Rajasthan માટે BJPનો ચૂંટણી ઢંઢેરો, લાખો સરકારી નોકરીના, 450 રુપિયામાં ગેસ સિલિન્ડર સહિતના અપાયા વચન,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-16 13:57:00

રાજસ્થાનમાં વિધાસનભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં પણ ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે રાજસ્થાન માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રાજસ્થાનની જનતાને અનેક વચનો આપ્યા છે. જયપુરમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે સૌથી વધારે ધ્યાન મહિલાઓની સુરક્ષા પર આપ્યું છે તેવું લાગી રહ્યું છે. તે ઉપરાંત દરેક જિલ્લામાં વિદ્યાર્થીનીઓને મહિલા પોલીસ સ્ટેશન અને સ્કૂટર જેવી સુવિધાઓ આપવાનું વચન ભાજપે આપ્યું છે.

 

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ  

2024માં લોકસભા ચૂંટણી થવાની છે પરંતુ તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. એક રાજ્યમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, છત્તીસગઢમાં મતદાનનો એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે આવનાર દિવસોમાં બાકી રહેલા રાજ્યોમાં ચૂંટણી થવાની છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા માટે મેદાનમાં આવ્યા છે તો ભાજપ તરફથી પણ પ્રચાર માટે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. જયપુર ખાતે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. જે.પી.નડ્ડાએ રાજસ્થાન માટે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં મહિલા સુરક્ષા પર વિશેષ ધ્યાન આપ્યું છે. તે ઉપરાંત શિક્ષાને ધ્યાનમાં રાખી પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. 


એલપીજી સિલિન્ડર 450 રુપિયામાં મળશે!

બીજેપીએ રાજસ્થાન માટે ચૂંટણી ઢંઢેરો તો જાહેર કર્યો પરંતુ તે બાદ કોંગ્રેસ પર પણ આક્રામક દેખાયા હતા. જે.પી.નડ્ડાએ કહ્યું કે અન્ય પક્ષો માટે ઢંઢેરો માત્ર ઔપચારિકતા છે, પરંતુ ભાજપ માટે તે વિકાસનો માર્ગ નકશો છે. તેમાં લખેલા શબ્દોને પૂરા કરવા અમે પ્રતિબદ્ધ છીએ. અમારો ઇતિહાસ છે, અમે જે કહ્યું તે અમે કર્યું છે. જે કહેવામાં આવ્યું નથી તે પણ કરવામાં આવ્યું છે. રાજસ્થાન માટે જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ભાજપ કેજીથી પીજી સુધીનું શિક્ષણ ફ્રી કરશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે LPG માત્ર 450 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.