આજથી ભાજપે ચૂંટણી પ્રચારની શરૂવાર કરી , ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો પ્રારંભ!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-05 13:01:30



વિધાનસભા ચૂંટણીનું સંખનાદ વાગી ચૂક્યું છે હવે તમામ પક્ષ વધુમાં વધુ બેઠકો કબ્જે કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ભાજપનું અભિયાન આજથી શરુ થઇ રહ્યુ છે. ગાંધીનગરમાં કમલમ પરથી આજથી ચૂંટણી અભિયાનનો પ્રારંભ થશે. ‘અગ્રેસર ગુજરાત’ અભિયાનનો સી.આર. પાટીલના હસ્તે પ્રારંભ થવાનો છે. ચૂંટણી અભીયાન આજથી શરૂ થઈ જશે . ભાજપ જુદી જુદી રીતે પોતાના પક્ષનો પ્રચાર કરશે. ઘરે ઘરે પહોંચીને, સોશિયલ મીડિયાના માધ્યમથી, પત્રિકાઓના વિતરણ વગરે દ્વારા આજથી ભાજપ પ્રચાર શરુ કરશે.


ચૂંટણી જાહેર થતાજ તમામ રાજકીય પક્ષોની કામગીરીમાં બમણો વેગ આવી ગયો છે. ત્યારે આજે ભાજપે ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધી છે . આગામી 10 દિવસ આ અભીયાન ચાલશે . આ અભિયાનમાં લોકોને ગુજરાતમાં કેવા પ્રકારનો બદલાવ જોઇએ છે. તે પુછવામાં આવશે. સરકાર પાસેથી પ્રજાને શું અપેક્ષા છે તે પણ પુછવામાં આવશે. પ્રચાર અને પ્રસાર માટે ભાજપે તેના તમામ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. ભાજપ આજથી ચૂંટણી અભિયાનથી શરુ કરી જનતાનો અભિપ્રાય લેશે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ ભાજપ પ્રચાર પ્રસાર કરી લોકોના અભિપ્રાય મેળવશે. અલગ અલગ વિસ્તારમાં સૂચન પેટીના માધ્યમથી પણ અભિપ્રાય લેવામાં આવશે.



ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર પસંદગીની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે જેમાં ભાજપ  ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના બીજા દિવસે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં 58 બેઠકો ઉપર મંથન કરવામાં આવ્યું. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.