Bengaluruના આ Cafeમાં થયો Blast, ઉઠ્યો ધૂમાડો ભાગ્યા લોકો, બ્લાસ્ટ પાછળનું કારણ અકબંધ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-01 16:19:46

બેંગલુરૂમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં ધમાકો થયો છે. એક નહીં પરંતુ ચાર ધમાકા થયા છે અને આ ધમાકામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ ધમાકા થવા પાછળનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર આ ધમાકો વ્હાઈટ ફીલ્ડ વિસ્તારમાં આઈટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કૈફેમાં થયો છે. ચાર લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. આ ધમાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. ઘાયલોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 


ધમાકામાં ચાર લોકો થયા ઘાયલ!

રામેશ્વરમ કૈફેમાં આજે એટલે કે પહેલી માર્ચે ધડાકો થયો છે. અને આ ધડાકામાં ચાર લોકો ઘાયલ થયા છે. જે ધમાકો થયો છે તે વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 4 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના પછીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાફેની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે જોવા મળી રહી છે. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .