દેશમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમોને આકર્ષવા માટે નવી થિયરી અપનાવી છે. ભાજપે મુસ્લિમોના તૃષ્ટીકરણ સામે સંતુષ્ટીકરણની થીયરી પર કામ કરવાનું શરૂ કર્યું છે ભારતીય જનતા પાર્ટી ખુદને પોતે હિંદુઓની પાર્ટી છે તેવો પ્રયાસ કર્યો અને તેમા ઘણા અંશે સફળ પણ રહી છે ભાજપે હિંદુત્વની રાજનિતીના જોરે હિંદુઓને એક કરવામાં સફળતા મેળવી અને હિંદુત્વની રાજનિતીના કારણે કેટલાક રાજ્યોમાં સત્તામાં પણ આવી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2002 બાદ ગુજરાતમાં અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશ અને તાજેતરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા છત્તીશગઢમાં પણ ભાજપે કેશરિયો લહેરાવ્યો છે, જો કે હવે ભાજપ પર કોમવાદી તાકાત હોવાની એક છાપ પણ પડી હતી. તેના કારણે ભાજપ અને તેના નેતાઓની વૈશ્વિક છબી ખરડાઈ છે. આજ કારણે ભાજપે હવે તેના મેક ઓવર પર કામ કરવાનું શરૂ કર્યું છે.
ભાજપનું સંતુષ્ટીકરણ
ભાજપને દેશમાં હિંદુત્વના નામ પર મત તો મળી રહ્યા છે પણ હવે પાર્ટીની વિશ્વ સ્તરે છબી સુધારવાના પ્રયાસોમાં લાગી છે. ભાજપને દેશના દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કેરળ, કર્ણાટક, આંધ્ર, તેલંગાણા અને તમિલનાડુમાં પગ જમાવવા માટે મુસ્લિમ મતોની જરૂર છે. જો ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં જ્યારે 400 પ્લસનો ટાર્ગેટ રાખી રહી છે ત્યારે દક્ષિણ ભારતના આ રાજ્યોમાં સીટો જીતવી અનિવાર્ય બની જાય છે, અને આ માટે મુસ્લિમો અને ખ્રીસ્તી સમુદાયના દિલ જીતવા જરૂરી. આ જ કારણે ભાજપ આખા મુદ્દાને હિંદુત્વના મુદ્દાને નેશનાલિઝમ પર ડાઈવર્ટ કરી રહી છે, અને એટલે જ ભારતીય જનતા પાર્ટી હિંદુ પ્રથમની જગ્યાએ રાષ્ટ્ર પ્રથમ સુધી લઈ જઈ છે. આરએસએસએ આ મુદ્દે કામ કરવાનું શરૂ કર્યું અને સંઘના વડા મોહન ભાગવત પણ બધાના આશ્ચર્ય વચ્ચે મુસ્લિમ સમુદાયના કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યા છે અને તે કાર્યક્રમમાં ઈસ્લામ અને મુસ્લિમોની પ્રશંસા કરી રહ્યા છે. સંઘ અને ભાજપ પર કમ્યુનલના થપ્પાને દુર કરવાની અને તેને ધીરે-ધીરે દુર કરવાનો પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. PM નરેન્દ્ર મોદી પણ દેશની દરેક લઘુમતીને આકર્ષવાની કોશીશ કરી રહ્યા છે. 25મી ડિસેમ્બરે ખ્રીસ્તીઓ સાથે પીએમની મુલાકાત હોય કે કેરળમાં મિશનરીઝ સાથે મિટિંગ તે બધું આ સંતુષ્ટીકરણની થિયરીનો એક ભાગ છે. આ જ પ્રક્રિયાના ભાગરૂપે ભાજપે એન્ટી મુસ્લિમ સ્ટેટમેન્ટ આપનારા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્માની હકાલપટ્ટી કરી નાખી હતી અને આટલો સમય થયો હોવા છતા ભાજપે તેમને હજુ સુધી પાછા પાર્ટીમાં લીધા નથી. આજ હાલ એમપીના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના પણ થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં યુએઈના રાષ્ટ્રપતિનું પીએમ મોદી દ્વારા ભવ્ય સ્વાગત આ બધુ જ આ ઈમેજ બદલવાના એજન્ડાનો એક ભાગ છે. ભાજપના કાર્યકરોને પણ મુસ્લિમોનું સંતુષ્ટીકરણ કરવા માટે કહેવામાં આવ્યું છે. વિશ્વ નેતા બનવા માટે વિશ્વ ફલક પર છવાઈ જવા માટે ખાલી હિંદુ નેતા બની રહેવાથી શક્ય બનશે નહીં.
PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહ માટે ચાદર અર્પણ કરી
PM નરેન્દ્ર મોદીએ ઉર્સ નિમિત્તે અજમેર દરગાહ શરીફ માટે ચાદર ભેટમાં આપી છે. આ ચાદર 13 જાન્યુઆરીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચઢાવવામાં આવશે. PM મોદીએ પોતે એક્સ પર આ માહિતી શેર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મુસ્લિમ સમુદાયના સભ્યોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા અને તેમને "ચાદર" અર્પણ કરી હતી, જે અજમેર શરીફ દરગાહ પર સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની પુણ્યતિથિની યાદમાં એક કાર્યક્રમ દરમિયાન ચડાવવામાં આવશે.






.jpg)








