Mehsanaમાં BJPના C.J.Chavda અને હરિભાઈ પટેલ ભુવાજીના શરણે પહોંચ્યા, ભુવાજીએ આશીર્વાદ આપતા કહ્યું કે દેશમાં ભાજપને...


  • Published By :
  • Published Date : 2024-04-24 10:43:47

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ પ્રચારનો દોર તો જોવા મળે છે પરંતુ પ્રચારની સાથે સાથે ઉમેદવારો ભુવાજીના શરણે જતા પણ જોવા મળે છે... ભુવાજીની ભવિષ્યવાણી સાંભળવા માટે નેતાઓ ભૂવાજી પાસે જાય છે. ભૂવાજીના શરણે અનેક ઉમેદવારોને જોયા છે ત્યારે ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડા અને મહેસાણાના ભાજપના ઉમેદવાર આશીર્વાદ લેવા માટે ભુવાજીના શરણે ગયા હતા..  

રાજકીય પાર્ટીના ઉમેદવારો જઈ રહ્યા છે ભુવાજીના શરણે 

હજી સુધી આપણે સાંભળ્યું છે કે ચૂંટણી જીતવા માટે સામ, દામ, દંડ,ભેદની રાજનીતિ અપનાવામાં આવતી હોય છે.. જીત માટે ઉમેદવારો  સંભવ તમામ પ્રયાસો કરતા હોય છે.. ત્યારે હવે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ચૂંટણી જીતવા માટે ઉમેદવારો ભુવાજીના શરણે જતા જોવા મળી રહ્યા છે. ક્રિકેટના મેદાનથી લઈને ભૂવાજીની રમેલ સુધી ઉમેદવારો જતા હોય છે, એવામાં મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીના શરણે પહોંચ્યા છે. તેમણે સધીધામ દેવીપુરા ગામે જાતરમાં હાજરી આપી હતી... આ બધાની વચ્ચે ભુવાજીએ પણ ભવિષ્યવાણી કરી છે... 


મહેસાણા ભાજપના ઉમેદવારે લીધા ભુવાજીના આશીર્વાદ!

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. એક બાજુ રાજ્યમાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. મતદાતાઓને રિઝવવા માટે પ્રયાસો શરૂ થઈ ગયા છે. મતદાતાઓના મતની સાથે સાથે ભુવાજીના આશીર્વાદ લેવા માટે પણ ઉમેદવારો પહોંચી રહ્યા છે. મહેસાણામાં ભાજપના ઉમેદવારો ભૂવાજીની શરણે પહોંચ્યા હતા. જ્યાં દીપા માતાજીના ભુવાએ એક ભવિષ્યવાણી કરીને તમામને આશ્ચર્યમમાં મૂકી દીધા હતા. 


ભાજપને દેશમાં 400થી વધારે સીટ મળશે - ભુવાજી

ભુવાજીએ મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભાના પેટા ચૂંટણીના ઉમેદવાર સી.જે ચાવડાની જીતની ભવિષ્યવાણી કરી હતી. સધીધામ દેવીપુરાના ભુવાજીના દર્શને બન્ને ઉમેદવાર ગયા હતા, જ્યાં ભુવાજીએ ધુણતા ધુણતા આ આગાહી કરી હતી. સાથે ભાજપ દેશમાં 400થી વધારે બેઠક જીતવાની ભવિષ્યવાણી કરી હતી... 


કોંગ્રેસના પણ અનેક ઉમેદવારો ગયા છે ભુવાજીના શરણે !

તો આ પહેલીવાર નથી કે કોઈ નેતા કે ઉમેદવાર ભુવાજીના શરણે ગયા હોય. અગાઉ પણ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા,કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર ભુવાજીના શરણે જઈ ચુક્યા છે.. અને જીત માટેના આશીર્વાદ માંગી ચૂક્યા છે... નેતાજીના ભૂવાજીના શરણે જવા મુદ્દે આપ શું માનો છો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો.. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે