BJPએ ધારાસભ્ય-સાંસદોને બેઠક માટે અચાનક Gandhinagar બોલાવ્યા, Loksabhaને લઈ BJPએ શરૂ કરી તૈયારી!


  • Published By :
  • Published Date : 2023-12-12 09:25:33

થોડાક જ મહિનાઓમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 26 બેઠકો પર કમળ ખીલે માટે ભાજપે હમણાંથી જ કમર કસી લીધી હોય તેવું લાગે છે. ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગરમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

મિશન 2024ને લઈ ભાજપે શરૂ કરી તૈયારી

ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. ભાજપે લોકસાભની રણનીતિ અત્યારથી ધડવાનું શરૂ કરી દીધું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢવિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. ગુજરાતમાં પણ ભાજપે લોકસભા ચૂંટણીમાં તમામે તમામ 26 બેઠકો જીતવા માટે કમર કસી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે તો વારંવાર હુંકાર કર્યો હતો કે તમામ સીટો પાંચ લાખના માર્જિનથી જીતવાની છે. હવે ગુજરાત ભાજપે મિશન 2024ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ હજાર રહેશે.



400ને પાર બેઠકો ભાજપને મળે તેવો લક્ષ્યાંક

12 ડિસેમ્બર એટલે કે આજે ગુજરાતમાં સરકારને એક વર્ષ પૂર્ણ થવાનું છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે ભાજપની જીત થઈ હતી. તેનાથી જ લોકસભાનો રોડ મેપ મજબૂત થતો હોવાનું જોવા મળ્યું હતું. એવુ કહેવામાં આવે છે કે ભાજપ માટે જે પણ હિંદી બેલ્ટ છે, ત્યાં જેટલી બેઠક વધારે હોય છે, તેટલો જ ફાયદો ભાજપને લોકસભામાં થતો હોય છે.આ વખતે લોકસભામાં 400 પારનો ભાજપનો લક્ષ્યાંક છે.

સાંસદો તેમજ ધારાસભ્યને હાજર રહેવા આદેશ!

આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની ચર્ચાઓ થઈ શકે છે. આ ઉપરાંત પેજ સમિતિના કામ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. પેજ સમિતિ કે જેના દ્વારા ગુજરાતમાં 156 બેઠક આવી હતી, તેને વધુ મજબૂત કરવામાં આવશે. દિવાળી પછીની આ પહેલી બેઠક યોજાવાની છે જેમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના છે. દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તૈયારી આદરી છે. ગુજરાત ભાજપે મિશન 2024ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. હવે જોવાનું એ રહ્યું કે પાટિલ ભાઉની તૈયારીઓ આ લોકસભાની ચૂંટણીમાં કેવા રંગ લાવે છે? 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.