વડોદરામાં AAPનો રોડ શો નહીં કરવા દેવાની BJP કાર્યકરોની ચીમકી, કેજરીવાલના પોસ્ટર ફાડ્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 18:56:26

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે તંગદીલી વધતી જોવા મળી રહી છે. AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યમાં  કેજરીવાલના આગમનનો જોરશોરથી વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આજે  વડોદરામાં અરવિંદ કેજરીવાલે રેલી યોજી હતી. જો કે  AAPને ભાજપ સમર્થકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો છે. બીજેપી કાર્યકરોએ વડોદરામાં યોજાનારી અરવિંદ કેજરીવાલની રેલી પહેલા રેલી સ્થળની બહાર લાગેલા હોર્ડિંગ્સ અને પોસ્ટરો ફાડી નાખ્યા છે. અરવિંદ કેજરીવાલના પોસ્ટરની સાથે બીજેપી સમર્થકોએ પંજાબના સીએમ ભગવંત માનના પોસ્ટરને પણ નિશાન બનાવ્યું છે. આ ઘટના પર આમ આદમી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપી છે.


કેજરીવાલના રોડ શો પહેલા ભાજપ કાર્યકરોએ કરી તોડફોડ


વડોદરામાં કેજરીવાલના રોડ શો અગાઉ બબાલ થઈ હતી. વડોદરામાં ભાજપના પૂર્વ નગરસેવક નીતિન પટેલ અને ભાજપ કાર્યકરોએ રોડ શોને લઈ ચિમકી આપી હતી. વડોદરાના રાજમહેલ રોડ ખાતે ભાજપ અને આપના કાર્યકરો આમને સામને આવી ગયા હતા. આપના બેનર લગાવવાનો વિરોધ કરાયો હતો. હિંદુ દેવી દેવતાઓના અપમાન કરનારને રોડ શો નહીં કરવા દેવાય તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. વડોદરામાં કેજરીવાલના રોડ શોના રુટ પર તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત મોદી મોદીના નારા લાગ્યા હતા. જો કે પરિસ્થિતિ વધુ વણશે તે પહેલા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કેજરીવાલની રેલી દરમિયાન વડોદરાના રાજમહેલ રોડ પર વાતાવરણ તંગ બની ગયું હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે