'BJP 370 અને NDA 400ને સીટોને પાર કરશે', PM મોદીએ ત્રીજી ટર્મ માટે લક્ષ્ય રાખ્યું


  • Published By :
  • Published Date : 2024-02-05 20:24:35

સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમવારે સંસદના નીચલા ગૃહ લોકસભામાં સંબોધન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર ગૃહને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે હું વિપક્ષ દ્વારા લેવામાં આવેલા ઠરાવની પ્રશંસા કરું છું. આનાથી મારો અને દેશનો આત્મવિશ્વાસ મજબૂત થયો છે કારણ કે વિપક્ષે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ લીધો છે. જે રીતે તમે ઘણા દાયકાઓ સુધી સત્તાધારી પક્ષમાં બેઠા હતા તે જ રીતે ઘણા દાયકાઓ સુધી વિપક્ષમાં બેસવાના તમારા સંકલ્પને જનતા ચોક્કસપણે પૂર્ણ કરશે. મોદીએ કહ્યું કે તમે લોકો (વિપક્ષ) જે રીતે આ દિવસોમાં મહેનત કરી રહ્યા છો. હું દ્રઢપણે માનું છું કે જનતા ચોક્કસપણે તમને આશીર્વાદ આપશે અને તમે આજે જે છો તેના કરતાં તમે ચોક્કસપણે વધુ ઊંચાઈ પર પહોંચી જશો.


પરિવારવાદ દેશની લોકશાહી માટે ખતરો  


પીએમએ કહ્યું કે દેશ પરિવારવાદથી ત્રસ્ત છે. પરિવારવાદની સેવા કરવી પડશે. ખડગે આ ગૃહમાંથી તે ગૃહમાં ગયા. ગુલામ નબી પાર્ટીમાંથી જ શિફ્ટ થઈ ગયા. તે બધા જ પરિવારવાદનો શિકાર બન્યા છે. એક જ પ્રોડક્ટ વારંવાર લોન્ચ કરવાને કારણે તેમણે પોતાની દુકાનને તાળા મારવા પડ્યા હતા. વિપક્ષમાં એક જ પરિવારની પાર્ટી છે. અમને જુઓ, ન તો તે રાજનાથજીનો રાજકીય પક્ષ છે, ન તો તે અમિત શાહનો રાજકીય પક્ષ છે. જ્યાં માત્ર એક પરિવાર જ પક્ષના સર્વોચ્ચ સ્થાને હોય, તે લોકશાહી માટે સારું નથી. દેશની લોકશાહી માટે વંશવાદી રાજકારણ આપણા બધા માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. એક પરિવારના બે સભ્યોની પ્રગતિને હું આવકારીશ, પરંતુ સવાલ એ છે કે પરિવારો જ પક્ષો ચલાવે છે. આ લોકશાહી માટે ખતરો છે.


હવે ગઠબંધનનું એલાઈન્મેન્ટ બગડી ગયું  

પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પોતાને શાસક માને છે. તે એક પરિવારથી આગળ વિચારી શકતી નથી. થોડા દિવસો પહેલા ભાનુમતીનો કુનબો જોડ્યો હતો હતા અને હવે ગઠબંધનનું એલાઈન્મેન્ટ બગડી ગયું છે. તેઓ એકબીજા પર જ વિશ્વાસ પણ કરતા નથી. અમારો પ્રથમ કાર્યકાળ તેમના ખાડાઓ ભરવામાં ગયો હતો. બીજા કાર્યકાળમાં નવા ભારતનો પાયો નાખ્યો. કોંગ્રેસની માનસિકતાના કારણે દેશને નુકસાન થયું છે.


NDA આ વખતે 400 અને ભાજપ 370ને પાર


મોદીએ કહ્યું કે દેશમાં એક એવા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે ભારતની મહાન પરંપરાને ઉર્જા આપતું રહેશે. અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ પણ દૂર નથી. વધુમાં વધુ 100-125 દિવસ બાકી છે. આખો દેશ કહી રહ્યો છે કે અબ કી બાદ મોદી સરકાર. હું સામાન્ય રીતે આંકડાઓના ચક્કરમાં નથી પડતો. પરંતુ હું જોઉં છું કે દેશનો મિજાજ એનડીએને 400 સીટોને પાર કરી દેશે અને ચોક્કસપણે ભાજપને 370 સીટો આપશે. અમારો ત્રીજો કાર્યકાળ આગામી 1000 વર્ષ માટે મજબૂત પાયો નાખવાનું કામ કરશે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..