Gujarat By Electionમાં ભાજપનો ભવ્ય વિજય, આ તારીખે જીતેલા ઉમેદવારો લઈ શકે છે ધારાસભ્ય તરીકેના શપથ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-10 13:24:17

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાઈ હતી.. ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન થયું અને ચોથી જૂને પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. પાંચેય પાંચ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.. મળતી માહિતી અનુસાર આવતી કાલે પાંચેય જીતેલા ઉમેદવાર ધારાસભ્ય પદની શપથ લઈ શકે છે.. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવશે..



ગુજરાતમાં ચાલ્યો હતો રાજીનામાનો દોર 

2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અદ્ભૂત પ્રદર્શન કર્યું.. 182માંથી 156 સીટો પર કેસરિયો લહેરાયો.. એવું લાગતું હતુંકે ભારતીય જનતા પાર્ટી 156 સીટો મેળવ્યા બાદ સંતોષ માની લેશે પરંતુ તેવું થયું નહી..! થોડા સમય પહેલા ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો દોર ચાલ્યો.. એક બાદ એક 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. 



ધારાસભ્યોએ આપી દીધું હતું પોતાના પદ ઉપરથી રાજીનામું 

ધારાસભ્યનું પદ ખાલી થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ લોકસભાની ચૂંટણીની સાથે સાથે.. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ.. અને આ પાંચેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ.. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું.  



આ ઉમેદવારોની થઈ પેટા ચૂંટણીમાં જીત 

વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ.. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલની જીત થઈ.. વિજાપુર બેઠક પરથી સી.જે.ચાવડા  જીત્યા જ્યારે પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ બાજી મારી.. માણાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત થઈ છે.. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ટિકીટ આપી હતી.. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આવતી કાલે ધારાસભ્યો શપથ લઈ શકે છે.. મહત્વનું છે કે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સંખ્યા બળ 161 થઈ જશે..     



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.