BKNMUએ પરીક્ષાના પેપરમાં લોચા માર્યા, વિદ્યાર્થીઓએ કહ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:52:45

દિવાળીના ફટાકડા ફૂટવા પહેલા રાજ્યની યુનિવર્સિટીઓની પરીક્ષાઓમાં પેપર ફૂટવા લાગ્યા છે અને પેપરમાં લોચા લાગ્યા છે. ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટીએ પણ કાંડ કર્યું હતું જેને તોએ માંડ છ મહિના દબાવી શક્યા હતા, પણ છેલ્લે છ મહિના પછી તેમના લોચા સામે આવી ગયા હતા. 


આવી રીતે છબરડો બહાર આવ્યો 

પંદર ફેબ્રુઆરીમાં બીએડ સેમ વનની હિન્દી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાની અંદર પહેલા સેમને બદલે બીજા સેમેસ્ટરનું પેપર આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તો ડોળા ફાડીને પેપર જેઈ રહ્યા કે આ શું આપી દીધું છે. તેમણે સુપરવાઈઝ અને ડીનને પણ જાણ કરી હતી. BKNMUના ડીને સમગ્ર મામલો દબાવી દીધો હતો. આ પરીક્ષામાં 100થી વધુ વિદ્યાર્થીઓને 35માંથી 35 માર્ક મળ્યા હોય તેવું પણ જાણવા મળ્યું હતું. 


BKNMUના ડીને કહ્યું ગમે તે લખી નાખો પાસ કરી દઈશું 

પેપરમાં ભગો થયા ગયાની ખબર પડતા વિદ્યાર્થીઓએ ક્લાસના સુપરવાઈઝરને કહ્યું હતું અને પછી ડીનને પણ ફરિયાદ કરી હતી. ભક્ત કવિ નરસિંહ મેહતાના ડીને વિદ્યાર્થીઓને ફોસલાવી કહ્યું હતું કે વાંધો નહીં અત્યારે જે લખવું હોય તે લખી નાખો, અમેં બધાને પાસ કરી દઈશું. 


ગુજરાતની યુનિવર્સિટીઓમાં તો આવું થતું જ રહે છે

ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં આવા લોચા માર્યાનું સામે આવે છે. ક્યારેક ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવા છબરડા લાગે છે તો ક્યારેક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોચા લાગે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો વિવાદાસ્પદ છે જ, જેમાં પેપર કાંડ પણ પકડાય છે અને પીએચડીમાં ડીગ્રી અપાવવા માટેની માગણીઓ પણ ગુજરાતમાં ચર્ચાસ્પદ છે. ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્યો હવે રાજ્યપાલને વિગતો મોકલવાની અને ત્યાંથી પણ કોઈ જવાબ ના મળે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.