બીજા તબક્કાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-02 09:58:58

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. અમદાવાદ ખાતે તેમણે ગુરૂવારે ભવ્ય રોડ શો કર્યો હતો ત્યારે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ પણ તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. અમિત શાહ પણ ગુજરાતમાં રહી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. આજે અનેક સ્થળો પર જનસભાઓ સંબોધવાના છે.  

Image

મોદી-શાહ ગુજરાતમાં કરશે પ્રચાર 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું હતું. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. દરેક પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

Image

અનેક સ્થળો પર યોજાશે જનસભા

પ્રચાર કરવા વડાપ્રધાન અનેક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા પીએમ 1લી અને 2જી ડિસેમ્બરમાં બીજા તબક્કાની બેઠકો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી કારંજમાં જનસભા યોજવાના છે. ઉપરાંત પાટણ, સોજિત્રા તેમજ અમદાવાદમાં પણ તેઓ જનસભા યોજી મતદારોને આકર્ષવા પ્રયાસ કરવાના છે. અમિત શાહ પણ મહેસાણામાં, વડોદરામાં તેમજ અમદાવાદમાં જનસભા કરવાના છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતો આ પ્રચાર મતદારોને આકર્ષવા સફળ થશે કે નહીં તે આઠમી ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.