Mehsanaમાં BJPના C.J.Chavda અને હરિભાઈ પટેલ ભુવાજીના શરણે પહોંચ્યા, ભુવાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે દેશમાં ભાજપને...


  • Published By :
  • Published Date : 2024-04-24 10:43:47

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પ્રચારનો દોર તો જોવા મળે છે પરંતુ પ્રચારની સાથે સાથે ઉમેદવારો ભુવાજીના શરણે જતા પણ જોવા મળે છે... ભુવાજીની ભવિષ્યવાણી સાંભળવા માટે નેતાઓ ભૂવાજી પાસે જાય છે. ભૂવાજીના શરણે અનેક ઉમેદવારોને જોયા છે ત્યારે ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડા અને મહેસાણાના ભાજપના ઉમેદવાર આશીર્વાદ લેવા માટે ભુવાજીના શરણે ગયા હતા..  

રાજકીય પાર્ટીના ઉમેદવારો જઈ રહ્યા છે ભુવાજીના શરણે 

હજી સુધી આપણે સાંભળ્યું છે કે ચૂંટણી જીતવા માટે સામ, દામ, દંડ,ભેદની રાજનીતિ અપનાવામાં આવતી હોય છે.. જીત માટે ઉમેદવારો  સંભવ તમામ પ્રયાસો કરતા હોય છે.. ત્યારે હવે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો ભુવાજીના શરણે જતા જોવા મળી રહ્યા છે. ક્રિકેટના મેદાનથી લઈને ભૂવાજીની રમેલ સુધી ઉમેદવારો જતા હોય છે, એવામાં મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીના શરણે પહોંચ્યા છે. તેમણે સધીધામ દેવીપુરા ગામે જાતરમાં હાજરી આપી હતી... આ બધાની વચ્ચે ભુવાજીએ પણ ભવિષ્યવાણી કરી છે... 


મહેસાણા ભાજપના ઉમેદવારે લીધા ભુવાજીના આશીર્વાદ!

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. એક બાજુ રાજ્યમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. મતદાતાઓને રિઝવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. મતદાતાઓના મતની સાથે સાથે ભુવાજીના આશીર્વાદ લેવા માટે પણ ઉમેદવારો પહોંચી રહ્યા છે. મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીની શરણે પહોંચ્યા હતા. જ્યાં દીપા માતાજીના ભુવાએ એક ભવિષ્યવાણી કરીને તમામને આશ્ચર્યમમાં મૂકી દીધા હતા. 


ભાજપને દેશમાં 400થી વધારે સીટ મળશે - ભુવાજી

ભુવાજીએ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સી.જે ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી હતી. સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને બન્ને ઉમેદવાર ગયા હતા, જ્યાં ભુવાજીએ ધુણતા ધુણતા આ આગાહી કરી હતી. સાથે ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની ભવિષ્યવાણી કરી હતી... 


કોંગ્રેસના પણ અનેક ઉમેદવારો ગયા છે ભુવાજીના શરણે !

તો આ પહેલીવાર નથી કે કોઈ નેતા કે ઉમેદવાર ભુવાજીના શરણે ગયા હોય. અગાઉ પણ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા,કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીના શરણે જઈ ચુક્યા છે.. અને જીત માટેના આશીર્વાદ માંગી ચૂક્યા છે... નેતાજીના ભૂવાજીના શરણે જવા મુદ્દે આપ શું માનો છો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો.. 




દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.