ચૂંટણી જીતવા ભાજપની તૈયારી, હાઈ કમાન્ડ આવ્યું એક્શન મોડમાં


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 11:14:42

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાવાની છે. ત્યારે ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા માટે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે પરંતુ ગુજરાત માટે હજી સુધી તારીખ જાહેર કરવામાં નથી આવી. જેને કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરે તે પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, કે કૈલાસનાથ, રત્નાકરને દિલ્હી બોલાવી લેવામાં આવ્યા હતા. 

5 કલાક સુધી ચાલી બેઠક

ગુજરાતમાં ભલે ચૂંટણી યોજાવાની છે પરંતુ રાજકારણ દિલ્હીનું ગરમાયું છે. ગુજરાતના રાજનીતિની ચર્ચા દિલ્હીમાં થઈ રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ, કે કૈલાસનાથ, રત્નાકરને  અચાનક દિલ્હી બોલાવામાં આવતા અનેક સંભાવનાઓ દેખાઈ રહી છે. ગુજરાત ચૂંટણીને લઈ આ નેતાઓની સાથે અંદાજીત 5 કલાક સુધી બેઠક કરવામાં આવી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા. 

pm narendra modi questions gujarat bjp president c r patil why there are  less followers | આ ફૉલોઅર્સ કેમ આટલા ઓછા?

પ્રચાર કરવાની સ્ટાઈલમાં ભાજપ લાવી શકે છે ચેન્જ 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા મુખ્ય મુદ્દાઓ ભૂલાઈ રહ્યા છે. જાતિવાદ તેમજ ધર્મનો સહારો લઈ તમામ રાજકીય પાર્ટી રાજનીતિ કરી રહી છે. ત્યારે ચૂંટણી લક્ષી મુદ્દાઓ પર રાજનીતિ થાય તે માટે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હોઈ શકે છે. ઉપરાંત કયા ઉમેદવારોને ટિકિટ આપવી, ભાજપમાં ચાલતા આંતરિક જૂથવાદ પર પણ ધ્યાન આપવામાં આવ્યું હોઈ શકે છે. બેઠક બાદ ભાજપ પોતાના પ્રચાર કરવાની સ્ટાઈલમાં પરિવર્તન પણ લાવી શકે છે. 

With blessings from Delhi

ગુજરાતમાં ભાજપનો પ્રચાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વયં આવી રહ્યા છે. પોતાના ભાષણ દરમિયાન પીએમ વિકાસના કામોને ગણાવતા હોય છે. ત્યારે ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમની મુલાકાત પહેલા જ ભાજપ પોતાની રણનીતિ બદલી શકે છે તેવું લાગી રહ્યું છે. ભાજપ જે રણનીતિથી આગળ વધી રહી છે તેનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દિલ્હીમાં થયેલી બેઠક બાદ પ્રચારમાં પણ ફેરફાર આવી શકે છે. 

દિલ્હીથી મળેલા આદેશોનું થશે અમલીકરણ

દિલ્હીના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી, સી.આર.પાટીલ, રત્નાકર અને કેકે મોડી રાત્રે ગુજરાત આવ્યા હતા. ત્યારે મંગળવારે કેબિનેટ બેઠક મળવાની છે. ત્યારે દિલ્હીમાં મળેલી સૂચનાનું અમલીકરણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આદેશોની સીધી અસર હવે ગુજરાતના પ્રચારમાં દેખાઈ શકે છે.      




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે