ધાર્મિક સ્થળો વાળી બેઠકો પર લહેરાયો કેસરિયો, 2 બેઠકો પર કોંગ્રેસનો વિજય


  • Published By :
  • Published Date : 2022-12-09 10:04:28

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 182માંથી ભાજપે 156 સીટો પર ભાજપે વિજયી મેળવ્યો છે. આટલા વર્ષોમાં ભાજપે પોતાની પાર્ટીને હિંદુઓની પાર્ટી તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમુક અંશે સફળ પણ થઈ છે. ત્યારે ગુજરાતમાં આવેલા યાત્રાધામોની ચર્ચા કરીએ ક્યાં કયા પક્ષે વિજયી મેળવ્યો છે. ગુજરાતમાં અનેક સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલા છે. જેવા કે ડાકોર, અંબાજી, દ્વારકા,સોમનાથ, પાવાગઢ સહિતના યાત્રાધામોનો સમાવેશ થાય છે.    


Ambaji Temple

સોમનાથ અને અંબાજી તીર્થયાત્રાની બેઠક પર કોંગ્રેસનો વિજય

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના વિમલ ચૂડાસમાએ સોમનાથની બેઠક પર વિજય મેળ્યો છે. માત્ર 922 મતોથી તેમણે ભાજપના માનસિંગ પરમારને અને આપના ઉમેદવાર જગમાલ વાળાને પરાસ્ત કર્યા છે. ઉપરાંત અંબાજી યાત્રાધામની બેઠક એટલે કે દાંતા વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ઉમેદવાર લાધુપારધીને 6000 જેટલા મતોથી પરાસ્ત કર્યા છે.

ચોટીલા, દ્વારકા સહિતની બેઠકો પર લહેરાયો કેસરિયો

આ ઉપરાંત ચોટીલા,પાવાગઢ, દ્વારકા, ડાકોર, શામળાજી, ઊંઝા,ગીરનાર, પાલીતાણા સહિતની બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. સુરેન્દ્રનગર ખાતે આવેલું યાત્રાધામ ચોટીલામાં ભાજપના ઉમેદવાર શામજી ચૌહાણની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ કપરાડાની હાર થઈ છે.



દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વિજય થયો છે. આ ભેઠક પરથી કોંગ્રેસે મુળુભાઈ આહિર અને આમ આદમી પાર્ટીના લખમણ નકુમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. હાલોલમાં આવેલા પાવાગઢમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર જયદ્રતસિંહ પરમારનો વિજય થયો છે. ડાકોરમાં પણ ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમારની જીત થઈ છે. શામળાજીમાં પણ ભાજપને જીત મળી છે. ભાજપના ઉમેદવાર પીસી બરંડાનો વિજય થયો છે. 



ઉંઝા બેઠક પર પણ ભાજપના ઉમેદવારનો થયો વિજય 

ગુજરાતની ચૂંટણીમાં ઉમીયા માતાનું મંદિર ઉંઝાને મહત્વનું સ્થાન ગણવામાં આવે છે. આ બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો વિજય થયો છે. જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાનો વિજય થયો છે. જ્યારે બેચરાજીમાં પણ ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરની જીત થઈ છે.          




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.