દીવા તળે અંધારું! રાજકોટમાં પોલીસ સ્ટેશન નજીક ભાજપના યુવા મંત્રીએ કર્યું હવામાં ફાયરિંગ! જાણો કઈ વાત પર ઉશ્કેરાઈ ગયા મંત્રી?


  • Published By :
  • Published Date : 2023-06-08 12:00:50

રાજ્યમાં અનેક વખત ફાયરિંગ થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે બે રાઉન્ડ ફાયરિંગ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગ શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તિનગર પાસે યુવા નેતાએ ફાયરિંગ કર્યું હતું અને મહત્વની વાત એ છે કે થોડા દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. જે યુવા નેતાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું તેમનું નામ કરણ સોરઠિયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી.


ઉશ્કેરાઈને નજીવી વાતને ધ્યાનમાં રાખી કર્યું ફાયરિંગ!   

જાહેરમાં ફાયરિંગ થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકોમાં જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટથી બે રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં ભાજપના એક યુવા મંત્રીએ નજીવી વાતને લઈ મંગળવાર રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ભક્તિનગર પોલીસ સ્ટેશન નજીક કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી અનુસાર જાહેર શૌચાલયના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન બોલાચાલી થઈ તે દરમિયાન શૌચાલચને કર્મચારી બંધ કરતા હતા. આસપાસના લોકોએ મામલાને શાંત પાડવાની કોશિશ પણ કરી પરંતુ મામલો શાંત ન થયો. પરંતુ ઉશ્કેરાયેલા કરણ સોરઠિયાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું.       

કારમાં રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રીની પ્લેટ.

પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં ભાજપના મંત્રીએ કર્યું ફાયરિંગ! 

આ મામલે ચોંકાવનારી વાત એ છે કે થોડા અંતરે જ પોલીસ સ્ટેશન આવેલું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી. મળતી માહિતી અનુસાર ભક્તિનગર પોલીસે કરણ સોરઠિયાની અટકાયત પણ કરી લીધી છે. પોલીસે જે ગાડી કબજે કરી છે તે કારમાં 'મંત્રી' રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું છે. નશાની હાલતમાં કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હોય તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ મામલે શું અપડેટ આવે છે તે જોવું રહ્યું.


ફાયરિંગ નશાની હાલતમાં કર્યું!  

એક તરફ દારૂબંધીની વાત કરવામાં આવે છે તો બીજી બાજુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નશાની હાલતમાં લોકો ગુન્હો કરી લેતા હોય છે. આ ઘટનામાં પણ નશાની હાલતમાં કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હોય તો તે ગંભીર વાત છે. કારણ કે નશાની હાલતમાં રહેલા વ્યક્તિને ખબર નથી હોતી કે તે શું કરી રહ્યો છે. કરણ સોરઠિયાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. નશાની હાલતમાં આ ફાયરિંગ કર્યું હોય તેવું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ જ્યારે ભાજપના કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે માત્ર એક સામાન્ય બાબત પર ફાયરિંગ થઈ છે. સ્વરક્ષણ માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી વાત જાણે કોર્પોરેટર કરતા હોય તેવું લાગી રહ્યું છે. 


પોલીસ આ મામલે લેશે કડક પગલાં?

અહિંયા પ્રશ્ન એ થાય કે જો સ્વરક્ષણ માટે ફાયરિંગ કરી દેવાનું? સ્વરક્ષણ માટે ફાયરિંગ કરવું કેટલું યોગ્ય? ત્યારે રાજ્યમાં વધતી ફાયરિંગની ઘટના સહિતના સવાલોના જવાબ પોલીસ અને તંત્ર આપે તો સારું બાકી હમેશાની જેમ હાથ ઊંચા કરી દેશેતો ફરીથી આવી ઘટનાઓ પુનરાવર્તિત થતી રહેશે તેવું લાગે છે.     




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.