Bengaluruના આ Cafeમાં થયો Blast, ઉઠ્યો ધૂમાડો ભાગ્યા લોકો, બ્લાસ્ટ પાછળનું કારણ અકબંધ! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-03-01 16:19:46

બેંગલુરૂમાં સ્થિત એક રેસ્ટોરન્ટમાં ધમાકો થયો છે. એક નહીં પરંતુ ચાર ધમાકા થયા છે અને આ ધમાકામાં અનેક લોકો ઘાયલ થયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. આ ધમાકા થવા પાછળનું કારણ અકબંધ છે. મળતી માહિતી અનુસાર આ ધમાકો વ્હાઈટ ફીલ્ડ વિસ્તારમાં આઈટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કૈફેમાં થયો છે. ચાર લોકો ઘાયલ થયા હોવાનું અનુમાન છે. આ ધમાકાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ત્યાં આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. ઘાયલોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

 


ધમાકામાં ચાર લોકો થયા ઘાયલ!

રામેશ્વરમ કૈફેમાં આજે એટલે કે પહેલી માર્ચે ધડાકો થયો છે. અને આ ધડાકામાં ચાર લોકો ઘાયલ થયા છે. જે ધમાકો થયો છે તે વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં આઇટીપીએલ રોડ પર સ્થિત રામેશ્વરમ કેફેમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 4 લોકો ઘાયલ થયા છે. તમને જણાવી દઈએ કે બ્લાસ્ટ થવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના પછીનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કાફેની બહાર લોકોની ભીડ જોવા મળી રહી છે અને પોલીસ પણ ઘટનાસ્થળે જોવા મળી રહી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.