સુરેન્દ્રનગરના ખારાઘોડામાં બે જુથ વચ્ચે લોહિયાળ ધીંગાણું, 8 લોકો લોકોની અટકાયત, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-30 19:08:55

રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ ને અન્ય હથિયાર લઈ તૂટી પડતાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે હાલ આઠેય આરોપીઓની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જ્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણનો આ વીડિયો વાઈરલ થયો છે. 


આ લોકોની થઈ અટકાયત 


આ બનાવ અંગે ખારાઘોડાના આઠ શખસો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ખારાઘોડા ગામના જલા બાબુ બેલીમેં ખારાઘોડા ગામના જ મુકેશ ઠાકોર, ખોડાભાઈ, બૂટા રમા, લાલા મુંજા અને બેચરભાઈના ત્રણ દીકરા બળદેવ, પુના કાળા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને પાટડી વચ્ચે બે જૂથના લોકો સીએનજી રિક્ષા ચલાવવાનું કામ કરે છે. આ રૂટ પર પેસેન્જર બેસાડવાને લઈ બંને જૂથના લોકો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી અંતે મારામારીમાં પલટી ગઈ હતી. બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ લઈ તૂટી પડ્યા હતા, ઝઘડો એટલો ઉગ્ર હતો કે નજીકમાં ઊભેલા અન્ય લોકોની કંપારી છૂટી ગઈ હતી. અન્ય લોકો આગળ વધી લોકોને છૂટા પડાવવા જવાની હિંમત કરી શક્યા નહોતા. જેમાં ચાર લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં એક વ્યકિતને બ્રેઈન હેમરેજ થઈ જતાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે