મતદાર યાદી સુધારણા કાર્યક્રમ: BLOની કામગીરી શિક્ષકોના માથે જ કેમ, શિક્ષણનો ભોગ શા માટે લેવાઈ રહ્યો છે?


  • Published By :
  • Published Date : 2023-08-18 21:14:22

લોકસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પંચ દ્વારા દર વર્ષની માફક રાબેતા મુજબ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે 21 જુલાઈથી 21 ઓગસ્ટ 2023 સુધી એક મહિના સુધી શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે. જેમાં ડોર ટુ ડોર ફરીને એપ્લિકેશન દ્વારા દરેક કુટુંબના ડેટા ભરવા, તમામનું વેરિફિકેશન કરવું જેવી જટિલ કામગીરી સોંપવામાં આવી છે. જો કે બી.એલ.ઓ.ની કામગીરી શિક્ષકો પર થોપી દેવાતા શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓનાં શૈક્ષણિક હીતમાં બી.એલ.ઓ.ની કામગીરીમાંથી તમામ શિક્ષકોને તથા અન્ય 13 કેડરને પણ આપી શકાય તેવી માંગ કરવામાં આવી છે. જો કે શિક્ષકોના વિરોધના કારણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં વિક્ષેપ સર્જાઈ રહ્યો છે જેના કારણે મુખ્ય ચૂંટણી કચેરીના ઉપ સચિવે તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને પત્ર લખી બીએલઓની નિમણૂક અંગે ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની માર્ગદર્શક સુચનાઓ મુજબ કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.


શિક્ષણનો ભોગ લેવાઈ રહ્યો છે

 

રાજ્યમાં સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના માથે સરકાર દ્વારા અનેક કાર્યો થોપી દેવાતા શિક્ષકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવતા શિક્ષણકાર્ય ક્યારે પૂરું કરવું તે પ્રશ્ન શિક્ષકોને સતાવી રહ્યો છે. અન્ય કામગીરીઓના ભારણ નીચે દબાયેલા શિક્ષકો વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને પણ ચિંતિત છે. રાજ્યભરના સરકારી શાળાના શિક્ષકોને અભ્યાસ ઉપરાંતની અઢળક કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. ત્યાં વધુ એક બીએલઓની કામગીરી આવી પડતાં શિક્ષકો મુંઝાયા છે. ચૂંટણી પંચ દ્વારા 21 જુલાઈથી 21 ઓગસ્ટ 2023 સુધી એક મહિના સુધી શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપી દેવામાં આવી છે. જેમાં ડોર ટુ ડોર ફરીને એપ્લિકેશન દ્વારા દરેક કુટુંબના ડેટા ભરવા, તમામનું વેરિફિકેશન કરવું જેવી જટિલ કામગીરી સોંપવામાં આવી છે. આ કામગીરી વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે થતી હોય શિક્ષકો પણ વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય અને અભ્યાસક્રમ પૂર્ણ કરાવવાને લઈને ચિંતિત જણાઈ રહ્યા છે. શિક્ષકોમાં એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે, જો સરકાર દ્વારા આવી કામગીરીઓ સોંપવામાં આવશે તો રાજ્યમાં શિક્ષણનું સ્તર પણ કથળશે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પણ તેની માઠી અસર પડશે. હાલ તો શિક્ષકો સરકારની કામગીરીનું દબાણ અને પોતાની સાચી ફરજ વચ્ચે પિસાઈ રહ્યા છે.


શું કામગીરી સોંપાઈ?


ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં 21 જુલાઇથી 21 ઓગષ્ટ સુધી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં બુથ લેવલ ઓફીસરે ઘેર ઘેર જઇ મતદારોની ચકાસણી કરવાની છે. જેમાં મતદારોના નામ કમી, ઉમેરવા વગેરે માટેના ફોર્મ ભરવા આધાર કાર્ડ, જન્મ અને મૃત્યુનાં આધાર, રહેઠાણનાં પુરાવા, કુટુંબનાં સભ્યોની વિગતો એકત્રિત કરવાની છે.


અન્ય 13 કેડરને BLOની કામગીરી


મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, તલાટી, પંચાયત સચિવ, ગ્રામ્ય સ્તરના કામદારો, વીજબીલ રીડર્સ, પોસ્ટમેન, સહાયક નર્સ અને મીડવાઇફ, આરોગ્ય કાર્યકરો, મધ્યાહન ભોજન કાર્યકરો, કોર્પોરેશન ટેકસ કરતા કર્મીઓ, યુડીસી-એલડીસીના કારકુની સ્ટાફની પણ બીએલઓ કામગીરીમાં નિમણૂંક સોંપવાનો હુકમ કરવામાં આવ્યો છે. 

 

ગોધરા પ્રાંત અધિકારીની  BLOને નોટીસ


મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગોધરા જિલ્લામાં 132 દાહોદ વિધાન સભા મતવિભાગમાં હાઉસ ટુ હાઉસની કામગીરીની સમીક્ષા કરતા બીએલઓની કામગીરીનું માત્ર 18 ટકા જ પૂર્ણ થઈ છે. વળી ફોર્મ નં. 6, 7,8 અંગેની કામગીરી ખુબ જ નબળી જણાતા ગોધરા પ્રાંત અધિકારીએ બીએલઓ સુપરવાઈઝર અને બીએલઓને નોટિસ ફટકારી છે. પ્રાંત અધિકારીએ 17થી 21 ઓગસ્ટ સુધી મામલતદાર કચેરી દાહોદ ખાતે હાજર રહેવાની સુચના આપી છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.