દીવા તળે અંધારું! રાજકોટમાં પોલીસ સ્ટેશન નજીક ભાજપના યુવા મંત્રીએ કર્યું હવામાં ફાયરિંગ! જાણો કઈ વાત પર ઉશ્કેરાઈ ગયા મંત્રી?


  • Published By :
  • Published Date : 2023-06-08 12:00:50

રાજ્યમાં અનેક વખત ફાયરિંગ થયા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે બે રાઉન્ડ ફાયરિંગ થયું હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આ ફાયરિંગ શહેર યુવા ભાજપ મંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. ભક્તિનગર પાસે યુવા નેતાએ ફાયરિંગ કર્યું હતું અને મહત્વની વાત એ છે કે થોડા દૂર જ પોલીસ સ્ટેશન આવેલું છે. જે યુવા નેતાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું તેમનું નામ કરણ સોરઠિયા હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પોલીસ પણ દોડતી થઈ હતી.


ઉશ્કેરાઈને નજીવી વાતને ધ્યાનમાં રાખી કર્યું ફાયરિંગ!   

જાહેરમાં ફાયરિંગ થવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. લોકોમાં જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજકોટથી બે રાઉન્ડ ફાયરિંગ થયા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટમાં ભાજપના એક યુવા મંત્રીએ નજીવી વાતને લઈ મંગળવાર રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ભક્તિનગર પોલીસ સ્ટેશન નજીક કરણ સોરઠીયાએ ફાયરિંગ કર્યું હતું. મળતી માહિતી અનુસાર જાહેર શૌચાલયના કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે દરમિયાન બોલાચાલી થઈ તે દરમિયાન શૌચાલચને કર્મચારી બંધ કરતા હતા. આસપાસના લોકોએ મામલાને શાંત પાડવાની કોશિશ પણ કરી પરંતુ મામલો શાંત ન થયો. પરંતુ ઉશ્કેરાયેલા કરણ સોરઠિયાએ હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું.       

કારમાં રાજકોટ શહેર યુવા ભાજપ મંત્રીની પ્લેટ.

પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં ભાજપના મંત્રીએ કર્યું ફાયરિંગ! 

આ મામલે ચોંકાવનારી વાત એ છે કે થોડા અંતરે જ પોલીસ સ્ટેશન આવેલું છે. આ ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરી. મળતી માહિતી અનુસાર ભક્તિનગર પોલીસે કરણ સોરઠિયાની અટકાયત પણ કરી લીધી છે. પોલીસે જે ગાડી કબજે કરી છે તે કારમાં 'મંત્રી' રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું છે. નશાની હાલતમાં કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હોય તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે અને આ મામલે શું અપડેટ આવે છે તે જોવું રહ્યું.


ફાયરિંગ નશાની હાલતમાં કર્યું!  

એક તરફ દારૂબંધીની વાત કરવામાં આવે છે તો બીજી બાજુ એવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં નશાની હાલતમાં લોકો ગુન્હો કરી લેતા હોય છે. આ ઘટનામાં પણ નશાની હાલતમાં કરણ સોરઠિયાએ ફાયરિંગ કર્યું હોય તો તે ગંભીર વાત છે. કારણ કે નશાની હાલતમાં રહેલા વ્યક્તિને ખબર નથી હોતી કે તે શું કરી રહ્યો છે. કરણ સોરઠિયાનો બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. નશાની હાલતમાં આ ફાયરિંગ કર્યું હોય તેવું અનુમાન પોલીસ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ જ્યારે ભાજપના કોર્પોરેટર ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું કે માત્ર એક સામાન્ય બાબત પર ફાયરિંગ થઈ છે. સ્વરક્ષણ માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું છે તેવી વાત જાણે કોર્પોરેટર કરતા હોય તેવું લાગી રહ્યું છે. 


પોલીસ આ મામલે લેશે કડક પગલાં?

અહિંયા પ્રશ્ન એ થાય કે જો સ્વરક્ષણ માટે ફાયરિંગ કરી દેવાનું? સ્વરક્ષણ માટે ફાયરિંગ કરવું કેટલું યોગ્ય? ત્યારે રાજ્યમાં વધતી ફાયરિંગની ઘટના સહિતના સવાલોના જવાબ પોલીસ અને તંત્ર આપે તો સારું બાકી હમેશાની જેમ હાથ ઊંચા કરી દેશેતો ફરીથી આવી ઘટનાઓ પુનરાવર્તિત થતી રહેશે તેવું લાગે છે.     




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.