ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે 4 જિલ્લા પ્રમુખોની કરી હકાલપટ્ટી, બે સંગઠનો વિખેર્યા


  • Published By :
  • Published Date : 2023-02-13 17:50:28

ગુજરાત વિધાનસભામાં ભાજપે 156 સીટો જીતીને વિરોધ પક્ષો સહિત સામાન્ય માણસને પણ ચોંકાવી દીધો છે. જો કે તેમ છતાં પણ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પાર્ટીના પ્રદર્શનથી સંતુષ્ટ નથી. સી આર પાટીલ આગામી લોકસભાની ચૂંટણીને લઈ આગોતરી તૈયારીમાં લાગ્યા છે. પાટીલે કેટલાક જિલ્લામાં નબળું પ્રદર્શન કરતા સંગઠનને વિખેરી નાખવાની આકરી કાર્યવાહી કરી છે. ભાજપ પ્રદેશ પ્રમુખે શિસ્ત ભંગના પગલા ભરતા આજે બે જિલ્લાના સંગઠનને વિખેરી નાખ્યા છે. 


બે જિલ્લા પ્રમુખની હકાલપટ્ટી


સી આર પાટીલે વિધાનસભાની ચૂંટણીમાં નબળી કામગીરી કરનારા બે જિલ્લા સંગઠનને વિખેરી નાખ્યું છે. શિસ્તભંગની આકરી કાર્યવાહી કરતા ભાજપે બનાસકાંઠા અને દ્વારકાનું સંગઠન વિખેરી નાખ્યું છે. તે ઉપરાંત  4 જિલ્લા પ્રમુખની પણ હકાલપટ્ટી કરી છે.  


શા માટે કાર્યવાહી?


બનાસકાંઠા અને દ્વારકા જિલ્લાની મુખ્ય સમિતી વિખેરી નાખવામાં આવી તેનું મુખ્ય કારણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની નિષ્ફળતા છે. વિધાનસભા ચૂંટણીમાં વિપરીત પરિણામો પણ મોટું કારણ માનવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાની 9 માંથી ફક્ત 4 બેઠકો ભાજપ જીત્યું હતું. બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ સામે જિલ્લામાં અનેક પડકારો હતા. દેવભુમિ દ્વારકા જિલ્લાના પ્રમુખ ખીમાભાઇ જોગલની તબિયત છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત હોવાથી તેમની સામે સમગ્ર સંગઠનને વિખેરવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત બક્ષીપંચ મોરચાના કારોબારી સભ્ય ગાંડાભાઇ કચરાભાઇ પ્રજાપતિને અયોગ્ય કામગીરીના લીધે ભાજપ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા હતા.


સંગઠનમાં નવી નિમણૂક કરાઈ


ભાજપ દ્વારા બનાસકાંઠાના નવા જીલ્લા પ્રમુખ તરીકે કિર્તીસિંહ વાઘેલાની નિમણુંક કરવામાં આવી હતી. દેવભુમિ દ્વારકા મયુરભાઇ ગઢવી, અમરેલી રાજેશ કાબરીયા,સુરેન્દ્રનગરમાં હિતેન્દ્ર ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.