કેરળના મલપ્પુરમમાં હાઉસ બોટ પલટી, 22 લોકોના મોત, મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો


  • Published By :
  • Published Date : 2023-05-08 14:40:06

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં થૂવલથીરમ સમુદ્ર કિનારા નજીક રવિવારે સાંજે એક હાઉસબોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ બોટમાં 40 લોકો હતા. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટનાના પીડિતોને મળવા માટે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક તાલુક હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.


બચાવ અભિયાન શરૂ


આ દુર્ઘટના બાદ NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. સ્કૂબા ડાઈવિંગ ટીમને પણ બોલાવવામાં આવી છે. તે સાથે જ નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમ પણ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 22 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. કેટલાક મૃતદેહો કાદવમાં ફસાયા હોવાની પણ આશંકા છે. અત્રે ઉલ્લેખનિય છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. આ લોકો ઉનાળું વેકેશન મનાવવા માટે અહીં આવ્યા હતા. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."