ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટીના નેતાઓ સામે લાલઘૂમ, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો.......


  • Published By :
  • Published Date : 2023-09-12 17:30:47

ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે. જો કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમના વાકબાણો પાર્ટી માટે ચિંતાનો વિષય  બની રહ્યા છે. ‎ભરૂચના નેત્રંગ ખાતે  સોમવારે યોજાયેલી એક જાહેરસભામાં ‎મનસુખ વસાવાએ આદિવાસી પ્રમાણપત્રોના ‎મામલે નેતાઓનો ઉઘડો લીધો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ ‎પાર્ટીના ચાર નેતાઓ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને પોતાનો અંગત લાભ મેળવી ભાજપના ભાગલા પાડનારા ગણાવ્યા હતા.


ખોટા આદીવાસી પ્રમાણપત્રો અંગે ચૂપ કેમ?

 

સાંસદ મનસુખ વસાવાએ ખોટા આદિજાતીના પ્રમાણપત્રો અંગે પણ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે‎ કહયું કે, આદિવાસી સમાજના‎ ધારાસભ્યો દર્શના દેશમુખ, ચૈતર વસાવા,‎ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને‎ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર‎ આદિવાસી નેતા છે પણ ખોટા પ્રમાણપત્રો‎ બાબતે કેમ બોલતા નથી. સાંસદ ગીતાબેન‎ રાઠવા તો રાઠવા જ નથી કે શું બીજા કોઈ‎ સમાજ ના હોય તેમ લાગે છે.‎ તે ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે "ખોટી રીતે બિન આદિવાસીઓએ મેળવી આદિવાસીઓના નામે ચરી ખાય છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશ વસાવા, દર્શનાબેન દેશમુખ,સાંસદ ગીતાબેન રાઠવા, જસવંતસિંહ‎ ભાભોર, પરભુ વસાવા કંઈ બોલતા નથી. આદિવાસીની રિઝર્વ બેઠક ઉપરથી ચુંટાઇ‎ આવો છો પણ આદિવાસી માટે બોલતા નથી. મનસુખભાઇ વસાવા બોલે તો પાર્ટી વિરોધી‎ કામ કરે તેવી રજુઆતો કરો છો.‎ ભરૂચના નેત્રંગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.


વિરોધીઓને લીધા આડેહાથ


મનસુખ વસાવાએ ‎બીટીપીમાંથી આવી ભાજપની ટિકીટ પર ચૂંટણી‎ લડી ધારાસભ્ય બનેલાં રીતેશ વસાવાને કોઢ‎ ઉંદર ગણાવ્યો હતો. સાંસદે કહયું હતું કે, રિતેશ ‎વસાવા અને પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ છોટુ‎વસાવાને પણ બદનામ કરી નાખ્યા છે અને‎ તેના કારણે છોટુ વસાવા આજે પણ દુ:ખી છે.‎ બંને નેતાઓ જેવું બિટીપીમાં કરતા હતા તેવું ‎જ ભાજપમાં કરવા માંગે છે પણ ભાજપમાં એવું ‎નહિ ચાલે સુધારી જજો. રિતેશ વસાવા અને‎પ્રકાશ વસાવાથી ઝઘડિયા તાલુકાના સંગઠન‎ના લોકો ડરે છે. રીતેશ વસાવાએ કોઢ ઉંદરની‎ માફક છોટુભાઇને કોરી ખાધા બાદ હવે ‎ભાજપને કોરી ખાવા માટે આવ્યો છે.‎ મનસુખ વસાવાએ પ્રદેશમાં અને દિલ્હીમાં તેમની સામે ષડ્યંત્ર રચતા વિરોધીઓને તેમના મોઢામાં આંગળા ન નાખવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેઓ ભાજપમાં બાકોરા પાડવાનું કામ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.મનસુખ વસાવાનો અવાજ એટલે ગરીબોનો અવાજ, 6 ટર્મથી પાર્ટી પણ જાણે છે. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી હુંકાર કર્યો હતો કે, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો હું બધાનાં ઠીકરાં સાફ કરી નાખીશ' એમ કહી તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ લોકસભાની ચૂંટણી તો હું રમતાં રમતાં જીતવાનો છું. સૂતેલા સિંહને ન છંછેડવા અને પોતે જૂના રાજના વાઘ હોવાનું પણ સભામાં કહ્યું હતું. મનસુખ વસાવાએ તેમની સામે દુષ્પ્રચાર કરનારનું બેંક બેલેન્સ જોવા પણ કહ્યું હતું. અંતમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, આજે સભામાં નીડરો આવ્યા છે પણ ડરપોકો નથી આવ્યા. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિચારધારાને વરેલો જ વ્યક્તિ આવે તેવો આગ્રહ અંતે તેમણે વ્યક્ત કર્યો હતો. ભાજપમાં જ રહેલા પોતાના વિરોધીઓને સાંસદે તેમની ફરિયાદ કરવા પૃથ્વીલોક શું ચંદ્રલોક પર પણ જવા માટે કહ્યું હતું.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.