Gujarat By Electionમાં ભાજપનો ભવ્ય વિજય, આ તારીખે જીતેલા ઉમેદવારો લઈ શકે છે ધારાસભ્ય તરીકેના શપથ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-10 13:24:17

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાઈ હતી.. ધારાસભ્યોએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું અને તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ખાલી પડેલી બેઠકો માટે મતદાન થયું અને ચોથી જૂને પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું હતું. પાંચેય પાંચ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે.. મળતી માહિતી અનુસાર આવતી કાલે પાંચેય જીતેલા ઉમેદવાર ધારાસભ્ય પદની શપથ લઈ શકે છે.. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમને શપથ લેવડાવશે..



ગુજરાતમાં ચાલ્યો હતો રાજીનામાનો દોર 

2022માં ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ અદ્ભૂત પ્રદર્શન કર્યું.. 182માંથી 156 સીટો પર કેસરિયો લહેરાયો.. એવું લાગતું હતુંકે ભારતીય જનતા પાર્ટી 156 સીટો મેળવ્યા બાદ સંતોષ માની લેશે પરંતુ તેવું થયું નહી..! થોડા સમય પહેલા ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો દોર ચાલ્યો.. એક બાદ એક 6 ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા.. 



ધારાસભ્યોએ આપી દીધું હતું પોતાના પદ ઉપરથી રાજીનામું 

ધારાસભ્યનું પદ ખાલી થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાઈ લોકસભાની ચૂંટણીની સાથે સાથે.. ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ.. અને આ પાંચેય બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ.. મહત્વનું છે કે કોંગ્રેસના ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ અપક્ષ ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું.  



આ ઉમેદવારોની થઈ પેટા ચૂંટણીમાં જીત 

વાઘોડિયા બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ.. ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલની જીત થઈ.. વિજાપુર બેઠક પરથી સી.જે.ચાવડા  જીત્યા જ્યારે પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ બાજી મારી.. માણાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત થઈ છે.. જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું હતું તેમને જ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ ટિકીટ આપી હતી.. હવે એવા સમાચાર મળી રહ્યા છે કે આવતી કાલે ધારાસભ્યો શપથ લઈ શકે છે.. મહત્વનું છે કે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સંખ્યા બળ 161 થઈ જશે..     



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.