ભાજપના ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ પાર્ટીના નેતાઓ સામે લાલઘૂમ, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો.......


  • Published By :
  • Published Date : 2023-09-12 17:30:47

ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા છે. જો કે જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમના વાકબાણો પાર્ટી માટે ચિંતાનો વિષય  બની રહ્યા છે. ‎ભરૂચના નેત્રંગ ખાતે  સોમવારે યોજાયેલી એક જાહેરસભામાં ‎મનસુખ વસાવાએ આદિવાસી પ્રમાણપત્રોના ‎મામલે નેતાઓનો ઉઘડો લીધો હતો. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની જ ‎પાર્ટીના ચાર નેતાઓ ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈને નિશાન બનાવી આકરા પ્રહારો કર્યા હતા. મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમને પોતાનો અંગત લાભ મેળવી ભાજપના ભાગલા પાડનારા ગણાવ્યા હતા.


ખોટા આદીવાસી પ્રમાણપત્રો અંગે ચૂપ કેમ?

 

સાંસદ મનસુખ વસાવાએ ખોટા આદિજાતીના પ્રમાણપત્રો અંગે પણ તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમણે‎ કહયું કે, આદિવાસી સમાજના‎ ધારાસભ્યો દર્શના દેશમુખ, ચૈતર વસાવા,‎ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા અને‎ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર‎ આદિવાસી નેતા છે પણ ખોટા પ્રમાણપત્રો‎ બાબતે કેમ બોલતા નથી. સાંસદ ગીતાબેન‎ રાઠવા તો રાઠવા જ નથી કે શું બીજા કોઈ‎ સમાજ ના હોય તેમ લાગે છે.‎ તે ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે "ખોટી રીતે બિન આદિવાસીઓએ મેળવી આદિવાસીઓના નામે ચરી ખાય છે. તેવા સંજોગોમાં ધારાસભ્ય રિતેશ વસાવા, દર્શનાબેન દેશમુખ,સાંસદ ગીતાબેન રાઠવા, જસવંતસિંહ‎ ભાભોર, પરભુ વસાવા કંઈ બોલતા નથી. આદિવાસીની રિઝર્વ બેઠક ઉપરથી ચુંટાઇ‎ આવો છો પણ આદિવાસી માટે બોલતા નથી. મનસુખભાઇ વસાવા બોલે તો પાર્ટી વિરોધી‎ કામ કરે તેવી રજુઆતો કરો છો.‎ ભરૂચના નેત્રંગ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના હોલમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સભા યોજી દોઢ કલાક સુધી ભાષણ કરી ચાર વિરોધીઓ અને તેમની ટીમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.


વિરોધીઓને લીધા આડેહાથ


મનસુખ વસાવાએ ‎બીટીપીમાંથી આવી ભાજપની ટિકીટ પર ચૂંટણી‎ લડી ધારાસભ્ય બનેલાં રીતેશ વસાવાને કોઢ‎ ઉંદર ગણાવ્યો હતો. સાંસદે કહયું હતું કે, રિતેશ ‎વસાવા અને પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ છોટુ‎વસાવાને પણ બદનામ કરી નાખ્યા છે અને‎ તેના કારણે છોટુ વસાવા આજે પણ દુ:ખી છે.‎ બંને નેતાઓ જેવું બિટીપીમાં કરતા હતા તેવું ‎જ ભાજપમાં કરવા માંગે છે પણ ભાજપમાં એવું ‎નહિ ચાલે સુધારી જજો. રિતેશ વસાવા અને‎પ્રકાશ વસાવાથી ઝઘડિયા તાલુકાના સંગઠન‎ના લોકો ડરે છે. રીતેશ વસાવાએ કોઢ ઉંદરની‎ માફક છોટુભાઇને કોરી ખાધા બાદ હવે ‎ભાજપને કોરી ખાવા માટે આવ્યો છે.‎ મનસુખ વસાવાએ પ્રદેશમાં અને દિલ્હીમાં તેમની સામે ષડ્યંત્ર રચતા વિરોધીઓને તેમના મોઢામાં આંગળા ન નાખવા તાકીદ કરી હતી. આ ઉપરાંત તેઓ ભાજપમાં બાકોરા પાડવાનું કામ કરી રહ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.મનસુખ વસાવાનો અવાજ એટલે ગરીબોનો અવાજ, 6 ટર્મથી પાર્ટી પણ જાણે છે. મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી હુંકાર કર્યો હતો કે, 'મને જો છંછેડવાનો પ્રયત્ન કર્યો તો હું બધાનાં ઠીકરાં સાફ કરી નાખીશ' એમ કહી તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ લોકસભાની ચૂંટણી તો હું રમતાં રમતાં જીતવાનો છું. સૂતેલા સિંહને ન છંછેડવા અને પોતે જૂના રાજના વાઘ હોવાનું પણ સભામાં કહ્યું હતું. મનસુખ વસાવાએ તેમની સામે દુષ્પ્રચાર કરનારનું બેંક બેલેન્સ જોવા પણ કહ્યું હતું. અંતમાં ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, આજે સભામાં નીડરો આવ્યા છે પણ ડરપોકો નથી આવ્યા. તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ભાજપની વિચારધારાને વરેલો જ વ્યક્તિ આવે તેવો આગ્રહ અંતે તેમણે વ્યક્ત કર્યો હતો. ભાજપમાં જ રહેલા પોતાના વિરોધીઓને સાંસદે તેમની ફરિયાદ કરવા પૃથ્વીલોક શું ચંદ્રલોક પર પણ જવા માટે કહ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.