ગુજરાતમાં ભાજપની ચિંતા વધી, આપ અને કોંગ્રેસ વચ્ચે થશે ગઠબંધન, ઈસુદાન ગઢવીએ કરી જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-08-07 15:45:30

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ ગઠબંધન કરવામાં લાગી છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે તેવા  સંકેત આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આપ્યા છે. ભાજપને ટક્કર આપવા માટે આપ અને કોંગ્રેસ ગઠબંધન કરશે. ભાજપને લોકસભાની ચૂંટણીમાં હરાવવા માટે તમામ વિપક્ષોએ 'INDIA' ગઠબંધન બનાવ્યું છે. જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ છે. 


ભાજપને આપશે ટક્કર


AAP નેતા ઈસુદાન ગઢવીએ ગઠબંધન અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, INDIA ગઠબંધન હેઠળ આપ અને કોંગ્રેસ ચૂંટણી લડશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આપના નેતાઓ નજીક આવે તે ભાજપ માટે મોટી ચિંતાજનક બાબત છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન શક્ય બને તો બંને પાર્ટીઓની વોટ બેંક એક જુથ રહેશે આ સ્થિતીમાં ભાજપને જોરદાર ટક્કર આપી શકાશે. કેન્દ્રમાં વિપક્ષી 'INDIA' ગઠબંધન પણ આ જ દિશામાં આગળ વધી રહ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીના પ્રસ્તાવને ગુજરાત કોંગ્રેસના નેતાઓ કેવો પ્રતિસાદ આપે છે તેના પર સૌની નજર છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.