લ્યો બોલો! આ ભાજપના કાર્યકર્તાઓ તો એમના નેતાને જ નથી ઓળખતા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:27:47

જમાવટ દર્પણ નામનું સેગમેન્ટ ચલાવે છે જેમાં તે સમાજ અને સરકારને અરીસો બતાવવાનું કામ કરે છે. જમાવટ કોઈને જજ કર્યા વગર દર્પણ તમારી સામે રાખી દે છે. બાકી સમાજને જોવાનું રહે છે કે તેમને કેટલી બદલાવાની જરૂર છે. ત્યારે અમે ભાજપની રેલીમાં ભાજપના પીઢ નેતાઓના ફોટો લઈને પહોંચ્યા હતા જ્યાં ભાજપના કાર્યકર્તાઓ તેમના નેતાઓને જ નહોતા ઓળખી શક્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અસારવા ખાતે વિકાસકાર્યોના લોકાર્પણ માટે આવેલા હતા ત્યારે અમે ત્યાં પહોંચેલા કાર્યકર્તાઓને ભાજપના નેતાઓના ફોટો દેખાડ્યા હતા અને તેઓ કોણ છે તેવું પૂછ્યું હતું જેના કંઈક આવા જવાબ મળ્યા હતા. અમેં એક ભાજપના યુવા કાર્યકર્તા અમિત શાહનો ફોટો દેખાડીને પૂછ્યું હતું કે આ કોણ છે ત્યારે ભાજપના યુવા કાર્યકર્તાએ જવાબ આપ્યો હતો કે હું આમને નથી ઓળખતો.   


જમાવટના પત્રકાર પાયલ રાઠોડ આ ફોટોની અંદર ભાજપના કાર્યકર્તાને ફોટો દેખાડીને તેમના નેતાઓ વિશે પૂછી રહ્યા છે કે તેઓ પોતોના નેતાઓને ઓળખે છે કે નહીં. જમાવટ ભાજપના વરિષ્ઠ અને પીઢ નેતાઓના ફોટો લઈને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યા હતા. 

જમાવટ ભાજપના નેતાઓ મુરલી મનોહર જોશી, વિજ્યારાજે સિંધિયા, પંડિત દિનદયાળ ઉપાધ્યાય, લાલ કૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપેયી, શ્યામા પ્રસાદ મુખર્જી અને અમિત શાહના ફોટો લઈને કાર્યકર્તાઓ વચ્ચે પહોંચ્યું હતું. 





રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .