Gujaratની 26 લોકસભા બેઠકો પર ભાજપે શરૂ કર્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય, Gandhinagar કાર્યાલયનું J.P.Naddaએ કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 14:15:54

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને અનેક કાર્યો કરવામાં આવી રહી છે, ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે અને તમામ સીટ પર કેસરિયો લહેકાય તે માટે પાર્ટી દ્વારા કમર કસવામાં આવી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ કાર્યાલયોનું ઉદ્ધાટન કરવામાં આવશે અને અલગ અલગ નેતાઓને આ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

જે.પી.નડ્ડાએ મધ્યસ્થી કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન!

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર લોકસભા સીટને અનુલક્ષી બનાવવામાં આવેલા કાર્યાલયનું ઉદ્ધાટન જે.પી.નડ્ડાએ કર્યું છે. એવી માહિતી પણ સામે આવી છએ કે રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરવામાં આવેલા કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન સી.આર.પાટીલ દ્વારા કરાયું. મહત્વનું છે કે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ભાજપની તમામ લોકસભા સીટો પર જીત થાય તે હેતુથી આ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે.   


સી.આર.પાટીલે કહી આ વાત

મળતી માહિતી અનુસાર અલગ અલગ નેતાઓને અલગ અલગ સીટ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યાલયના ઉદ્ધાટન વખતે સી.આર.પાટીલે સંબોધન કરતી વખતે જણાવ્યું કે  ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે કે જેમાં એકસાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલાયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.  તે ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે પાંચ લાખથી વધારે વોટથી દરેકેદરેક લોકસભા જીતવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.