ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટીના નેતાઓ સામે લાલઘૂમ, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો.......


  • Published By :
  • Published Date : 2023-09-12 17:30:47

ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે. જો કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમના વાકબાણો પાર્ટી માટે ચિંતાનો વિષય  બની રહ્યા છે. ‎ભરૂચના નેત્રંગ ખાતે  સોમવારે યોજાયેલી એક જાહેરસભામાં ‎મનસુખ વસાવાએ આદિવાસી પ્રમાણપત્રોના ‎મામલે નેતાઓનો ઉઘડો લીધો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ ‎પાર્ટીના ચાર નેતાઓ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને પોતાનો અંગત લાભ મેળવી ભાજપના ભાગલા પાડનારા ગણાવ્યા હતા.


ખોટા આદીવાસી પ્રમાણપત્રો અંગે ચૂપ કેમ?

 

સાંસદ મનસુખ વસાવાએ ખોટા આદિજાતીના પ્રમાણપત્રો અંગે પણ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે‎ કહયું કે, આદિવાસી સમાજના‎ ધારાસભ્યો દર્શના દેશમુખ, ચૈતર વસાવા,‎ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને‎ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર‎ આદિવાસી નેતા છે પણ ખોટા પ્રમાણપત્રો‎ બાબતે કેમ બોલતા નથી. સાંસદ ગીતાબેન‎ રાઠવા તો રાઠવા જ નથી કે શું બીજા કોઈ‎ સમાજ ના હોય તેમ લાગે છે.‎ તે ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે "ખોટી રીતે બિન આદિવાસીઓએ મેળવી આદિવાસીઓના નામે ચરી ખાય છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશ વસાવા, દર્શનાબેન દેશમુખ,સાંસદ ગીતાબેન રાઠવા, જસવંતસિંહ‎ ભાભોર, પરભુ વસાવા કંઈ બોલતા નથી. આદિવાસીની રિઝર્વ બેઠક ઉપરથી ચુંટાઇ‎ આવો છો પણ આદિવાસી માટે બોલતા નથી. મનસુખભાઇ વસાવા બોલે તો પાર્ટી વિરોધી‎ કામ કરે તેવી રજુઆતો કરો છો.‎ ભરૂચના નેત્રંગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.


વિરોધીઓને લીધા આડેહાથ


મનસુખ વસાવાએ ‎બીટીપીમાંથી આવી ભાજપની ટિકીટ પર ચૂંટણી‎ લડી ધારાસભ્ય બનેલાં રીતેશ વસાવાને કોઢ‎ ઉંદર ગણાવ્યો હતો. સાંસદે કહયું હતું કે, રિતેશ ‎વસાવા અને પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ છોટુ‎વસાવાને પણ બદનામ કરી નાખ્યા છે અને‎ તેના કારણે છોટુ વસાવા આજે પણ દુ:ખી છે.‎ બંને નેતાઓ જેવું બિટીપીમાં કરતા હતા તેવું ‎જ ભાજપમાં કરવા માંગે છે પણ ભાજપમાં એવું ‎નહિ ચાલે સુધારી જજો. રિતેશ વસાવા અને‎પ્રકાશ વસાવાથી ઝઘડિયા તાલુકાના સંગઠન‎ના લોકો ડરે છે. રીતેશ વસાવાએ કોઢ ઉંદરની‎ માફક છોટુભાઇને કોરી ખાધા બાદ હવે ‎ભાજપને કોરી ખાવા માટે આવ્યો છે.‎ મનસુખ વસાવાએ પ્રદેશમાં અને દિલ્હીમાં તેમની સામે ષડ્યંત્ર રચતા વિરોધીઓને તેમના મોઢામાં આંગળા ન નાખવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેઓ ભાજપમાં બાકોરા પાડવાનું કામ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.મનસુખ વસાવાનો અવાજ એટલે ગરીબોનો અવાજ, 6 ટર્મથી પાર્ટી પણ જાણે છે. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી હુંકાર કર્યો હતો કે, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો હું બધાનાં ઠીકરાં સાફ કરી નાખીશ' એમ કહી તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ લોકસભાની ચૂંટણી તો હું રમતાં રમતાં જીતવાનો છું. સૂતેલા સિંહને ન છંછેડવા અને પોતે જૂના રાજના વાઘ હોવાનું પણ સભામાં કહ્યું હતું. મનસુખ વસાવાએ તેમની સામે દુષ્પ્રચાર કરનારનું બેંક બેલેન્સ જોવા પણ કહ્યું હતું. અંતમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, આજે સભામાં નીડરો આવ્યા છે પણ ડરપોકો નથી આવ્યા. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિચારધારાને વરેલો જ વ્યક્તિ આવે તેવો આગ્રહ અંતે તેમણે વ્યક્ત કર્યો હતો. ભાજપમાં જ રહેલા પોતાના વિરોધીઓને સાંસદે તેમની ફરિયાદ કરવા પૃથ્વીલોક શું ચંદ્રલોક પર પણ જવા માટે કહ્યું હતું.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી