લ્યો બોલો! આ ભાજપના કાર્યકર્તાઓ તો એમના નેતાને જ નથી ઓળખતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:27:47

જમાવટ દર્પણ નામનું સેગમેન્ટ ચલાવે છે જેમાં તે સમાજ અને સરકારને અરીસો બતાવવાનું કામ કરે છે. જમાવટ કોઈને જજ કર્યા વગર દર્પણ તમારી સામે રાખી દે છે. બાકી સમાજને જોવાનું રહે છે કે તેમને કેટલી બદલાવાની જરૂર છે. ત્યારે અમે ભાજપની રેલીમાં ભાજપના પીઢ નેતાઓના ફોટો લઈને પહોંચ્યા હતા જ્યાં ભાજપના કાર્યકર્તાઓ તેમના નેતાઓને જ નહોતા ઓળખી શક્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસારવા ખાતે વિકાસકાર્યોના લોકાર્પણ માટે આવેલા હતા ત્યારે અમે ત્યાં પહોંચેલા કાર્યકર્તાઓને ભાજપના નેતાઓના ફોટો દેખાડ્યા હતા અને તેઓ કોણ છે તેવું પૂછ્યું હતું જેના કંઈક આવા જવાબ મળ્યા હતા. અમેં એક ભાજપના યુવા કાર્યકર્તા અમિત શાહનો ફોટો દેખાડીને પૂછ્યું હતું કે આ કોણ છે ત્યારે ભાજપના યુવા કાર્યકર્તાએ જવાબ આપ્યો હતો કે હું આમને નથી ઓળખતો.   


જમાવટના પત્રકાર પાયલ રાઠોડ આ ફોટોની અંદર ભાજપના કાર્યકર્તાને ફોટો દેખાડીને તેમના નેતાઓ વિશે પૂછી રહ્યા છે કે તેઓ પોતોના નેતાઓને ઓળખે છે કે નહીં. જમાવટ ભાજપના વરિષ્ઠ અને પીઢ નેતાઓના ફોટો લઈને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. 

જમાવટ ભાજપના નેતાઓ મુરલી મનોહર જોશી, વિજ્યારાજે સિંધિયા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, લાલ કૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને અમિત શાહના ફોટો લઈને કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યું હતું. 





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.