Gujaratની 26 લોકસભા બેઠકો પર ભાજપે શરૂ કર્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય, Gandhinagar કાર્યાલયનું J.P.Naddaએ કર્યું ઉદ્ધાટન, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-23 14:15:54

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લક્ષીને અનેક કાર્યો કરવામાં આવી રહી છે, ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી ગઈ છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકો આવેલી છે અને તમામ સીટ પર કેસરિયો લહેકાય તે માટે પાર્ટી દ્વારા કમર કસવામાં આવી છે. ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ કાર્યાલયોનું ઉદ્ધાટન કરવામાં આવશે અને અલગ અલગ નેતાઓને આ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.

જે.પી.નડ્ડાએ મધ્યસ્થી કાર્યાલયનું કર્યું ઉદ્ધાટન!

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. ગાંધીનગર લોકસભા સીટને અનુલક્ષી બનાવવામાં આવેલા કાર્યાલયનું ઉદ્ધાટન જે.પી.નડ્ડાએ કર્યું છે. એવી માહિતી પણ સામે આવી છએ કે રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરવામાં આવેલા કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદ્ધાટન સી.આર.પાટીલ દ્વારા કરાયું. મહત્વનું છે કે ગુજરાતની તમામે તમામ 26 બેઠકો પર ભાજપનો કબજો છે. ત્યારે આગામી ચૂંટણીમાં પણ ભાજપની તમામ લોકસભા સીટો પર જીત થાય તે હેતુથી આ ઓફિસની શરૂઆત કરવામાં આવી છે.   


સી.આર.પાટીલે કહી આ વાત

મળતી માહિતી અનુસાર અલગ અલગ નેતાઓને અલગ અલગ સીટ કાર્યાલયની જવાબદારી સોંપવામાં આવી છે. કાર્યાલયના ઉદ્ધાટન વખતે સી.આર.પાટીલે સંબોધન કરતી વખતે જણાવ્યું કે  ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે કે જેમાં એકસાથે 26 લોકસભાના મધ્યસ્થ કાર્યાલાયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે.  તે ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સંદેશો આપવામાં આવ્યો છે કે આપણે પાંચ લાખથી વધારે વોટથી દરેકેદરેક લોકસભા જીતવી છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.