ભાજપે આમ આદમી પાર્ટીને ગણાવી રાષ્ટ્રવિરોધી પાર્ટી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:16:48

વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નવા નવા વિવાદ બહાર આવી રહ્યા છે. ગોપાલ ઈટાલીયાનો વિડીયો વાયરલ થયા બાદ મામલો ગરમાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અપશબ્દ વાપરતા બીજેપીએ તેનો વિરોધ નોંધાવ્યો હતો. પત્રકાર પરિષદ કરી ભાજપે વડાપ્રધાન વિરૂદ્ધ બોલવામાં આવેલા અપશબ્દનો ચલાવી નહીં લેવામાં આવે. ગોરધન ઝડફિયાએ આપની આ પ્રકારની માનસિકતાને દેશવિરોધી ગણાવી છે. 


આપના નેતાઓને આપી ચેતવણી

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો થવાનો છે. ચૂંટણી નજીક આવતા આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રતિઆરોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ અનેક ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ બધા વચ્ચે ગોપાલ ઈટાલીયાનો વિડીયો વાયરલ થયો હતો જેમાં તેમણે દેશના વડાપ્રધાન મોદી વિરૂદ્ધ અપશબ્દનો ઉપયોગ કર્યો હતો. ગોપાલ ઈટાલીયાએ PM પદની ગરિમાને લાંછન લગાવતા શબ્દો વાપર્યા છે.

પ્રધાનમંત્રી કોઈ એક પક્ષના નહીં પરંતુ આખા દેશના હોય છે. તેમના આ શબ્દોથી AAPની માનસિકતા છતી થઈ છે. જે બાદ ભાજપે પત્રકાર પરિષદ કરી આપના નેતાને ચેતવણી આપી હતી. ભાજપે પત્રકાર પરિષદમાં ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢાએ પૂછેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વધુમાં ઝડફિયાએ કહ્યું કે બે દિવસ અગાઉ દિલ્હીના મંત્રીનો વિડીયો વાઈરલ થયો ત્યારે કોઈ પ્રતિક્રિયા ન આપી. જ્યારે હવે ઈટાલિયાનો વિડીયો વાયરલ થયો તો રાઘવ ચઢ્ઢઆએ પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા અને ગોપાલભાઈનો બચાવ કર્યો છે, જે યોગ્ય નથી. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.