Gujarat By Electionમાં ભાજપનો ભવ્ય વિજય, આ તારીખે જીતેલા ઉમેદવારો લઈ શકે છે ધારાસભ્ય તરીકેના શપથ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-10 13:24:17

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાઈ હતી.. ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન થયું અને ચોથી જૂને પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. પાંચેય પાંચ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.. મળતી માહિતી અનુસાર આવતી કાલે પાંચેય જીતેલા ઉમેદવાર ધારાસભ્ય પદની શપથ લઈ શકે છે.. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવશે..



ગુજરાતમાં ચાલ્યો હતો રાજીનામાનો દોર 

2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અદ્ભૂત પ્રદર્શન કર્યું.. 182માંથી 156 સીટો પર કેસરિયો લહેરાયો.. એવું લાગતું હતુંકે ભારતીય જનતા પાર્ટી 156 સીટો મેળવ્યા બાદ સંતોષ માની લેશે પરંતુ તેવું થયું નહી..! થોડા સમય પહેલા ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો દોર ચાલ્યો.. એક બાદ એક 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. 



ધારાસભ્યોએ આપી દીધું હતું પોતાના પદ ઉપરથી રાજીનામું 

ધારાસભ્યનું પદ ખાલી થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ લોકસભાની ચૂંટણીની સાથે સાથે.. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ.. અને આ પાંચેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ.. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું.  



આ ઉમેદવારોની થઈ પેટા ચૂંટણીમાં જીત 

વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ.. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલની જીત થઈ.. વિજાપુર બેઠક પરથી સી.જે.ચાવડા  જીત્યા જ્યારે પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ બાજી મારી.. માણાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત થઈ છે.. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ટિકીટ આપી હતી.. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આવતી કાલે ધારાસભ્યો શપથ લઈ શકે છે.. મહત્વનું છે કે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સંખ્યા બળ 161 થઈ જશે..     



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.