Gujaratની 26 લોકસભા બેઠકો પર ભાજપે શરૂ કર્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય, Gandhinagar કાર્યાલયનું J.P.Naddaએ કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 14:15:54

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને અનેક કાર્યો કરવામાં આવી રહી છે, ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે અને તમામ સીટ પર કેસરિયો લહેકાય તે માટે પાર્ટી દ્વારા કમર કસવામાં આવી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ કાર્યાલયોનું ઉદ્ધાટન કરવામાં આવશે અને અલગ અલગ નેતાઓને આ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

જે.પી.નડ્ડાએ મધ્યસ્થી કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન!

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર લોકસભા સીટને અનુલક્ષી બનાવવામાં આવેલા કાર્યાલયનું ઉદ્ધાટન જે.પી.નડ્ડાએ કર્યું છે. એવી માહિતી પણ સામે આવી છએ કે રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરવામાં આવેલા કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન સી.આર.પાટીલ દ્વારા કરાયું. મહત્વનું છે કે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ભાજપની તમામ લોકસભા સીટો પર જીત થાય તે હેતુથી આ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે.   


સી.આર.પાટીલે કહી આ વાત

મળતી માહિતી અનુસાર અલગ અલગ નેતાઓને અલગ અલગ સીટ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યાલયના ઉદ્ધાટન વખતે સી.આર.પાટીલે સંબોધન કરતી વખતે જણાવ્યું કે  ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે કે જેમાં એકસાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલાયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.  તે ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે પાંચ લાખથી વધારે વોટથી દરેકેદરેક લોકસભા જીતવી છે.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે