'BJP 370 અને NDA 400ને સીટોને પાર કરશે', PM મોદીએ ત્રીજી ટર્મ માટે લક્ષ્ય રાખ્યું


  • Published By :
  • Published Date : 2024-02-05 20:24:35

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે હું વિપક્ષ દ્વારા લેવામાં આવેલા ઠરાવની પ્રશંસા કરું છું. આનાથી મારો અને દેશનો આત્મવિશ્વાસ મજબૂત થયો છે કારણ કે વિપક્ષે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ લીધો છે. જે રીતે તમે ઘણા દાયકાઓ સુધી સત્તાધારી પક્ષમાં બેઠા હતા તે જ રીતે ઘણા દાયકાઓ સુધી વિપક્ષમાં બેસવાના તમારા સંકલ્પને જનતા ચોક્કસપણે પૂર્ણ કરશે. મોદીએ કહ્યું કે તમે લોકો (વિપક્ષ) જે રીતે આ દિવસોમાં મહેનત કરી રહ્યા છો. હું દ્રઢપણે માનું છું કે જનતા ચોક્કસપણે તમને આશીર્વાદ આપશે અને તમે આજે જે છો તેના કરતાં તમે ચોક્કસપણે વધુ ઊંચાઈ પર પહોંચી જશો.


પરિવારવાદ દેશની લોકશાહી માટે ખતરો  


પીએમએ કહ્યું કે દેશ પરિવારવાદથી ત્રસ્ત છે. પરિવારવાદની સેવા કરવી પડશે. ખડગે આ ગૃહમાંથી તે ગૃહમાં ગયા. ગુલામ નબી પાર્ટીમાંથી જ શિફ્ટ થઈ ગયા. તે બધા જ પરિવારવાદનો શિકાર બન્યા છે. એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાને કારણે તેમણે પોતાની દુકાનને તાળા મારવા પડ્યા હતા. વિપક્ષમાં એક જ પરિવારની પાર્ટી છે. અમને જુઓ, ન તો તે રાજનાથજીનો રાજકીય પક્ષ છે, ન તો તે અમિત શાહનો રાજકીય પક્ષ છે. જ્યાં માત્ર એક પરિવાર જ પક્ષના સર્વોચ્ચ સ્થાને હોય, તે લોકશાહી માટે સારું નથી. દેશની લોકશાહી માટે વંશવાદી રાજકારણ આપણા બધા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. એક પરિવારના બે સભ્યોની પ્રગતિને હું આવકારીશ, પરંતુ સવાલ એ છે કે પરિવારો જ પક્ષો ચલાવે છે. આ લોકશાહી માટે ખતરો છે.


હવે ગઠબંધનનું એલાઈન્મેન્ટ બગડી ગયું  

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પોતાને શાસક માને છે. તે એક પરિવારથી આગળ વિચારી શકતી નથી. થોડા દિવસો પહેલા ભાનુમતીનો કુનબો જોડ્યો હતો હતા અને હવે ગઠબંધનનું એલાઈન્મેન્ટ બગડી ગયું છે. તેઓ એકબીજા પર જ વિશ્વાસ પણ કરતા નથી. અમારો પ્રથમ કાર્યકાળ તેમના ખાડાઓ ભરવામાં ગયો હતો. બીજા કાર્યકાળમાં નવા ભારતનો પાયો નાખ્યો. કોંગ્રેસની માનસિકતાના કારણે દેશને નુકસાન થયું છે.


NDA આ વખતે 400 અને ભાજપ 370ને પાર


મોદીએ કહ્યું કે દેશમાં એક એવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભારતની મહાન પરંપરાને ઉર્જા આપતું રહેશે. અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ પણ દૂર નથી. વધુમાં વધુ 100-125 દિવસ બાકી છે. આખો દેશ કહી રહ્યો છે કે અબ કી બાદ મોદી સરકાર. હું સામાન્ય રીતે આંકડાઓના ચક્કરમાં નથી પડતો. પરંતુ હું જોઉં છું કે દેશનો મિજાજ એનડીએને 400 સીટોને પાર કરી દેશે અને ચોક્કસપણે ભાજપને 370 સીટો આપશે. અમારો ત્રીજો કાર્યકાળ આગામી 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખવાનું કામ કરશે.



There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.