BJPએ ધારાસભ્ય-સાંસદોને બેઠક માટે અચાનક Gandhinagar બોલાવ્યા, Loksabhaને લઈ BJPએ શરૂ કરી તૈયારી!


  • Published By :
  • Published Date : 2023-12-12 09:25:33

થોડાક જ મહિનાઓમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પાર્ટીઓ એક્ટિવ મોડમાં દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે. 26 બેઠકો પર કમળ ખીલે માટે ભાજપે હમણાંથી જ કમર કસી લીધી હોય તેવું લાગે છે. ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોને ગાંધીનગરમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.

મિશન 2024ને લઈ ભાજપે શરૂ કરી તૈયારી

ગુજરાત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે. ભાજપે લોકસાભની રણનીતિ અત્યારથી ધડવાનું શરૂ કરી દીધું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢવિધાનસભાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે. ગુજરાતમાં પણ ભાજપે લોકસભા ચૂંટણીમાં તમામે તમામ 26 બેઠકો જીતવા માટે કમર કસી છે. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલે તો વારંવાર હુંકાર કર્યો હતો કે તમામ સીટો પાંચ લાખના માર્જિનથી જીતવાની છે. હવે ગુજરાત ભાજપે મિશન 2024ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી સહિતના નેતાઓ હજાર રહેશે.



400ને પાર બેઠકો ભાજપને મળે તેવો લક્ષ્યાંક

12 ડિસેમ્બર એટલે કે આજે ગુજરાતમાં સરકારને એક વર્ષ પૂર્ણ થવાનું છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે ભાજપની જીત થઈ હતી. તેનાથી જ લોકસભાનો રોડ મેપ મજબૂત થતો હોવાનું જોવા મળ્યું હતું. એવુ કહેવામાં આવે છે કે ભાજપ માટે જે પણ હિંદી બેલ્ટ છે, ત્યાં જેટલી બેઠક વધારે હોય છે, તેટલો જ ફાયદો ભાજપને લોકસભામાં થતો હોય છે.આ વખતે લોકસભામાં 400 પારનો ભાજપનો લક્ષ્યાંક છે.

સાંસદો તેમજ ધારાસભ્યને હાજર રહેવા આદેશ!

આ બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઈને મહત્વની ચર્ચાઓ થઈ શકે છે. આ ઉપરાંત પેજ સમિતિના કામ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી શકે છે. પેજ સમિતિ કે જેના દ્વારા ગુજરાતમાં 156 બેઠક આવી હતી, તેને વધુ મજબૂત કરવામાં આવશે. દિવાળી પછીની આ પહેલી બેઠક યોજાવાની છે જેમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, તમામ જિલ્લાના પ્રદેશ પ્રમુખ હાજર રહેવાના છે. દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપે પ્રચંડ જીત મેળવ્યા બાદ હવે લોકસભાની તૈયારી આદરી છે. ગુજરાત ભાજપે મિશન 2024ને લઈ ભાજપના તમામ ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી છે. હવે જોવાનું એ રહ્યું કે પાટિલ ભાઉની તૈયારીઓ આ લોકસભાની ચૂંટણીમાં કેવા રંગ લાવે છે? 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.