Bengaluruના આ Cafeમાં થયો Blast, ઉઠ્યો ધૂમાડો ભાગ્યા લોકો, બ્લાસ્ટ પાછળનું કારણ અકબંધ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-01 16:19:46

બેંગલુરૂમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં ધમાકો થયો છે. એક નહીં પરંતુ ચાર ધમાકા થયા છે અને આ ધમાકામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ ધમાકા થવા પાછળનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર આ ધમાકો વ્હાઈટ ફીલ્ડ વિસ્તારમાં આઈટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કૈફેમાં થયો છે. ચાર લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. આ ધમાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. ઘાયલોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 


ધમાકામાં ચાર લોકો થયા ઘાયલ!

રામેશ્વરમ કૈફેમાં આજે એટલે કે પહેલી માર્ચે ધડાકો થયો છે. અને આ ધડાકામાં ચાર લોકો ઘાયલ થયા છે. જે ધમાકો થયો છે તે વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 4 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના પછીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાફેની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે જોવા મળી રહી છે. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .