મુસ્લિમોને આકર્ષવા માટે BJPની નવી થિયરી, કોંગ્રેસના તુષ્ટિકરણ સામે ભાજપે અપનાવી સંતુષ્ટિકરણની નીતિ


  • Published By :
  • Published Date : 2024-01-11 22:42:29

દેશમાં લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મુસ્લિમોને આકર્ષવા માટે નવી થિયરી અપનાવી છે. ભાજપે મુસ્લિમોના તૃષ્ટીકરણ સામે સંતુષ્ટીકરણની થીયરી પર કામ કરવાનું શરૂ કર્યું છે ભારતીય જનતા પાર્ટી ખુદને પોતે હિંદુઓની પાર્ટી છે તેવો પ્રયાસ કર્યો અને તેમા ઘણા અંશે સફળ પણ રહી છે ભાજપે હિંદુત્વની રાજનિતીના જોરે હિંદુઓને એક કરવામાં સફળતા મેળવી અને હિંદુત્વની રાજનિતીના કારણે કેટલાક રાજ્યોમાં સત્તામાં પણ આવી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2002 બાદ ગુજરાતમાં અને ત્યાર બાદ ઉત્તર પ્રદેશ અને તાજેતરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા છત્તીશગઢમાં પણ ભાજપે કેશરિયો લહેરાવ્યો છે, જો કે હવે ભાજપ પર કોમવાદી તાકાત હોવાની એક છાપ પણ પડી હતી. તેના કારણે ભાજપ અને તેના નેતાઓની વૈશ્વિક છબી ખરડાઈ છે. આજ કારણે ભાજપે હવે તેના મેક ઓવર પર કામ કરવાનું શરૂ કર્યું છે. 


ભાજપનું સંતુષ્ટીકરણ


ભાજપને દેશમાં હિંદુત્વના નામ પર મત તો મળી રહ્યા છે પણ હવે પાર્ટીની વિશ્વ સ્તરે છબી સુધારવાના પ્રયાસોમાં લાગી છે. ભાજપને દેશના દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે કેરળ, કર્ણાટક, આંધ્ર, તેલંગાણા અને તમિલનાડુમાં પગ જમાવવા માટે મુસ્લિમ મતોની જરૂર છે. જો ભાજપ આગામી લોકસભાની ચૂંટણીમાં જ્યારે 400 પ્લસનો ટાર્ગેટ રાખી રહી છે ત્યારે દક્ષિણ ભારતના આ રાજ્યોમાં સીટો જીતવી અનિવાર્ય બની જાય છે, અને આ માટે મુસ્લિમો અને ખ્રીસ્તી સમુદાયના દિલ જીતવા જરૂરી. આ જ કારણે ભાજપ આખા મુદ્દાને હિંદુત્વના મુદ્દાને નેશનાલિઝમ પર ડાઈવર્ટ કરી રહી છે, અને એટલે જ ભારતીય જનતા પાર્ટી હિંદુ પ્રથમની જગ્યાએ રાષ્ટ્ર પ્રથમ સુધી લઈ જઈ છે. આરએસએસએ આ મુદ્દે કામ કરવાનું શરૂ કર્યું અને સંઘના વડા મોહન ભાગવત પણ બધાના આશ્ચર્ય વચ્ચે મુસ્લિમ સમુદાયના કાર્યક્રમોમાં હાજરી આપવા લાગ્યા છે અને તે કાર્યક્રમમાં ઈસ્લામ અને મુસ્લિમોની પ્રશંસા કરી રહ્યા છે.  સંઘ અને ભાજપ પર કમ્યુનલના થપ્પાને દુર કરવાની અને તેને ધીરે-ધીરે દુર કરવાનો પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.   PM નરેન્દ્ર મોદી પણ દેશની દરેક લઘુમતીને આકર્ષવાની કોશીશ કરી રહ્યા છે. 25મી ડિસેમ્બરે ખ્રીસ્તીઓ સાથે પીએમની મુલાકાત હોય કે કેરળમાં મિશનરીઝ સાથે મિટિંગ તે બધું આ સંતુષ્ટીકરણની થિયરીનો એક ભાગ છે. આ જ પ્રક્રિયાના ભાગરૂપે ભાજપે એન્ટી મુસ્લિમ સ્ટેટમેન્ટ આપનારા પાર્ટીના પ્રવક્તા નુપુર શર્માની હકાલપટ્ટી કરી નાખી હતી અને આટલો સમય થયો હોવા છતા ભાજપે તેમને હજુ સુધી પાછા પાર્ટીમાં લીધા નથી. આજ હાલ એમપીના પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાના પણ થયા છે. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં યુએઈના રાષ્ટ્રપતિનું પીએમ મોદી દ્વારા ભવ્ય સ્વાગત આ બધુ જ આ ઈમેજ બદલવાના એજન્ડાનો એક ભાગ છે. ભાજપના કાર્યકરોને પણ મુસ્લિમોનું સંતુષ્ટીકરણ કરવા માટે કહેવામાં આવ્યું છે. વિશ્વ નેતા બનવા માટે વિશ્વ ફલક પર છવાઈ જવા માટે ખાલી હિંદુ નેતા બની રહેવાથી શક્ય બનશે નહીં.


PM મોદીએ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી દરગાહ માટે ચાદર અર્પણ કરી


PM નરેન્દ્ર મોદીએ ઉર્સ નિમિત્તે અજમેર દરગાહ શરીફ માટે ચાદર ભેટમાં આપી છે. આ ચાદર 13 જાન્યુઆરીએ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચઢાવવામાં આવશે. PM મોદીએ પોતે એક્સ પર આ માહિતી શેર કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મુસ્લિમ સમુદાયના સભ્યોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા અને તેમને "ચાદર" અર્પણ કરી હતી, જે અજમેર શરીફ દરગાહ પર સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીની પુણ્યતિથિની યાદમાં એક કાર્યક્રમ દરમિયાન ચડાવવામાં આવશે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે