ગુજરાતમાં ભાજપની ચિંતા વધી, આપ અને કોંગ્રેસ વચ્ચે થશે ગઠબંધન, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-08-07 15:45:30

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરવામાં લાગી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તેવા  સંકેત આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપ્યા છે. ભાજપને ટક્કર આપવા માટે આપ અને કોંગ્રેસ ગઠબંધન કરશે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે તમામ વિપક્ષોએ 'INDIA' ગઠબંધન બનાવ્યું છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે. 


ભાજપને આપશે ટક્કર


AAP નેતા ઈસુદાન ગઢવીએ ગઠબંધન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપના નેતાઓ નજીક આવે તે ભાજપ માટે મોટી ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન શક્ય બને તો બંને પાર્ટીઓની વોટ બેંક એક જુથ રહેશે આ સ્થિતીમાં ભાજપને જોરદાર ટક્કર આપી શકાશે. કેન્દ્રમાં વિપક્ષી 'INDIA' ગઠબંધન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીના પ્રસ્તાવને ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર છે.



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .