કડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં BJPની જીત, ખેડૂત પેનલના 10 ઉમેદવારોનો ભવ્ય વિજય


  • Published By :
  • Published Date : 2023-12-06 17:25:04

મહેસાણાના કડી માર્કેટ યાર્ડની 10 બેઠકોની યોજાયેલી સામાન્ય ચૂંટણીનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. કડી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપે તમામ 10 બેઠકો પર જીત મેળવી લીધી છે. આમ ભાજપે ફરી એકવાર કડી માર્કેટયાર્ડમાં ભાજપની સત્તા યથાવત રહી છે. આમ તો સામાન્ય રીતે કડી માર્કેટયાર્ડમાં ચૂંટણી બીનહરીફ રહેતી હોય છે. પરંતુ આ વખતે 90 ઉમેદવારો મેદાને પડતા ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી. મહેસાણાના કડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. ખેડૂત વિભાગની 10 બેઠક પર મંગળવારના રોજ મતદાન થયું હતું. પરિણામ અગાઉ ભાજપ સમર્થિત ઉમેદવારોએ પોતાની જીતના દાવાઓ કર્યા હતા. કડી માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠક માટે 93 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપના 10 અને કૉંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. કડી યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની 4 અને ખરીદ-વેચાણ સંઘની એક મળી કુલ 5 બેઠક પર ઉમેદવારો બિનહરીફ થયા છે.     


93 ટકા મતદાન થયું હતું


મહેસાણા કડી APMCના ખેડૂત વિભાગ 10 બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં તાલુકાની કુલ 69 મંડળીઓના 789 મતદારોમાંથી 728 મતદારોએ મતદાન કરતાં 93 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી માં કુલ 25 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેમાં ભાજપના 10 કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. APMCની ચુંટણીમાં અત્યાર સુધી વેપારી વિભાગની 4 અને ખરીદ સંઘના એક મળી ફૂલ 5 ઉમેદવારો બિનહરીફ થયાં છે.         


નીતિન પટેલે કરી હતી આ સ્પષ્ટતા   


મહેસાણા જિલ્લાના કડી APMCની ચૂંટણી મામલે નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે,  "હું કડી યાર્ડનો ચેરમેન નહીં બનું આ પદ પર કોઇ કોઈ ખેડૂત જ આવશે. એટલું જ નહીં, અહીં નીતિન પટેલે  એક સ્ફોટક નિવેદન પણ આપ્યું હતું.  નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આ નજર ઉતારીશું.   તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે. જો કે તેમણે કહ્યું કે. હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કૉંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે. કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે."



દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.