Rajasthan માટે BJPનો ચૂંટણી ઢંઢેરો, લાખો સરકારી નોકરીના, 450 રુપિયામાં ગેસ સિલિન્ડર સહિતના અપાયા વચન,જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-11-16 13:57:00

રાજસ્થાનમાં વિધાસનભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજસ્થાનમાં પણ ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આજે રાજસ્થાન માટે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે રાજસ્થાનની જનતાને અનેક વચનો આપ્યા છે. જયપુરમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. પોતાના ચૂંટણી ઢંઢેરામાં ભાજપે સૌથી વધારે ધ્યાન મહિલાઓની સુરક્ષા પર આપ્યું છે તેવું લાગી રહ્યું છે. તે ઉપરાંત દરેક જિલ્લામાં વિદ્યાર્થીનીઓને મહિલા પોલીસ સ્ટેશન અને સ્કૂટર જેવી સુવિધાઓ આપવાનું વચન ભાજપે આપ્યું છે.

 

રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ  

2024માં લોકસભા ચૂંટણી થવાની છે પરંતુ તે પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થઈ રહી છે. એક રાજ્યમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે, છત્તીસગઢમાં મતદાનનો એક તબક્કો પૂર્ણ થઈ ગયો છે ત્યારે હવે આવનાર દિવસોમાં બાકી રહેલા રાજ્યોમાં ચૂંટણી થવાની છે. રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. એક તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા માટે મેદાનમાં આવ્યા છે તો ભાજપ તરફથી પણ પ્રચાર માટે દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે. જયપુર ખાતે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. જે.પી.નડ્ડાએ રાજસ્થાન માટે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે. બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં મહિલા સુરક્ષા પર વિશેષ ધ્યાન આપ્યું છે. તે ઉપરાંત શિક્ષાને ધ્યાનમાં રાખી પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. 


એલપીજી સિલિન્ડર 450 રુપિયામાં મળશે!

બીજેપીએ રાજસ્થાન માટે ચૂંટણી ઢંઢેરો તો જાહેર કર્યો પરંતુ તે બાદ કોંગ્રેસ પર પણ આક્રામક દેખાયા હતા. જે.પી.નડ્ડાએ કહ્યું કે અન્ય પક્ષો માટે ઢંઢેરો માત્ર ઔપચારિકતા છે, પરંતુ ભાજપ માટે તે વિકાસનો માર્ગ નકશો છે. તેમાં લખેલા શબ્દોને પૂરા કરવા અમે પ્રતિબદ્ધ છીએ. અમારો ઇતિહાસ છે, અમે જે કહ્યું તે અમે કર્યું છે. જે કહેવામાં આવ્યું નથી તે પણ કરવામાં આવ્યું છે. રાજસ્થાન માટે જાહેર કરવામાં આવેલા ઘોષણા પત્રમાં એવી જાહેરાત કરવામાં આવી છે કે ભાજપ કેજીથી પીજી સુધીનું શિક્ષણ ફ્રી કરશે. એવું પણ કહેવામાં આવ્યું છે કે LPG માત્ર 450 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.