સ્નેહમિલન કાર્યક્રમમાં BJP પ્રદેશ અધ્યક્ષ CR Patilએ જાહેરમાં ધારાસભ્યોને સંભળાવી દીધી! PM Modiને લઈ કહી આ વાત, સાંભળો


  • Published By :
  • Published Date : 2023-11-29 15:32:02

આવનાર વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા આને લઈ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકસભાને જીતવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. ત્યારે ભાજપના અગ્રણી નેતાઓ એક્ટિવ મોડમાં આવી ગયા છે. સી.આર.પાટીલ છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો તેમજ કાર્યકર્તાઓને ટકોર કરી રહ્યા છે. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા મંગળવારે સુરેન્દ્રનગરમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફરી એક વખત આક્રામક અંદાજમાં સી.આર.પાટીલ દેખાયા હતા. સ્ટેજ પરથી ધારાસભ્યોને તેમણે ટકોર કરી હતી.

સી.આર.પાટીલે ધારાસભ્યોને કરી ટકોર! 

અનેક કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો આક્રામક અંદાજ દેખાય છે. અનેક વખત ધારાસભ્યોને ટકોર સી.આર.પાટીલ કરે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્ટેજ પરથી તેમણે ભાજપના ધારાસભ્ય જગદીશ મકવાણા, પ્રકાશ વરમોરા અને પી.કે પરમારને ટકોર કરી હતી. સી.આર પાટીલે કહ્યું કે, તમે ભલે 65 હજાર મતે જીત્યા પણ એ તમારી નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાકાતથી જીત્યા છો. જો તમને તમારી જીત પર ઘમંડ આવશે તો તમારા પગલાં પણ પાછા આવશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.