ગુજરાતમાં ભાજપની ચિંતા વધી, આપ અને કોંગ્રેસ વચ્ચે થશે ગઠબંધન, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-07 15:45:30

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરવામાં લાગી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તેવા  સંકેત આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપ્યા છે. ભાજપને ટક્કર આપવા માટે આપ અને કોંગ્રેસ ગઠબંધન કરશે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે તમામ વિપક્ષોએ 'INDIA' ગઠબંધન બનાવ્યું છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે. 


ભાજપને આપશે ટક્કર


AAP નેતા ઈસુદાન ગઢવીએ ગઠબંધન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપના નેતાઓ નજીક આવે તે ભાજપ માટે મોટી ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન શક્ય બને તો બંને પાર્ટીઓની વોટ બેંક એક જુથ રહેશે આ સ્થિતીમાં ભાજપને જોરદાર ટક્કર આપી શકાશે. કેન્દ્રમાં વિપક્ષી 'INDIA' ગઠબંધન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીના પ્રસ્તાવને ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર છે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..