સ્નેહમિલન કાર્યક્રમમાં BJP પ્રદેશ અધ્યક્ષ CR Patilએ જાહેરમાં ધારાસભ્યોને સંભળાવી દીધી! PM Modiને લઈ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-29 15:32:02

આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. ત્યારે ભાજપના અગ્રણી નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. સી.આર.પાટીલ છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓને ટકોર કરી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા મંગળવારે સુરેન્દ્રનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફરી એક વખત આક્રામક અંદાજમાં સી.આર.પાટીલ દેખાયા હતા. સ્ટેજ પરથી ધારાસભ્યોને તેમણે ટકોર કરી હતી.

સી.આર.પાટીલે ધારાસભ્યોને કરી ટકોર! 

અનેક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો આક્રામક અંદાજ દેખાય છે. અનેક વખત ધારાસભ્યોને ટકોર સી.આર.પાટીલ કરે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેજ પરથી તેમણે ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણા, પ્રકાશ વરમોરા અને પી.કે પરમારને ટકોર કરી હતી. સી.આર પાટીલે કહ્યું કે, તમે ભલે 65 હજાર મતે જીત્યા પણ એ તમારી નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતથી જીત્યા છો. જો તમને તમારી જીત પર ઘમંડ આવશે તો તમારા પગલાં પણ પાછા આવશે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.