ધાર્મિક સ્થળો વાળી બેઠકો પર લહેરાયો કેસરિયો, 2 બેઠકો પર કોંગ્રેસનો વિજય


  • Published By :
  • Published Date : 2022-12-09 10:04:28

2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 182માંથી ભાજપે 156 સીટો પર ભાજપે વિજયી મેળવ્યો છે. આટલા વર્ષોમાં ભાજપે પોતાની પાર્ટીને હિંદુઓની પાર્ટી તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમુક અંશે સફળ પણ થઈ છે. ત્યારે ગુજરાતમાં આવેલા યાત્રાધામોની ચર્ચા કરીએ ક્યાં કયા પક્ષે વિજયી મેળવ્યો છે. ગુજરાતમાં અનેક સુપ્રસિદ્ધ યાત્રાધામ આવેલા છે. જેવા કે ડાકોર, અંબાજી, દ્વારકા,સોમનાથ, પાવાગઢ સહિતના યાત્રાધામોનો સમાવેશ થાય છે.    


Ambaji Temple

સોમનાથ અને અંબાજી તીર્થયાત્રાની બેઠક પર કોંગ્રેસનો વિજય

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથની વાત કરીએ તો આ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે. કોંગ્રેસના વિમલ ચૂડાસમાએ સોમનાથની બેઠક પર વિજય મેળ્યો છે. માત્ર 922 મતોથી તેમણે ભાજપના માનસિંગ પરમારને અને આપના ઉમેદવાર જગમાલ વાળાને પરાસ્ત કર્યા છે. ઉપરાંત અંબાજી યાત્રાધામની બેઠક એટલે કે દાંતા વિધાનસભા બેઠક પર પણ કોંગ્રેસનો વિજય થયો છે. કોંગ્રેસના કાંતિભાઈ ખરાડીએ ભાજપના ઉમેદવાર લાધુપારધીને 6000 જેટલા મતોથી પરાસ્ત કર્યા છે.

ચોટીલા, દ્વારકા સહિતની બેઠકો પર લહેરાયો કેસરિયો

આ ઉપરાંત ચોટીલા,પાવાગઢ, દ્વારકા, ડાકોર, શામળાજી, ઊંઝા,ગીરનાર, પાલીતાણા સહિતની બેઠકો પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. સુરેન્દ્રનગર ખાતે આવેલું યાત્રાધામ ચોટીલામાં ભાજપના ઉમેદવાર શામજી ચૌહાણની જીત થઈ છે. જ્યારે કોંગ્રેસના ઋત્વિક મકવાણા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાજુભાઈ કપરાડાની હાર થઈ છે.



દેવભૂમિ દ્વારકાની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર પબુભા માણેકનો વિજય થયો છે. આ ભેઠક પરથી કોંગ્રેસે મુળુભાઈ આહિર અને આમ આદમી પાર્ટીના લખમણ નકુમને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. હાલોલમાં આવેલા પાવાગઢમાં પણ ભાજપના ઉમેદવારની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર જયદ્રતસિંહ પરમારનો વિજય થયો છે. ડાકોરમાં પણ ભાજપના ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમારની જીત થઈ છે. શામળાજીમાં પણ ભાજપને જીત મળી છે. ભાજપના ઉમેદવાર પીસી બરંડાનો વિજય થયો છે. 



ઉંઝા બેઠક પર પણ ભાજપના ઉમેદવારનો થયો વિજય 

ગુજરાતની ચૂંટણીમાં ઉમીયા માતાનું મંદિર ઉંઝાને મહત્વનું સ્થાન ગણવામાં આવે છે. આ બેઠક પરથી પણ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલનો વિજય થયો છે. જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવાર સંજય કોરડીયાનો વિજય થયો છે. જ્યારે બેચરાજીમાં પણ ભગવો લહેરાયો છે. ભાજપના ઉમેદવાર સુખાજી ઠાકોરની જીત થઈ છે.          




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.