સુરેન્દ્રનગરના ખારાઘોડામાં બે જુથ વચ્ચે લોહિયાળ ધીંગાણું, 8 લોકો લોકોની અટકાયત, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-30 19:08:55

રક્ષાબંધનના આ પવિત્ર દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ ને અન્ય હથિયાર લઈ તૂટી પડતાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ મામલે 8 લોકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે હાલ આઠેય આરોપીઓની અટકાયત કરી કોરોના ટેસ્ટ કરવા સહિતની કામગીરી હાથ ધરી છે. જ્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.જ્યારે ચાર લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણનો આ વીડિયો વાઈરલ થયો છે. 


આ લોકોની થઈ અટકાયત 


આ બનાવ અંગે ખારાઘોડાના આઠ શખસો વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી. ખારાઘોડા ગામના જલા બાબુ બેલીમેં ખારાઘોડા ગામના જ મુકેશ ઠાકોર, ખોડાભાઈ, બૂટા રમા, લાલા મુંજા અને બેચરભાઈના ત્રણ દીકરા બળદેવ, પુના કાળા વિરુદ્ધ પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.


શું છે સમગ્ર મામલો?


સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને પાટડી વચ્ચે બે જૂથના લોકો સીએનજી રિક્ષા ચલાવવાનું કામ કરે છે. આ રૂટ પર પેસેન્જર બેસાડવાને લઈ બંને જૂથના લોકો વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી અંતે મારામારીમાં પલટી ગઈ હતી. બંને જૂથના લોકો એકબીજા પર લાકડીઓ લઈ તૂટી પડ્યા હતા, ઝઘડો એટલો ઉગ્ર હતો કે નજીકમાં ઊભેલા અન્ય લોકોની કંપારી છૂટી ગઈ હતી. અન્ય લોકો આગળ વધી લોકોને છૂટા પડાવવા જવાની હિંમત કરી શક્યા નહોતા. જેમાં ચાર લોકોને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જેમાં એક વ્યકિતને બ્રેઈન હેમરેજ થઈ જતાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી