ગુજરાતમાં ભાજપની ચિંતા વધી, આપ અને કોંગ્રેસ વચ્ચે થશે ગઠબંધન, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-08-07 15:45:30

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરવામાં લાગી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તેવા  સંકેત આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપ્યા છે. ભાજપને ટક્કર આપવા માટે આપ અને કોંગ્રેસ ગઠબંધન કરશે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે તમામ વિપક્ષોએ 'INDIA' ગઠબંધન બનાવ્યું છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે. 


ભાજપને આપશે ટક્કર


AAP નેતા ઈસુદાન ગઢવીએ ગઠબંધન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપના નેતાઓ નજીક આવે તે ભાજપ માટે મોટી ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન શક્ય બને તો બંને પાર્ટીઓની વોટ બેંક એક જુથ રહેશે આ સ્થિતીમાં ભાજપને જોરદાર ટક્કર આપી શકાશે. કેન્દ્રમાં વિપક્ષી 'INDIA' ગઠબંધન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીના પ્રસ્તાવને ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.