BKNMUએ પરીક્ષાના પેપરમાં લોચા માર્યા, વિદ્યાર્થીઓએ કહ્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-15 12:52:45

દિવાળીના ફટાકડા ફૂટવા પહેલા રાજ્યની યુનિવર્સિટીઓની પરીક્ષાઓમાં પેપર ફૂટવા લાગ્યા છે અને પેપરમાં લોચા લાગ્યા છે. ભક્ત કવિ નરસિંહ મેહતા યુનિવર્સિટીએ પણ કાંડ કર્યું હતું જેને તોએ માંડ છ મહિના દબાવી શક્યા હતા, પણ છેલ્લે છ મહિના પછી તેમના લોચા સામે આવી ગયા હતા. 


આવી રીતે છબરડો બહાર આવ્યો 

પંદર ફેબ્રુઆરીમાં બીએડ સેમ વનની હિન્દી વિષયની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાની અંદર પહેલા સેમને બદલે બીજા સેમેસ્ટરનું પેપર આપી દેવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તો ડોળા ફાડીને પેપર જેઈ રહ્યા કે આ શું આપી દીધું છે. તેમણે સુપરવાઈઝ અને ડીનને પણ જાણ કરી હતી. BKNMUના ડીને સમગ્ર મામલો દબાવી દીધો હતો. આ પરીક્ષામાં 100થી વધુ વિદ્યાર્થીઓને 35માંથી 35 માર્ક મળ્યા હોય તેવું પણ જાણવા મળ્યું હતું. 


BKNMUના ડીને કહ્યું ગમે તે લખી નાખો પાસ કરી દઈશું 

પેપરમાં ભગો થયા ગયાની ખબર પડતા વિદ્યાર્થીઓએ ક્લાસના સુપરવાઈઝરને કહ્યું હતું અને પછી ડીનને પણ ફરિયાદ કરી હતી. ભક્ત કવિ નરસિંહ મેહતાના ડીને વિદ્યાર્થીઓને ફોસલાવી કહ્યું હતું કે વાંધો નહીં અત્યારે જે લખવું હોય તે લખી નાખો, અમેં બધાને પાસ કરી દઈશું. 


ગુજરાતની યુનિવર્સિટીઓમાં તો આવું થતું જ રહે છે

ગુજરાતની અનેક યુનિવર્સિટીમાં આવા લોચા માર્યાનું સામે આવે છે. ક્યારેક ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં આવા છબરડા લાગે છે તો ક્યારેક દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં લોચા લાગે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો વિવાદાસ્પદ છે જ, જેમાં પેપર કાંડ પણ પકડાય છે અને પીએચડીમાં ડીગ્રી અપાવવા માટેની માગણીઓ પણ ગુજરાતમાં ચર્ચાસ્પદ છે. ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્યો હવે રાજ્યપાલને વિગતો મોકલવાની અને ત્યાંથી પણ કોઈ જવાબ ના મળે તો હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે