ધાર્મિક સ્થળો વાળી બેઠકો પર લહેરાયો કેસરિયો, 2 બેઠકો પર કોંગ્રેસનો વિજય


  • Published By :
  • Published Date : 2022-12-09 10:04:28

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 182માંથી ભાજપે 156 સીટો પર ભાજપે વિજયી મેળવ્યો છે. આટલા વર્ષોમાં ભાજપે પોતાની પાર્ટીને હિંદુઓની પાર્ટી તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમુક અંશે સફળ પણ થઈ છે. ત્યારે ગુજરાતમાં આવેલા યાત્રાધામોની ચર્ચા કરીએ ક્યાં કયા પક્ષે વિજયી મેળવ્યો છે. ગુજરાતમાં અનેક સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલા છે. જેવા કે ડાકોર, અંબાજી, દ્વારકા,સોમનાથ, પાવાગઢ સહિતના યાત્રાધામોનો સમાવેશ થાય છે.    


Ambaji Temple

સોમનાથ અને અંબાજી તીર્થયાત્રાની બેઠક પર કોંગ્રેસનો વિજય

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના વિમલ ચૂડાસમાએ સોમનાથની બેઠક પર વિજય મેળ્યો છે. માત્ર 922 મતોથી તેમણે ભાજપના માનસિંગ પરમારને અને આપના ઉમેદવાર જગમાલ વાળાને પરાસ્ત કર્યા છે. ઉપરાંત અંબાજી યાત્રાધામની બેઠક એટલે કે દાંતા વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ઉમેદવાર લાધુપારધીને 6000 જેટલા મતોથી પરાસ્ત કર્યા છે.

ચોટીલા, દ્વારકા સહિતની બેઠકો પર લહેરાયો કેસરિયો

આ ઉપરાંત ચોટીલા,પાવાગઢ, દ્વારકા, ડાકોર, શામળાજી, ઊંઝા,ગીરનાર, પાલીતાણા સહિતની બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. સુરેન્દ્રનગર ખાતે આવેલું યાત્રાધામ ચોટીલામાં ભાજપના ઉમેદવાર શામજી ચૌહાણની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ કપરાડાની હાર થઈ છે.



દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વિજય થયો છે. આ ભેઠક પરથી કોંગ્રેસે મુળુભાઈ આહિર અને આમ આદમી પાર્ટીના લખમણ નકુમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. હાલોલમાં આવેલા પાવાગઢમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર જયદ્રતસિંહ પરમારનો વિજય થયો છે. ડાકોરમાં પણ ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમારની જીત થઈ છે. શામળાજીમાં પણ ભાજપને જીત મળી છે. ભાજપના ઉમેદવાર પીસી બરંડાનો વિજય થયો છે. 



ઉંઝા બેઠક પર પણ ભાજપના ઉમેદવારનો થયો વિજય 

ગુજરાતની ચૂંટણીમાં ઉમીયા માતાનું મંદિર ઉંઝાને મહત્વનું સ્થાન ગણવામાં આવે છે. આ બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો વિજય થયો છે. જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાનો વિજય થયો છે. જ્યારે બેચરાજીમાં પણ ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરની જીત થઈ છે.          




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.