કેરળના મલપ્પુરમમાં હાઉસ બોટ પલટી, 22 લોકોના મોત, મૃતકોમાં સૌથી વધુ મહિલાઓ અને બાળકો


  • Published By :
  • Published Date : 2023-05-08 14:40:06

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં થૂવલથીરમ સમુદ્ર કિનારા નજીક રવિવારે સાંજે એક હાઉસબોટ પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 22 થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ બોટમાં 40 લોકો હતા. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન પણ આ દુર્ઘટનાના પીડિતોને મળવા માટે પહોંચી ગયા હતા. તેમણે સ્થાનિક તાલુક હોસ્પિટલમાં મૃતકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી.


બચાવ અભિયાન શરૂ


આ દુર્ઘટના બાદ NDRFની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધુ છે. સ્કૂબા ડાઈવિંગ ટીમને પણ બોલાવવામાં આવી છે. તે સાથે જ નેવી અને કોસ્ટ ગાર્ડની ટીમ પણ પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી 22 મૃતદેહો શોધી કાઢવામાં આવ્યા છે. કેટલાક મૃતદેહો કાદવમાં ફસાયા હોવાની પણ આશંકા છે. અત્રે ઉલ્લેખનિય છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. આ લોકો ઉનાળું વેકેશન મનાવવા માટે અહીં આવ્યા હતા. 



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.