્રચાર માટે એકદમ પ્રખ્યાત છે. પોતાના પ્રચાર માટે ભાજપ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. આ વખતે પણ વિધાનસભા ચૂંટણી પાછળ ભાજપ કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે. ગૌરવ યાત્રાની સાથે સાથે ભાજપે LED રથની પણ શરૂઆત કરી છે ત્યારે ગામડાના લોકો સુધી તેમજ ખેડૂતો સુધી પોતાના કાર્યોને પહોંચાડવા ભાજપે નમો કિસાન પંચાયત ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં ઈલેક્ટ્રિક બાઈકને ભગવા રંગમાં રંગી દેવામાં આવી છે ઉપરાંત વડાપ્રધાન મોદીનો ફોટો તેમજ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. આ પ્રચારના માધ્યમથી ખેડૂતો સુધી સરકારે કરેલા કામો અને વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવશે. 

LED રથ બાદ ઈલેક્ટ્રિક બાઈકની કરી શરૂઆત    

ગામડાઓના લોકો સુધી પહોંચવા ભાજપ પ્રયાસ કરી રહી છે. પ્રચાર કરવા માટે એક પણ જગ્યા અને એક પણ મોકો ભાજપ બાકી રાખવા નથી માગતું. આને ધ્યાનમાં રાખી ભાજપે નમો કિશાન પંચાતય ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં બાઈક પર ભગવા રંગના કમળ તેમજ નરેન્દ્ર મોદીના ફોટા સાથે તૈયાર કરવામાં આવી છે. ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ઇલેક્ટ્રિક બાઇક ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરશે . આનો વિશેષ ઉપયોગ ખેડૂતોને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે. બાઇકમાં LED સ્ક્રીન લગાડી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે. 

ઇ-બાઇકને આખી કેસરી રંગથી રંગી દેવામાં આવી.

ખેડૂતોને રીઝવવાનો કરાશે પ્રયાસ

ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈ-બાઈક રાજ્યના 33 જિલ્લાઓમાં ફરશે. આ બાઈક પર પાછળના ભાગમાં LED લગાડવામા આવી છે જેમાં ભાજપ દ્વારા કરવામાં  આવેલી કામગીરી અને વિકાસના કામો બતાવવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓ તેમજ ડબલ એન્જીનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો વિશે લોકોને અને તેમાં પણ મુખ્યત્વે ખેડૂતોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.       

In Photos: ગુજરાતમાં ભાજપે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, જાણીને અક્કલ પણ નહીં કરે કામ, જુઓ તસવીરો

ભાજપ દ્વારા 1800 કાર્યકર્તાને તાલીમ આપવામાં આવી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.