’નમો કિસાન પંચાયત’ ઇલેક્ટ્રિક બાઇક દ્વારા ખેડૂતોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 14:07:36

ગુજરાતમાં પ્રચાર કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. મતદારોને રિઝવવા તેમજ આકર્ષવા ભાજપ અનેક પ્રયાસ કરી રહી છે. ભાજપ પ્રચાર માટે એકદમ પ્રખ્યાત છે. પોતાના પ્રચાર માટે ભાજપ કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. આ વખતે પણ વિધાનસભા ચૂંટણી પાછળ ભાજપ કરોડો રૂપિયા ખર્ચી રહ્યું છે. ગૌરવ યાત્રાની સાથે સાથે ભાજપે LED રથની પણ શરૂઆત કરી છે ત્યારે ગામડાના લોકો સુધી તેમજ ખેડૂતો સુધી પોતાના કાર્યોને પહોંચાડવા ભાજપે નમો કિસાન પંચાયત ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં ઈલેક્ટ્રિક બાઈકને ભગવા રંગમાં રંગી દેવામાં આવી છે ઉપરાંત વડાપ્રધાન મોદીનો ફોટો તેમજ LED સ્ક્રીન લગાડવામાં આવી છે. આ પ્રચારના માધ્યમથી ખેડૂતો સુધી સરકારે કરેલા કામો અને વિવિધ યોજનાની જાણકારી આપવામાં આવશે. 

LED રથ બાદ ઈલેક્ટ્રિક બાઈકની કરી શરૂઆત    

ગામડાઓના લોકો સુધી પહોંચવા ભાજપ પ્રયાસ કરી રહી છે. પ્રચાર કરવા માટે એક પણ જગ્યા અને એક પણ મોકો ભાજપ બાકી રાખવા નથી માગતું. આને ધ્યાનમાં રાખી ભાજપે નમો કિશાન પંચાતય ઈલેક્ટ્રિક બાઈકની શરૂઆત કરી છે. જેમાં બાઈક પર ભગવા રંગના કમળ તેમજ નરેન્દ્ર મોદીના ફોટા સાથે તૈયાર કરવામાં આવી છે. ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ઇલેક્ટ્રિક બાઇક ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનો પ્રચાર કરશે . આનો વિશેષ ઉપયોગ ખેડૂતોને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે. બાઇકમાં LED સ્ક્રીન લગાડી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે. 

ઇ-બાઇકને આખી કેસરી રંગથી રંગી દેવામાં આવી.

ખેડૂતોને રીઝવવાનો કરાશે પ્રયાસ

ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ઈ-બાઈક રાજ્યના 33 જિલ્લાઓમાં ફરશે. આ બાઈક પર પાછળના ભાગમાં LED લગાડવામા આવી છે જેમાં ભાજપ દ્વારા કરવામાં  આવેલી કામગીરી અને વિકાસના કામો બતાવવામાં આવશે. વિવિધ સરકારી યોજનાઓ તેમજ ડબલ એન્જીનની સરકાર દ્વારા કરવામાં આવેલા કામો વિશે લોકોને અને તેમાં પણ મુખ્યત્વે ખેડૂતોને આકર્ષવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.       

In Photos: ગુજરાતમાં ભાજપે શરૂ કર્યો ડિજિટલ પ્રચાર, જાણીને અક્કલ પણ નહીં કરે કામ, જુઓ તસવીરો

ભાજપ દ્વારા 1800 કાર્યકર્તાને તાલીમ આપવામાં આવી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.