બીજા તબક્કાની ચૂંટણી પહેલા મતદારોને આકર્ષવા ભાજપનો પ્રયાસ


  • Published By :
  • Published Date : 2022-12-02 09:58:58

ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પાંચમી ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે બીજા તબક્કા માટેનું મતદાન થાય તે પહેલા દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરવામાં લાગી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રચારના મેદાનમાં ઉતરી ગયા છે. અમદાવાદ ખાતે તેમણે ગુરૂવારે ભવ્ય રોડ શો કર્યો હતો ત્યારે આજે એટલે કે બીજી ડિસેમ્બરના રોજ પણ તેઓ ચૂંટણી પ્રચાર કરવાના છે. અમિત શાહ પણ ગુજરાતમાં રહી પ્રચારની કમાન સંભાળી રહ્યા છે. આજે અનેક સ્થળો પર જનસભાઓ સંબોધવાના છે.  

Image

મોદી-શાહ ગુજરાતમાં કરશે પ્રચાર 

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાવાનું હતું. પ્રથમ તબક્કાનું મતદાન પહેલી ડિસેમ્બરના રોજ મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યારે બીજા તબક્કાનું મતદાન પાંચમી તારીખે થવાનું છે. આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના પ્રચારમાં લાગી ગઈ છે. દરેક પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર માટે મેદાનમાં ઉતારી દીધા છે. ત્યારે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી સહિતના નેતાઓ ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવી પ્રચાર કરી રહ્યા છે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાતમાં પ્રચાર કરી રહ્યા છે. 

Image

અનેક સ્થળો પર યોજાશે જનસભા

પ્રચાર કરવા વડાપ્રધાન અનેક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા પીએમ 1લી અને 2જી ડિસેમ્બરમાં બીજા તબક્કાની બેઠકો માટે પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રવાસના બીજા દિવસે પીએમ મોદી કારંજમાં જનસભા યોજવાના છે. ઉપરાંત પાટણ, સોજિત્રા તેમજ અમદાવાદમાં પણ તેઓ જનસભા યોજી મતદારોને આકર્ષવા પ્રયાસ કરવાના છે. અમિત શાહ પણ મહેસાણામાં, વડોદરામાં તેમજ અમદાવાદમાં જનસભા કરવાના છે. ત્યારે પાર્ટી દ્વારા કરવામાં આવતો આ પ્રચાર મતદારોને આકર્ષવા સફળ થશે કે નહીં તે આઠમી ડિસેમ્બરના રોજ ખબર પડશે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.