Loksabha 2024 પહેલા BJPની નવી રણનીતિ! નવા ચહેરાઓને મળી શકે છે તક! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-29 16:49:51

લોકસભાની ચુંટણીમાં ભાજપએ bjp ફર્સ્ટ એ મગજમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે એક તરફ ભરતી મેળો શરૂ કર્યો છે તો બીજી બાજુ ભાજપના ઘણા નેતાઓને ઘરભેગા કરવાનો પ્લાન પણ બનાવી દીધો છે કેમ નેતાઓને કાઢશે કારણ કે તેમની ઉંમર થઈ ગઈ છે! 

નવા ચહેરાને મળી શકે છે આ વખતે તક! 

લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડી રહ્યું છે. જેને કારણે ભાજપની રાજકીય સ્થિતી વધુ મજબૂત બની છે. જોકે, આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તેવી માહિતી મળી છે.  ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતારે તેવી પુરેપુરી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. તેમાં વિવાદાસ્પદ જ નહીં, 65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે. એટલે હવે મોટી ઉંમરના સાંસદોને ઘરે આરામ કરવા મોકલી શકે છે.



અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી લડશે ચૂંટણી 

ઘણી બધી વાર પીએમ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ એવો વિચાર મૂકે છે કે નવા લોકોને તક આપવી જોઈએ. વિધાનસભામાં પણ એવું દેખાયું હતું. ત્યારે લોકસભામાં પણ એ ચિત્ર દેખાઈ શકે છે.ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે ત્યારે આ વખતે ગુજરાતમાં 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવા લક્ષ્ય રાખવામાં આવ્યો છે.   અમદાવાદમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન બાદ એક માત્ર અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળ્યા છે. અન્ય બેઠકો પર કોને ટિકીટ મળશે તે અનુમાન લગાવવું મુશ્કેલ છે 


મોદીના નામ પર લડાશે ચૂંટણી!

આ વખતે પણ ભાજપ હાઇકમાન્ડનો રિપીટ થિયરી અમલમાં મૂકીને વર્તમાન સાંસદોને ઘેરભેગા કરવાનુ મન બનાવ્યુ છે. આ ઉપરાંત આ વખતે તો સિર્ફ મોદી નામ કાફી હે આધારે જ ચૂંટણી લડાશે. આ કારણોસર જ હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવાનો આદેશ અત્યારથી જ આપી દેવાયો છે. એટલે વર કોઈ પણ હોય કન્યા માત્ર ગોત્ર જોઈને નક્કી કરશે! અત્યારથી ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ગુજરાતમાં દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી,  શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કિરીટ સોલંકી સહિતના સાંસદો 65થી વધુ વયના છે. 


 

કોની કોની કપાઈ શકે છે ટિકીટ?

જેમની ટિકિટ અત્યારે ખતરામાં છે મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી સામેથી જ લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. તેમણે ખુદ એ વાત કહીકે, મારી ઉંમર થઇ. હવે યુવા,નવા ચહેરાને તક મળવી જોઇએ.એટલે આમ બીજા નેતાઓ પણ સામેથિજ ચુંટણી લડવાની ના પડી શકે છે . આ વખતે ભાજપની લોકસભા માટે રણનીતિ કઈક અલગ રહેવાની છે જેમાં આ વખતે ભાજપ હાઇકમાન્ડે રાજયસભા અને લોકસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવા નક્કી કર્યુ છે તો હવે લોકસભાના સત્તાના ખેલમાં કયો પક્ષ લોકોની અપેક્ષા પર ખરો ઉતરે છે તે જોવાનું રહ્યું  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.