બીજા તબક્કાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-02 09:58:58

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. અમદાવાદ ખાતે તેમણે ગુરૂવારે ભવ્ય રોડ શો કર્યો હતો ત્યારે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ પણ તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. અમિત શાહ પણ ગુજરાતમાં રહી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. આજે અનેક સ્થળો પર જનસભાઓ સંબોધવાના છે.  

Image

મોદી-શાહ ગુજરાતમાં કરશે પ્રચાર 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું હતું. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. દરેક પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

Image

અનેક સ્થળો પર યોજાશે જનસભા

પ્રચાર કરવા વડાપ્રધાન અનેક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા પીએમ 1લી અને 2જી ડિસેમ્બરમાં બીજા તબક્કાની બેઠકો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી કારંજમાં જનસભા યોજવાના છે. ઉપરાંત પાટણ, સોજિત્રા તેમજ અમદાવાદમાં પણ તેઓ જનસભા યોજી મતદારોને આકર્ષવા પ્રયાસ કરવાના છે. અમિત શાહ પણ મહેસાણામાં, વડોદરામાં તેમજ અમદાવાદમાં જનસભા કરવાના છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતો આ પ્રચાર મતદારોને આકર્ષવા સફળ થશે કે નહીં તે આઠમી ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.